પશુ ખાણદાન સહાય યોજના 2023 | Pashu Khandan Sahay Yojana

 

મારાં વ્હાલા પશુપાલક મિત્રો આજના આ લેખમાં આપણે પશુપાલક વિભાગ દ્વારા પશુપાલકો માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે, જે માંથી આ એક છે, પશુ ખાણદાન સહાય યોજના.

 

તો ચાલો જાણીએ કે પશુ ખાણદાન સહાય યોજના શું છે?, પશુ ખાણદાન સહાય યોજનાનો હેતુ શું છે?, આ યોજનાનો લાભ કયા પશુપાલકોને મળશે?, આ યોજનામાં કેટલો લાભ મળશે?, આ યોજનામાં અરજી કરવા માટે કયા-કયા ડોક્યુમેન્ટ જોઈએ અને પશુ ખાણદાન સહાય યોજનામાં અરજી કેવી રીતે કરવી. આ તમામ માહિતી ગુજરાતી ભાષાંમાં જાણવા માંગો છો, તો આ લેખને અંત સુધી વાંચો.

 

 

પશુ ખાણદાન સહાય યોજના શું છે?

પશુ વિભાગ દ્રારા ચલાવાવમાં આવતી આ Pashu Khandan Sahay Yojana નું સાચું નામ મફત 250 કિલોગ્રામ ખાણદાણ સહાય યોજના છે આ યોજના હેઠળ ગુજરાતના પશુપાલકોને પોતાના ગાભણ પશુ માટે 250 કિલોગ્રામ ખાણદાણ માટે 100% લેખે સહાય આપવામાં આવે છે.

 

પશુ ખાણદાન સહાય યોજનાનો ઉદ્દેશ્ય શું?

Pashu Khandan Sahay Yojana ચાલુ કરવાનો સરકારનો મુખ્ય હેતુ રાજ્યના પશુપાલકોવધુમાં વધુ પશુપાલન કકરે જેથી તે સ્વ-નિર્ભર બને સાથે પશુઓનો મુખ્ય આહાર એવા પશુદાણની ખરીદી પર 100 % સહય થી પશુઓ ની સંખ્યા માં વધારો થઈ શકે અને સાથે પશુપાલકો આત્મનિર્ભર બંને તે આ યોજનાનો મુખ્ય હેતુ છે.

 

પશુ ખાણદાન સહાય યોજના હેઠળ કયા પશુપાલકોને લાભ મળશે? (પાત્રતા અને શરતો)

રાજ્યના પશુપાલકોને ખાણદાણ પર સહાય મેળવવા માટે તેની ચોક્કસ પાત્રતાઓ નક્કી થયેલી છે. જો તે પાત્રતાનું પાલન તમારી સાથે થશે તે પશુપાલકોને જ આ યોજનાનો લાભ મળશે? જે પાત્રતા નીચે મુજબ છે.

 

  • પશુપાલક ગુજરાત રાજ્યનો વતની હોવો જોઈએ.
  • પશુપાલક પાસે ગાય-ભેંસ કેમ પછી કોઈ અન્ય પશુ હોવા જોઈએ.
  • પશુપાલકોના ગાય-ભેંસ કે અન્ય પશુ ગાભણ હોવા જોઈએ.
  • જે પશુપાલકો SC/ST, OBC અને સામાન્ય જાતિમાં સમાવેશ થાય છે તેમને આ યોજનાનો લાભ મળશે.
  • પશુપાલક દૂધ મંડળીનો સભ્ય હોવો જોઈએ.
  • જે પશુપાલકોને આ યોજનાનો લાભ મેળવેલ નથી તેમને આ યોજનાનો લાભ આપવામાં આવશે.
  • વાર્ષિક પ્રતિ પશુ પ્રતિ પશુપાલક દીઠ એક વખત જ સહાય આપવામાં આવશે.

 

પશુ ખાણદાન સહાય યોજનામાં મળવાપાત્ર સહાય

અહીં Pashu Khandan Sahay Yojana હેઠળ મળતી સહાય વિવિધ જ્ઞાતિ મુજબ અલગ-અલગ હોય છે, જેની સંપૂર્ણ માહિતી નીચે મુજબ છે.

 

વિવિધ જ્ઞાતિના પશુપાલકો  મળવાપાત્ર સહાય 
DMS-1(અનુસૂચિત જન જાતિ) એસ.ટી જાતિના પશુપાલકો અનુસુચિત જન જાતિના પશુપાલક દીઠ કુલ 250 કિલોગ્રામ ખાણદાણ માટે 100% લેખે સહાય આપવામાં આવશે.
DMS-1(અનુસૂચિત.જાતિ ) એસસી. જાતિના પશુપાલકો અનુસુચિત જાતિના પશુપાલક દીઠ કુલ 250 કિલોગ્રામ ખાણદાણ માટે 100% લેખે સહાય આપવામાં આવશે.
DMS-1(સામાન્ય જાતિના ) સામાન્ય જાતિના પશુપાલકો સામાન્ય જાતિના પશુપાલક દીઠ કુલ 250 કિગ્રા ખાણદાણ માટે 100% લેખે સહાય આપવામાં આવશે.

