સંકટ મોચન સહાય યોજના 2023 | Sankat Mochan Sahay Yojana

 

મારાં વ્હાલા ગુજરાતના મિત્રો આજના આ લેખમાં આપણે ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્રારા મહિલાઓ ના હિત માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે, જે માંથી આ એક છે, જેનું નામ છે, સંકટ મોચન સહાય યોજના.

 

તો ચાલો જાણીએ કે સંકટ મોચન સહાય યોજના શું છે?, સંકટ મોચન સહાય યોજનાનો હેતુ શું છે?, આ યોજનાનો લાભ કયા લોકોને મળશે?, આ યોજનામાં કેટલો લાભ મળશે?, આ યોજનામાં અરજી કરવા માટે કયા-કયા ડોક્યુમેન્ટ જોઈએ અને સંકટ મોચન સહાય યોજનામાં અરજી કેવી રીતે કરવી. આ તમામ માહિતી ગુજરાતી ભાષાંમાં જાણવા માંગો છો, તો આ લેખને અંત સુધી વાંચો.

 

 

સંકટ મોચન સહાય યોજના શું છે?

આપણે બધા જાણીએ છીએ કે જ્યારે પરિવારમાંથી કોઈ  મુખ્ય કમાઉ વ્યક્તિનું આકસ્મિક રીતે મૃત્યુ થઈ જાય છે. તેના પરિવાર પર એક દુઃખનો પહાડ તૂટી પડે છે. તેથી આ યોજના અંતર્ગત જો કોઈ વ્યક્તિનું આકસ્મિક અથવા કુદરતી રીતે અચાનક મૃત્યુ થઈ જાય તો તેમના પરિવારોને સહાય આપવામાં આવે છે. જેમાં તેમના પરિવારને રૂપિયા 20,000/- ની સહાય આપવામાં આવે છે. જેને રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના ના નામે પણ ઓળખવામાં આવે છે.

 

સંકટ મોચન સહાય યોજનાનો હેતુ શું?

Sankat Mochan Sahay Yojana ને ચાલુ કરવાનો મુખ્ય હેતુ જ્યારે આવા ગરીબ પરિવારોમાં તે પરિવારના મુખ્ય કમાઉ વ્યક્તિનું મૃત્યુ થાય છે. ત્યારે તે પરિવારની આર્થિક સ્થિતિ ખરાબ થઈ જાય છે. તેથી આવા સમયે તે પરિવારની આર્થિક સ્થિતિ ખરાબ ના થાય તે આ યોજનાનો મુખ્ય હેતુ છે.

 

સંકટ મોચન સહાય યોજનાનો લાભ કોને મળશે? (પાત્રતા અને શરતો)

જે પણ વ્યક્તિઓ આ યોજનાનો લાભ મેળવવા માંગે તેમના માટે ચોક્કસ પાત્રતાઓ નક્કી થયેલી છે. જો તે પાત્રતાનું પાલન તમારી સાથે થશે તે જ વિધવા મહિલાઓને  આ યોજનાનો લાભ મળશે? જે પાત્રતા નીચે મુજબ છે.

 

  • લાભાર્થી વ્યક્તિ ગુજરાત રાજ્યનો વતની હોવો જોઈએ.
  • પરિવારના મુખ્ય કમાઉ વ્યક્તિનું મૃત્યુ થયેલું હોવું જોઈએ.
  • જે વ્યક્તિ મૃત્યુ પામ્યો છે તેમની ઉંમર 18 વર્ષથી લઇને 60 વર્ષની વચ્ચેની હોવી જોઈએ.
  • આકસ્મિક તથા કુદરતી રીતે કોઈપણ પ્રકારે મૃત્યુ છે તે તમામ વ્યક્તિઓને આ સંકટ મોચન સહાય યોજનાનો લાભ મળશે.
  • કુટુંબના મુખ્ય કમાઉ વ્યક્તિ પુરુષ કે સ્ત્રીનું અકસ્માતમાં કે કુદરતી રીતે મૃત્યુ થાય અને તેમનું કુટુંબ BPL હેઠળ 0 થી 20 સ્કોર ધરાવતા હોય તે જ કુટુંબને સંકટમોચન યોજનાનો લાભ આપવામાં આવશે.(ગરીબી રેખા નીચે જીવતા તમામ પરિવાર)
  • પરિવારમાં મુખ્ય વ્યક્તિ માં સ્ત્રી અથવા પુરુષ બે માંથી કોઈપણ હોય.
  • સંકટ મોચન સહાય યોજના નો લાભ લેવા માટે જે વ્યક્તિનું મૃત્યુ થતું છે તે મુત્યુના સમયથી બે વર્ષની અંદર અરજી કરશે તેને આ યોજનાનો લાભ આપવામાં આવશે.

