મારુતિ સુઝુકી ઈકો લોન યોજના | ઈકો લોન યોજના | Vehicle Loan Yojana | Vehicle Loan Sahay Yojana | Gujarat Sarkar Loan Yojana | Maruti Suzuki Eeco Passenger For Vehicle Loan યોજના
ગુજરાત સરકાર દ્રારા જુદા-જુદા વિભાગો અને કચેરીઓ કાર્યરત છે. જેમાં અલગ-અલગ જાતિઓ માટે શાખાઓ કામ કરે છે. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, ગાંધીનગર દ્રારા ઘણી બધી શાખાઓ કાર્યરત છે. ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશન, ગાંધીનગર હેઠળ એસ.ટી જ્ઞાતિ માટે ઘણી બધી સરકારી યોજનાઓ અમલમાં છે. આજે આપણે આ આર્ટિકલની મદદથી Vehicle Loan Scheme Gujart 2022 વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું.
મારુતિ સુઝુકી ઈકો લોન યોજના | Maruti Suzuki Echo Passenger Vehicle Loan યોજના
SJE Gujarat દ્રારા સમાજના નબળા વર્ગો માટે વિવિધ સરકારી યોજનાઓ, શિષ્યવૃતિઓ આપવમાં આવે છે. Gujarat Schedule Cast માટે ઓનલાઇન પોર્ટલ બનાવવામાં આવેલ છે. આ પોર્ટલ પર ધિરાણ માટેની યોજનાની ઓનલાઇન અરજીઓ કરી શકો છો. અનુસૂચિત જાતિઓ માટે GSCDC Online પોર્ટલ બનાવેલ છે. આ પોર્ટલ પર મારુતિ ઈકો વાન પેસેન્જર ફોર વહીલર યોજના માટે ઓનલાઇન ફોર્મ ભરી શકાય છે. આ આર્ટિકની મદદથી જાણો આ યોજનાની સંપૂર્ણ માહિતી.
મારુતિ સુઝુકી ઈકો લોન યોજનાનો હેતુ શું?
અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશન દ્રારા આ લોનનો લાભ SC જ્ઞાતિના નાગરિકોને આપવામાં આવે છે. આ યોજના અનુસૂચિત જાતિના બેરોજગાર અથવા ધંધો કરવા શક્તિમાન હોય એમને આપવામાં આવે છે. સ્વરોજગાર મેળવવા માટે મારુતિ ઈકો વાન મેળવવા માંગતા હોય અનુસૂચિત જાતિના નાગરિકોને આપવામાં આવે છે. આ યોજનાનો હેતુ આર્થિક રીતે મદદરૂપ થવા માટે ખુબ હળવા દરે લોન આપવામાં આવે છે.
મારુતિ સુઝુકી ઈકો લોન લેવા માટેની પાત્રતા.
આ National Scheduled Castes Finance and Develpment Corporation દ્રારા આ ધિરાણ યોજના ચલાવવામાં આવે છે. જેમાં એપ્લિકેશન ફોર્મ GSCDC Online Gujarat દ્રારા સ્વીકારવામાં આવે છે. આ યોજનાનો લાભ મેળવવા માટે કેટલીક પાત્રતા નક્કી કરેલી છે. જે તમામ પાત્રતા નીચે મુજબ છે.
- લાભાર્થીની ઉંમર 21 વર્ષ થી 50 વર્ષ સુધીની હોવી જોઈએ.
- અરજદાર મૂળ ગુજરાતનો વતની હોવો જોઈએ.
- અરજદાર વાહન ચલાવવા માટેનું લાયસન્સ ધરાવતા હોવો જોઈએ.
- અરજદાર અનુસૂચિત જાતિના હોવો જોઈએ.
- લાભાર્થીની કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.1,20,000/- અને શહેરી ફરજ બજાવતા ન હોવા જોઈએ.
- અરજદાર કે અરજદારના કુટુંબના કોઈ સભ્ય સરકારી કે અર્ધ સરકારી કચેરીમાં ફરજ બજાવતા ન હોવા જોઈએ.
- અરજદારે અગાઉ કોઈપણ સરકારી/અર્ધ સરકારી બેંક પાસેથી લોન લીધેલી ન હોવી જોઈએ.
- લાભાર્થીએ ઓનલાઇન અરજી કરવાની હોય છે.