 

પશુ ખાણદાન સહાય યોજનામાં અરજી કરવા માટે ક્યાં-ક્યા ડોક્યુમેન્‍ટ જોઈએ?

Pashu Khandan Sahay Yojana નો લાભ લેવા માટે ikhedut portal પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. જેના માટે નીચે મુજબના ડોક્યુમેન્ટની જરૂર રહેશે. ત્યારે જ તમે ફોર્મ ભરી શકશો.

 

  • પશુપાલકના આધારકાર્ડની નકલ
  • પશુપાલકના રેશનકાર્ડની નકલ
  • જો પશુપાલક એસ.સી જાતિનો હોય તો જાતિનું પ્રમાણપત્ર
  • જો પશુપાલક એસ.ટી જાતિનો હોય તો જાતિનું પ્રમાણપત્ર
  • જો ખેડૂત દિવ્યાંગ હોય તો દિવ્યાંગતા હોવા અંગેનું પ્રમાણપત્ર (જો દિવ્યાંગ હોય તો)
  • પશુપાલક કેટલા પશુઓ ધરાવો છે, તેવો દાખલો.
  • છેલ્લે કેટલા વર્ષમાં લાભ લીધો છે? તેની વિગત
  • દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની માહિતી (લાગુ પડતું હોય તો જ)
  • સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો (લાગુ પડતું હોય તો જ)
  • બેંક એકાઉન્ટ પાસબુક (બેંક એકાઉન્ટ આધારકાર્ડ સાથે લિંક હોવું જોઈએ.)
  • મોબાઈલ નંબર (ચાલુ હોય તેવો)

 

Pashu Khandan Sahay Yojana માં અરજી કેવી રીતે કરવી?

Pashu Khandan Sahay Yojana નો લાભ લેવા માટે i-khedut portal પર તમારે ઓનલાઇન અરજી કરવાની રહેશે, જેની સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે.

 

  • સૌપ્રથમ તમારે તમારા મોબાઈલ, કોમ્પ્યુટર કે કોઈપણ ડિવાઇસમાં Google ઓપન કરવાનું રહેશે.
  • હવે ગૂગલ સેર્ચમાં જઈને “ikhedut” ટાઈપ કરવાનું રહેશે.
  • હવે તમારી સામે ikhedut portal ની Official Website તમારી સામે આવશે.
  • હવે ikhedut portal ની Official Website ઓપન કરો.
  • હવે તમારી સામે આઈ ખેડૂત પોર્ટલ વેબસાઈટનું Home Page ખુલીને આવશે.
  • હવે હોમપેજ પર તમને ઉપર મેનુમાં “યોજના”  દેખાશે તેના પર ક્લિક કરવાની રહેશે.
  • હવે વેબસાઈટ પર યોજના પર ક્લિક કર્યા પછી તમારી સામે એક નવું પેજ ખૂલશે.
  • જેમાં તમારે “પશુપાલનની યોજનાઓ” પર ક્લિક કરવાનું રહેશે.
  • હવે “પશુપાલનની યોજનાઓ” ખોલ્યા બાદ “મફત 250 કિલોગ્રામ ખાણદાણ સહાય” યોજના પર ક્લિક કરીને આગળ પ્રક્રિયા ચાલુ રાખવાની રહેશે.
  • જેમાં “Pashu Khandan Sahay Yojana” યોજનામાં “અરજી કરો” તેના પર Click કરીને નવું પેજ ખોલવાની રહેશે.
  • હવે તમારે સામે એક નવું પેજ ખુલીને આવશે.
  • જો તમે આઈ-ખેડૂત પોર્ટલ પર પહેલા રજીસ્ટર કરેલું હોય તો “હા” સિલેટર કરવાનું રહેશે અને રજીસ્ટેશન નથી કર્યું તો “ના” કરવાનું રહેશે.
  • હવે ફરી તમારી સામે એક નવું પેજ ઓપન થશે.
  • આ પેજમાં તમને એક ફોર્મ જોવા મળશે.
  • હવે આ ફોર્મમાં તમારે માગ્યા મુજબની સંપૂર્ણ માહિતી ભરવાની રહેશે.
  • હવે ફોર્મ ભર્યા બાદ તે ફોર્મની ચકાસણી કર્યા બાદ “અરજી સેવ કરો” તેના પર ક્લિક કરવાનું રહેશે.
  • હવે ફરીથી ઓનલાઈન ભરેલી માહિતીની પૂરેપૂરી ચોક્ક્સાઈ કર્યા બાદ અરજી કન્ફોર્મ કરવાની રહેશે.
  • લાભાર્થી દ્વારા ઓનલાઈન અરજી એક વાર કન્‍ફર્મ કર્યા બાદ Application Number માં કોઈ સુધારો કે વધારો થશે નહિં.
  • ખેડૂત લાભાર્થીએ ઓનલાઈન અરજી કર્યા બાદ પોતાની અરજીની પ્રિ‍ન્‍ટ કઢાવાની રહેશે.
  • આ રીતે તમે ઓનલાઇન અરજી કરી શકો છો.