 

સંકટ મોચન સહાય યોજનામાં મળવાપાત્ર સહાય?

ગુજરાત સરકાર દ્વારા Sankat Mochan Sahay Yojana હેઠળ જો ગરીબ પરિવારના કુટુંબમાં કોઇ મુખ્ય કમાઉ વ્યક્તિનું આકસ્મિક અથવા કુદરતી રીતે મૃત્યુ થાય છે તો તેમને રૂપિયા 20,000/- ની સહાય આપવામાં આવે છે.

 

સંકટ મોચન સહાય યોજનામાં અરજી કરવા માટે ક્યાં-ક્યા ડોક્યુમેન્‍ટ જોઈએ.

Sankat Mochan Sahay Yojana નો લાભ લેવા માટે આ યોજનામાં તમારે અરજી કરવાની રહેશે. જેના માટે તમારે નીચે મુજબના ડોક્યુમેન્ટની જરૂર રહેશે. ત્યારે જ તમે ફોર્મ ભરી શકશો.

 

  • અરજદારનું આધારકાર્ડ
  • કુટુંબના મુખ્ય વ્યક્તિના મૃત્યુનું પ્રમાણપત્ર
  • મૃત્યુ પામેલા વ્યક્તિનું જન્મ પ્રમાણપત્ર/ જન્મ તારીખ નો દાખલો
  • લાભાર્થીના કુટુંબનું રેશનકાર્ડ
  • લાભાર્થીનું ચૂંટણી કાર્ડ – BPL Card (BPL હોવાનો દાખલો (0 થી 20 નો સ્કોર))
  • જો મૃત્યુ પામેલ વ્યક્તિ ની પોલીસ ફરિયાદ થઇ હોય તો પોલીસ સ્ટેશન માટે ની જરૂરી જાણકારી.

 

આ પણ વાંચો:-

તબેલા બનાવવા માટે લોન યોજના

 

સંકટ મોચન સહાય યોજના ફોર્મ pdf 2023

પ્રિય મિત્રો Sankat Mochan Sahay Yojana નું ફોર્મ તમે નીચે આપેલી વિવિધ જગાએથી મેળવી શકો છો અથવા નીચે આપેલ લિંક પરથી ડાઉનલોડ કરી શકો છો.

 

  • તમારા ગામના VCE જે ગ્રામ પંચાયતમાં કમ્પ્યુટર ઓપરેટર હોય છે તેના પાસે તમને આ યોજનાનું ફોર્મ મળી જશે.
  • તાલુકા કક્ષાએ મામલતદાર કચેરીના કોમ્પ્યુટર ઓપરેટર પાસેથી ફોર્મ મળી જશે.
  • Dijital Gujarat Portal પર પણ આ યોજના ફોર્મ મળી જશે.

 

સંકટ મોચન સહાય યોજનામાં અરજી કેવી રીતે કરવી?

Sankat Mochan Sahay Yojana માં તમારે ઓફલાઈન અને ઓનલાઇન બન્ને રીતે અરજી કરવાની રહેશે. જેની સંપૂર્ણ માહિતી નીચે મુજબ છે.