આ યોજનાના મહત્વના મુદ્દા:-
યોજનાનું નામ | મારુતિ સુઝુકી ઈકો લોન યોજના |
આર્ટિકની ભાષા | ગુજરાતી અને અંગ્રેજી |
યોજનાનો મુખ્ય ઉદ્દેશ | અનુસૂચિત જાતિના સ્વરોજગારીના મેળવવા માંગતા નાગરિકોને આર્થિક મદદરૂપ થવાના હેતુથી લોન સહાય |
લાભાર્થી | ગુજરાત રાજ્યના અનુસૂચિત જાતિ(એસ.સી) ના નાગરિકો |
મળવાપાત્ર લોન | આ યોજના હેઠળ કુલ-5.00 લાખ સુધી લોન મળવાપાત્ર થશે. |
વ્યાજદર | 6% વ્યાજદર |
ઓફિસિયલ વેબસાઈટ | https://sje.gujarat.gov.in/gscdc/ |
મારુતિ સુઝુકી ઈકો લોન યોજના હેઠળ મળવાપાત્ર લોનની રકમ
આ યોજના હેઠળ અનુસૂચિત જાતિ નિગમ દ્રારા 4,75,000/- લોન આપવામાં આવે છે અને લાભાર્થીએ 25,000/- નો ફાળો આપવાનો રહેશે. મારુતિ સુઝુકી ઈકો લોન યોજના હેઠળ કુલ રૂ.5.00 લાખ સુધી મળવાપાત્ર થાય છે.
મારુતિ સુઝુકી ઈકો લોન યોજનાનો વ્યાજદર કેટલો?
- આ યોજનાનો વ્યાજનો દર 6% રહેશે.
- ઈકો માટે લીધેલી લોન નિયમિત હપ્તા પ્રમાણે ભરવાની રહેશે.
- નિયમિત હપ્તા ન ભરનાર લાભાર્થી પાસેથી 2.6% દંડનીય વ્યાજ લેવામાં આવશે.
મારુતિ સુઝુકી ઈકો લોન યોજનાની ઓનલાઇન અરજી કરવા માટેના જરૂરી ડોક્યુમેન્ટ.
- આધારકાર્ડની નકલ
- ઉંમરનો પુરાવો
- જાતિનો પુરાવો
- આવક અંગેનો દાખલો
- રહેઠાણનો પુરાવો
- લાભાર્થીનો ઓળખનો પુરાવો
- લાભાર્થીનો ફોટો
- લાભાર્થીની સહીનો નમૂનો
મારુતિ સુઝુકી ઈકો લોન યોજના માટે જમીદારની શરતો.
મારુતિ સુઝુકી ઈકો લોન યોજનાનો લાભ લેવા માટે અરજદારે જામીનદાર આપવાના રહેશે જેની સંપૂર્ણ માહિતી નીચે મુજબ છે.
- અરજદારે રૂ.50,000/- સુધીની રકમના ધિરાણ માટે જામીન આપવાના રહેતા નથી.
- રૂ.50,000/- થી રૂ.1,00,000/- સુધીની રકમમાં ધિરાણ માટે એક જામીન આપવાનો રહેશે.
- રૂ.1,00,000/- થી વધુ રકમની લોન માટે બે જામીન આપવાના રહેશે.
- જામીનદાર સરકારી કે અર્ધસરકારી નોકરી કરતા કર્મચારી હોવા જોઈએ.
- લોનની રકમથી દોઢ ગણી રકમની સ્થાવર મિલકત ધરાવતી વ્યક્તિના જામીન આપવાના રહેશે.
- આ લોન માટે સ્થાવર મિલકત સંદર્ભમાં બીજાનોંધ કરાવાની રહેશે.
મારુતિ સુઝુકી ઈકો લોન યોજનાની અરજી કેવી રીતે કરવી?
મારુતિ સુઝુકી ઈકો લોન યોજનાનો લાભ લેવા માટે
GSCDC પર ઓનલાઇન અરજી કરવાની રહેશે, ઓ નલાઇન અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી નીચે મુજબ છે.
- સૌ પહેલા Google માં “GSCDC Online ટાઈપ કરવાનું રહેશે.
- ઉપર મુજબ ટાઈપ કરતા SJE Gujarat ની ઓફિશિયલ વેબસાઈટ બતાવશે તે ખોલવાની રહેશે.