 

આ પણ વાંચો:-

કિસાન ક્રેડિટ કાર્ડ યોજના 2023

 

Pashu Khandan Sahay Yojana માં ઓનલાઇન અરજી કર્યા પછી શું?

આઈ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન અરજી કર્યા પછી ઓફલાઈન શું પ્રક્રિયા કરવાની રહેશે, તેની સંપૂર્ણ માહિતી નીચે મુજબ છે.

 

  • સૌ પ્રથમ ઓનલાઈન અરજી કર્યા બાદ તમને તમારી અરજીને તાલુકા અમલીકરણ અધિકારીશ્રી દ્વારા પૂર્વ મંજૂરી આપવામાં આવશે.
  • હવે જો તમારી અરજી મંજુર થશે તો તમને અરજીની જાણ SMS/ઈ-મેઈલ કે અન્ય વ્યવસ્થા દ્વારા તમને જાણ કરવામાં આવશે.
  • હવે લાભાર્થી ખેડૂતે ઓનલાઇન અરજી કર્યા પછી જે પ્રિન્ટ મળે છે તે અરજીપત્રકમાં સહી કરવાની રહેશે.
  • હવે સહી કરેલ તે પ્રિંટઆઉટ સાથે અહીં ઉપર લેખમાં આપેલા તમામ ડોક્યુમેન્ટ તે પ્રિંટઆઉટની સાથે જોડવાના રહેશે.
  • હવે આ તમામ ડોક્યુમેન્ટ તમારે તમારા ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી કે તાલુકા અમલીકરણ અધિકારીશ્રી પાસે જમા કરવાના રહેશે.
  • આ રીતે તમારી ઓનલાઇન અને ઓફલાઈન સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ થશે અને ખાણદાન આપવામાં આવશે.

 

પશુ ખાણદાન સહાય યોજનામાં અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

Pashu Khandan Sahay Yojana માં અરજી કરવા માટેની મહત્વપૂર્ણ તારીખો.

 

  • અરજી કરવાની શરૂઆતની તારીખ:- 01/05/2022
  • અરજી કરવાની છેલ્લી તારીખ :- 15/06/2023

 

Pashu Khandan Sahay Yojana હેલ્પલાઇન

ખેડૂત મિત્રો, અહીં અમે આ લેખમાં Pashu Khandan Sahay Yojana વિશે સંપૂર્ણ માહિતી આપી છે, પરંતુ તમને આ યોજના વિશે હજી પણ જો કોઈ પ્રશ્ન હોય તો તમે વધુ માહિતી માટે તમારા વિસ્તારના ગ્રામ સેવક, તમારા ગામના ડેરીના મંત્રી, તાલુકા કક્ષાએ વિસ્તરણ અધિકારી અથવા જિલ્લા કક્ષાએ “જિલ્લા પશુપાલક અધિકારીશ્રી” નો સંપર્ક કરીને, આ યોજના વિશે વધુ માહિતી મેળવી શકો છો.

 

પશુ ખાણદાન સહાય યોજના માટેની મહત્વપૂર્ણ લિંક

i-khedut portl  ની અધિકૃત વેબસાઇટ અહીં ક્લિક કરો.
એપ્લિકેશન સ્થિતિ અહીં ક્લિક કરો.
અરજીની પ્રિન્ટ માટે અહીં ક્લિક કરો.
ખેડૂત Whatsapp ગ્રુપમાં જોડાવો. અહીં ક્લિક કરો.

 

FAQs – વારંવાર પૂછાતા પ્રશ્નો

1.પશુ ખાણદાન સહાય યોજનાનો લાભ લેવા અરજી કઈ રીતે કરવી?

જવાબ:- પશુ ખાણદાન સહાય યોજનાનો લાભ લેવા માટે તમારે  આઈ-ખેડૂત પોર્ટલ ની વેબસાઈટ પરથી અરજી કરવાની રહેશે.

 

2.Pashu Khandan Sahay Yojana માં અરજી કરવાનો સમયગાળો કેટલો છે?

જવાબ:- અરજી કરવાની શરૂઆતની તારીખ:- 01/05/2022 અને અરજી કરવાની છેલ્લી તારીખ :- 15/06/2023 છે.

 

3.પશુ ખાણદાન સહાય યોજના ક્યાં વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે ?

જવાબ:- મફત 250 કિલોગ્રામ ખાણદાણ સહાય યોજના ગુજરાત રાજ્યના પશુપાલન વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે.

 

4.પશુ ખાણદાન સહાય યોજનામાં કેટલું ખાણદાન આપવામાં આવે છે?

જવાબ:- પશુપાલક દીઠ કુલ 250 કિલોગ્રામ ખાણદાણ માટે 100% લેખે સહાય આપવામાં આવશે.

પોસ્ટ શેર કરો:
           

Leave a Comment

Exit mobile version