માનવ ગરિમા યોજના | માનવ ગરિમા યોજના ફોર્મ | માનવ ગરિમા યોજના ઓનલાઇન ફોર્મ કેવી રીતે ભરવુ | Manav Garima Yojana | Samaj Kalyan Manav Garima Yojana | Manav Garima Yojana Online Form 2022
આજે આપણે “Social Justice And Empowerment Department Gujarat” દ્રારા ચલાવવામાં આવતી “માનવ ગરિમા યોજના” વિશે સંપૂર્ણ માહિતી જાણીશું. આ યોજનાનો લાભ કોને મળશે? આ યોજના હેઠળ કેટલી સહાય મળવાપાત્ર છે? આ યોજનાનો લાભ લેવા માટે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડેશે. તેની સંપૂર્ણ માહિતી નીચે મુજબ છે.
“Social Justice And Empowerment Department Gujarat” દ્રારા ચલાવવામાં આવતી “માનવ ગરિમા યોજના” હેઠળ ગુજરાતની જનતા નવા ધંધા અને રોજગાર માટે તક મળી રહે તે માટે સાધનો આપવામાં આવશે. આમ “માનવ ગરિમા યોજના” હેઠળ લોકોને અલગ-અલગ પ્રકારના સાધનો આપવામાં આવશે.
સમાજમાં આર્થિક રીતે પછાત વર્ગોના નાગરિકોને “માનવ ગરિમા યોજના” હેઠળ જુદા-જુદા સાધનો મેળવીને ધંધા કરીને સ્વરોજગારી મેળવી શકે તે હેતુથી આ યોજના ચાલુ કરવામાં આવી છે.
આ યોજનાના મહત્વના મુદ્દા:-
યોજનાનું નામ | માનવ ગરિમા યોજના | Manav Garima Yojana 2022 |
આર્ટિકની ભાષા | ગુજરાતી અને અંગ્રેજી |
વિભાગનું નામ | સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ |
આ યોજના હેઠળ મળવાપાત્ર સહાય | લાભાર્થીને અનુરૂપ ધંધા પ્રમાણે સાધન સહાય મળવાપાત્ર |
અરજી રીત કરવાની રીત | ઓનલાઇન |
ઓફિસિયલ વેબસાઈટ |
આ યોજનાનો લાભ કોને મળવાપાત્ર છે?
સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ અને વિકસિત જાતિ કલ્યાણ વિભાગ દ્રારા માનવ ગરિમા યોજનાનો લાભ લેવા માટે કેટલીક પાત્રતા નક્કી કરેલ છે. જે નીચે મુજબ છે.
- અરજદારની ઉંમર જાહેરાની તારીખે 18 વર્ષથી ઓછી નહીં અને 60 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
- આ યોજનાનો લાભ લેવા માટે ઓનલાઇન અરજી કરવાની રહશે.
- ઓનલાઇન અરજી દરમિયાન જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાનાં રહેશે. અધૂરી અરજી સ્વીકારવામાં નહીં આવે.
- આ યોજનાનો લાભ કુટુંબમાંથી એક જ વ્યક્તિને આ યોજનાનો લાભ મળવાપત્ર થશે.
- અગાઉના વર્ષોમાં લાભાર્થી કે તેમના કુટુંબના સભ્યોએ આ ખાતા દ્રારા કે ગુજરાત રાજ્યના અન્ય ખાતા, એજન્સી કે સંસ્થામાંથી આ પ્રકારની સહાય મેળવેલ ન હોવી જોઈએ.
માનવ ગરિમા યોજનામાં ઓનલાઇન અરજી કરવા માટે અરજદારે જરૂરી ડોક્યુમેન્ટ રજુ કરવાના રહેશે. જે નીચે મુજબ છે.
- અરજદારનું આધારકાર્ડ
- રેશનકાર્ડ
- રહેઠાણનો પુરાવો(જેમ કે વીજળી બિલ/લાઇસન્સ/ચૂંટણીકાર્ડ માંથી કોઈ પણ)
- અરજદારની વાર્ષિક આવકનો પ્રમાણપત્ર
- શાળા છોડ્યાંનું પ્રમાણપત્ર
- અનુભવ અંગેનું પ્રમાણપત્ર
- સ્વ-ઘોષણાપત્ર
- બાંહેધરી પત્રક
- અરજદારનો ફોટો
માનવ ગરિમા યોજનાનો લાભ લેવા માટે આવક મર્યાદા નક્કી થયેલ છે. જે નીચે મુજબ છે.
ગ્રામ્ય વિસ્તારના લાભાર્થીઓ માટે
- ગ્રામ્ય વિસ્તારના લાભાર્થીઓના કુટુંબની વાર્ષિક આવક 1,20,000/- વધુ હોવી જોઈએ નહીં.
શહેરી વિસ્તારના લાભાર્થીઓ માટે
- શહેરી વિસ્તારના લાભાર્થીઓના કુટુંબની વાર્ષિક આવક 1,50,000/- વધુ હોવી જોઈએ નહીં.