 

  • સૌ પ્રથમ તમારે આ યોજનાનું ફોર્મ મેળવવાનું રહેશે.
  • હવે આ તમારે આ ફોર્મમાં માગ્યા મુજબની તમામ માહિતી તમારે તે ફોર્મમાં ભરવાની રહેશે.
  • વિગતો ભર્યા બાદ તલાટીશ્રીના સહી-સિક્કા કરીને ખરાઈ કરવાની રહેશે. (જો જરૂરી હોય તો)
  • હવે તે ફોર્મમાં માહિતી ભર્યા બાદ તમારે તે ફોર્મની પાછળ ફોર્મમાં માગ્યા મુજબના તમામ ડોકયુમેન્ટ જોડવાના રહેશે.
  • હવે જો તમે ગ્રામ્ય વિસ્તારમાં રહો છો તો તમારે ફોર્મ લઈને તમારા ગામના VCE જે ગ્રામ પંચાયતમાં કમ્પ્યુટર ઓપરેટર હોય છે તેના પાસે જવાનું રહેશે.
  • હવે જો શહેરી વિસ્તારમાં રહો છો તો તમારે તાલુકા કક્ષાએ મામલતદાર કચેરીના કોમ્પ્યુટર ઓપરેટર પાસે ફોર્મ લઈને જવાનું રહેશે.
  • હવે તેમના દ્રારા ઓનલાઇન અરજી કરવામાં આવશે. જેની સંપૂર્ણ પ્રક્રિયા તેમના દ્રારા કરવામાં આવશે.
  • હવે ઓનલાઇન અરજી થઈ ગયા બાદ તમને આ અરજીની પ્રિન્ટ આપવામાં આવશે જે તમારે તમારી પાસે રાખવાની રહેશે.

 

ખાસ નોંધ:- સંકટ મોચન યોજનામાં અરજી કર્યા બાદ તે અરજીને મંજુર કે નામંજુર કરવાની સત્તા જે તે વિસ્તારના મામલતદારશ્રી પાસે હોય છે.

 

આ પણ વાંચો:-

વ્હાલી દીકરી યોજના 2023

 

સંકટ મોચન સહાય યોજના હેલ્પલાઈન નંબર 

પ્રિય મિત્રો અહીં અમે તમને Sankat Mochan Sahay Yojana વિશે સંપૂર્ણ માહિતી આપી છે. પરંતુ જો તમને આ યોજના વિશે કોઈપણ પ્રકારની સમસ્યા હોય કે આ યોજના વિશે વધુ માહિતી મેળવવી હોય તો તમે તમારા ગામના VCE જે ગ્રામ પંચાયતમાં કમ્પ્યુટર ઓપરેટર હોય છે તેના પાસે અથવા શહેરી વિસ્તારમાં રહો છો તો તમારે તાલુકા કક્ષાએ મામલતદાર કચેરીના કોમ્પ્યુટર ઓપરેટર પાસે જઈને માહિતી મેળવી શકો છો.

 

સંકટ મોચન સહાય યોજના માટેની મહત્વપૂર્ણ લિંકો

Sankat Mochan Sahay Yojana ની અધિકારીક વેબસાઈટ Dijital Gujarat Portal
ગુજરાત સરકાર અને ભારત સરકારની તમામ સરકારી યોજના વિશે જાણવા અમારા Whatsapp ગ્રુપ સાથે જોડાવો. અહીં ક્લિક કરો.
અમારી વેબસાઈટનું હોમ પેજ અહીં ક્લિક કરો.

 

FAQs – વારંવાર પુછાતા પ્રશ્રનો

1. સંકટ મોચન યોજના માં કેટલા રૂપિયા સહાય મળવા પાત્ર છે?

જવાબ :-  સંકટ મોચન યોજનામાં રૂપિયા 20,000/- ની સહાય મળવા પાત્ર છે.

2.સંકટ મોચન યોજનામાં મૃત્યુ પછી કેટલા સમયમાં અરજી કરવાની રહેશે.

જવાબ :- સંકટ મોચન યોજનામાં કુટુંબના મુખ્ય વ્યક્તિના મૃત્યુ થયાના 2 વર્ષની અંદર અરજી કરવાની રહેશે.

3.સંકટ મોચન યોજના લાભ મેળવવા માટે BPL Card સ્કોર કેટલો હોવો જોઈએ?

જવાબ :- સંકટ મોચન યોજનાનો લાભ મેળવવા માટે બીપીએલ સ્કોર 0 થી 20 નો હોવો જોઈએ.

4.સંકટ મોચન યોજના માટે અરજી કેવી રીતે કરવી?

જવાબ :- સંકટ મોચન યોજનાની અરજી Dijital Gujarat Portal પરથી ઓનલાઇન કરવાની રહેશે.

 

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું

Leave a Comment

Exit mobile version