- હવે “નિગમની યોજનાઓમાં ધિરાણ મેળવવા માટે ઓનલાઇન અરજી કરવા અહીં ક્લિક કરો. તેનાં પર ક્લિક કરો.
- ઉપર મુજબ ક્લિક કરતા ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશન, ગાંધીનગર ની નવીન બનાવેલ વેબસાઈટ ખુલશે.
- નિગમની વેબસાઈટના Home Page પર “New user (Register)?” પર ક્લિક કરવાનું રહેશે.
- ઓનલાઇન રેજીસ્ટ્રેશન કરવા માટે તમારે તમારું ઈમેઈલ આઈડી, મોબાઇલ નંબર, પાસવર્ડ, Captch Code નાખીને રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
- રેજીસ્ટ્રેશન થયાં બાદ તમારે મોબાઈલ પર User Name અને Password આવશે.
- હવે તમારે Login for Online Loan Application System પર જઈને તમારા User Name & Password દ્રારા Login કરવાનું રહેશે.
- GSCDC Online નું લોગીન કર્યા બાદ નંબર-8પર મારુતિ સુઝુકી ઈકો વાન (GOG સહાયિત) “અરજી કરો” પર ક્લિક કરો.
- જેમાં અરજદારની માહિતી જેવી કે આધારકાર્ડ નંબર, પૂરું નામ, સરનામું વગેરે વિગતો ભરવાની રહેશે.
- અરજદારે Upload Photograph & Upload Signature કરવાની રહેશે.
- અરજદારે શૈક્ષણિક લાયકાત તથા વાહનની વિગતો ભરવાની રહેશે.
- તમામ વિગતો ભર્યા બાદ, ફરીથી એકવાર ચકાસણી કરવાની રહેશે.
- ત્યારબાદ Captch Code નાખીને “Save” ક્લિક કરવાનું રહેશે.
- જો ઓનલાઇન અરજીમાં કોઈ સુધારો કે વધારો કરવાનો હોય તો Edit Application પર ક્લિક કરવાનું રહેશે.
- ઓનલાઇન એપ્લિકેશનમાં ભરેલી વિગતો સંપૂર્ણ સાચી હોય તો confirm Application પર ક્લિક કરવાનું રહેશે.
- Confirm થયાં બાદ તમારી ઓનલાઇન એપ્લિકેશનનો અરજી નંબર આવશે. Print Application પર ક્લિક કરીને પ્રિન્ટ કરવાની રહેશે.
ઓનલાઇન અરજી કર્યા બાદ કઈ પ્રક્રિયા કરવાની રહેશે.
મારુતિ સુઝુકી ઈકો લોન યોજનાનો લાભ લેવા માટે ઓનલાઇન અરજી કર્યા પછી જો તમારી અરજી પાસ થાય એટલે કે જો પસંદ થાય તો પછી તમારે તમારા જિલ્લા કચેરી ખાતે રૂબરૂ હાજર થવાનું હોય છે. જિલ્લાની કચેરી ખાતે નીચે મુજબ ડોક્યુમેન્ટ રજુ કરવાનાં રહેશે.
- રેશનકાર્ડ અને ચુટણીકાર્ડની પ્રમાણીત કરેલી નકલ.
- અરજદારના બેંક એકાઉન્ટની પોસ્ટડેટેડ ચેક
- બેંકમાં કોઈ લેણું બાકી નથી, તે અંગેનું NO DUE સર્ટિફિકેટ
- રેવન્યુ સ્ટેમ્પ નંગ-8
- અરજદારે અગાઉ કોઈ સરકારી એજન્સી પાસેથી સહાય મળેલી નથી, તે બાબતનું સ્ટેમ્પ પેપર પર સોગંદનામું
- રૂપિયા 1 લાખ સુધી અધેસિવ સ્ટેમ્પ લગાવવાના રહેતા નથી.
- રૂ.1.00 થી વધુના ધિરાણમાં ધિરાણની રકમનાં 0.25% મુજબ અધેસિવ સ્ટેમ્પ તથા બાંહેધરીપત્ર પર રૂ.300/- અને ખાત્રીપત્રક પર રૂ.300/- ના અધેસિવ સ્ટેમ્પ લગાવવાના રહેશે.
1 thought on “મારુતિ સુઝુકી ઈકો લોન યોજના | Maruti Suzuki Eeco Car Loan Yojana 2022”