માનવ ગરિમા યોજના હેઠળ વ્યવસાય કરવા માટે અલગ-અલગ સાધનો સહાય સ્વરૂપે આપવમાં આવે છે.વ્યક્તિના રસ અને આવડતના આધારે અનુકૂળ ટૂલ કીટ આપવમાં આવશે. માનવ ગરિમા યોજના હેઠળ લાભાર્થીને વ્યવસાય કુલ-28 પ્રકારના સાધન ટૂલ કીટ આપવમાં આવશે. જે નીચે મુજબ છે.
- વાહન સર્વિસ અને રીપેરીંગ
- મોચીકામ
- દરજી કામ
- કડીયા કામ
- સેન્ટીંગ કામ
- ભરત કામ
- કુંભારીકામ
- ઇલેક્ટ્રિક એપ્લાયન્સીસ રીપેરીંગ
- ખેતીલક્ષી લુહારી
- વેલ્ડીગ કામ
- વિવિધ પ્રકારની ફેરી
- પ્લમ્બર
- બ્યુટી પાર્લર
- સુથારી કામ
- ધોબી કામ
- સાવરણી સૂપડા કામ
- દૂધ-દહીં વેચનાર માટેની ટૂલકીટ
- માછલી વેચનાર માટેની ટૂલકીટ
- પાપડ બનાવટના સાધનો
- અથાણા બનાવટ માટે સાધન
- ઠંડા પીણાં, ગરમ, વેચાણ
- મસાલા મિલ
- ફ્લોર મિલ
- પંચર કીટ
- રૂ ની દિવેટ બનાવવી
- મોબાઈલ રીપેરીંગ માટેની કીટ
- પેપર કપ અને ડીસ બનાવટ માટે સાધન
- હેર કટિંગ
- રસોઈકામ માટે પ્રેસર કુકર
ગુજરાત રાજ્યમાં નાણાકીય વર્ષ 2021 અને 2022 માં મંજુર થયેલ અરજીઓની સંખ્યા વધારે હતી. આ અરજીઓ લક્ષ્યાંક કરતા ખુબ જ વધારે હતી. તેથી સમાજ કલ્યાણ વિભાગ દ્રારા નિર્ધારિત લક્ષ્યાંકની મર્યાદાને ધ્યાંનમાં રાખીને “માનવ ગરિમા યોજનાનો” નો લાભ ગુજરાતના તમામ જિલ્લાઓમાં આપવામા આવતો નથી. “માનવ ગરિમા યોજનાનો” નો લાભ મળતા જિલ્લાઓ નીચે મુજબ છે.
સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના લોકો માટે ક્યાં જિલ્લામાં અરજી ફોર્મ ચાલુ થયેલ છે?
- વડોદરા
- છોટા ઉદેપુર
- ખેડા
- નર્મદા
- નવસારી
- પંચમહાલ
- સુરત
- તાપી
વિચરતી વિમુક્તિ જાતિના લોકો માટે ક્યાં જિલ્લામાં અરજી ફોર્મ ચાલુ થયેલ છે?
- ભરૂચ
- બોટાદ
- દેવભૂમિ દ્રારકા
- ખેડા
- પંચમહાલ
- પાટણ
- સાબરકાંઠા
- સુરત
માનવ ગરિમા યોજનાનો લાભ લેવા માટે લાભાર્થીએ E Samaj Kalyan Portal પર ઓનલાઇન અરજી કરવાની રહીશે. જે અરજદાર ઘરે બેઠા પણ પોતે જાતે અરજી કરી શકે છે. જે નીચે આપેલ માહિતી પ્રમાણે ઓનલાઇન અરજી કરી શકો છો.
- સૌ પ્રથમ Google Search માં જઈને “E Samaj Kalyan Portal” ટાઈપ કરવાનું રહેશે.
- “E Samaj Kalyan Portal” ટાઈપ કરયા પછી તમારી સામે “E Samaj Kalyan Portal” ની અધિકૃત વેબસાઈટ ખુલશે.
- જેમાં તમે જો અગાઉ કોઈપણ User ID બનાવેલ ન હોય તો “New User? Please Register Here!” પર ક્લિક કરવાનું રહેશે.
- હવે તમારે User Registration Detail માં તમામ વિગતો ભર્યા બાદ “Register” પર ક્લિક કરવાનું રહેશે.
- User Id બનાવ્યા બાદ Citizen Login માં તમારી User Id અને Password દ્રારા પર્સનલ પેજ ખોલવાનું રહેશે.
- લાભાર્થીઓએ પોતાની જાતિ મુજબની યોજનાઓ બતાવશે. જેમાંથી “માનવ ગરિમા યોજના” પસંદ કરવાની રહેશે.
- માનવ ગરિમા યોજનામાં ઓનલાઇન અરજીમાં માગ્યા મુજબની તમામ વ્યક્તિગત માહિતી ભરીને “save” કરીને પ્રોસેસ કરવાની રહેશે.
- ઓનલાઇન અરજીમાં હવે તમારે તમારા ઓરીજનલ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.
- તમામ સંપૂર્ણ માહિતી ભર્યા બાદ “Confirm Application” પર ક્લિક કરવાનું રહેશે.
- છેલ્લે, તમારે અરજી કન્ફોર્મ થયા બાદ માનવ ગરિમા યોજના ઓનલાઇન પ્રિન્ટ કાઢવાની રહશે.