PM Kisan Ekyc થયું છે કે નહીં? તે કેવી રીતે ચેક કરવું? | Check PM Kisan e-KYC Status

 

પ્રિય મિત્રો અહીં PM Kisan EKYC શું છે? અને PM Kisan EKYC કેવી રીતે કરવું. અને PM Kisan Ekyc થયું છે કે નહીં? તે કેવી રીતે ચેક કરવું? તેની સંપૂર્ણ માહિતી અહીં આપવામાં આવી છે, જો તમે આ માહિતી જાણવા માંગો છો, તો આ લેખમે અંત સુધી વાંચો.

 

PM Kisan Ekyc થયું છે કે નહીં? તે કેવી રીતે ચેક કરવું?

 

PM Kisan EKYC Online શું છે?

દેશના તમામ ખેડૂતોને આર્થિક સહાય મળી રહે તે માટે વિવિધ સરકારી યોજનાઓ ચાલુ કરવામાં આવી છે. જેમાં હાલમાં ભારત સરકારના ડીપાર્ટમેન્ટ ઓફ એગ્રીક્લચર એન્ડ ફાર્મર્સ વેલ્ફરઅ દ્રારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ચાલવામાં આવે છે.આ યોજના હેઠળ ખેડૂતને વાર્ષિક 6000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. જે કુલ ત્રણ હપ્તાઓમાં આપવામાં આવે છે. જેમાં તેમને એક હપ્તામાં 2000 હજાર રૂપિયા આપવામાં આવે છે. પરંતુ આ યોજનાની અંદર એક નવી જાહેરાત કરવામાં આવી છે. જેમાં જાહેરાત મુજબ દેશના તમામ ખેડૂતોને PM Kisan EKYC કરવું પડશે.

 

પીએમ કિસાન EKYC નહીં કરો તો શું થશે.

દેશના જે ખેડૂતો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મેળવતા હતા કે જેમને પોતાના ખાતામાં 3 હપ્તા આવતા હતા, તે જ્યાં સુધી પીએમ કિસાન EKYC નહીં કરાવે ત્યાં સુધી તેમના ખાતામાં આ હપ્તો આવશે નહીં. એટલે કે તેમને આ યોજનાનો લાભ મળતો બંધ થઈ જશે.

 

PM Kisan Ekyc કેવી રીતે કરવું?

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં ખેડુતો હવે ઘરે બેઠા પોતાના મોબાઈલ, લેપટોપ, કમ્પ્યુટર દ્રારા e-KYC કરી શકે છે. પરંતુ જો તમારો મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લિંક હોય તો PM Kisan EKYC Online માટે ભારત સરકાર દ્રારા નવી લિંક જાહેર કરવામાં આવી છે. તેમાં PM Kisan EKYC કેવી રીતે કરવું તેની Step by Step માહિતી નીચે આપેલી છે.

 

  • સૌથી પહેલાં ભારત સરકારના https://pmkisan.gov.in/ ની વેબસાઈટ પર જવાનુ રહેશે.
  • હવે તમારે સામે આ વેબસાઈટનું Home Page ખુલીને આવશે. જેમાં Farmer Corner નામનું એક અલગ વિભાગ ખુલીને આવશે. જેમાં વિવિધ ઓપ્શન હશે. જેમાં તમારે EKYC ઓપ્શન પર ક્લિક કરવાનું રહશે.
  • હવે તમારી સામે એક નવું પેજ ખુલશે, તેમાં તમારે તમારો આધારકાર્ડ નંબર માંગવામાં આવશે.
  • હવે તેમાં તમારો આધારકાર્ડ નંબર નાખીને Get Mobile OTP ઓપશન પર ક્લિક કરવાનું રહેશે.
  • હવે તમારા આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક હશે તે મોબાઈલ નંબર પર OTP આવશે તે બોક્ષમાં નાખવાનું રહેશે.
  • હવે ત્યારબાર Get Aadhar નામનું નવું ઑપ્શન દેખાશે, તેના પર ક્લિક કરો.
  • હવે ત્યારબાદ તમારા આધારકાર્ડ સાથે Link કરેલા મોબાઈલ નંબર પર ફરીથી OTP મોકલવામાં આવશે, જે OTP ને તમારે ત્યાં નાખવાનો રહેશે.
  • છેલ્લે તમારે Submit for Auth બટન પર ક્લિક કરીને વેરિફિકેશન કરવાનું રહેશે.
  • આ રીતે તમે પીએમ કિસાન EKYC કરી શકો છો.

 

PM Kisan Ekyc થયું છે કે નહીં? તે કેવી રીતે ચેક કરવું?

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ e-KYC કરાવવું ફરજીયાત છે. જે તમે ઘરે બેઠા પોતાના મોબાઇલ દ્રારા પણ કરી શકો છો. કે પછી તમારા નજીકના CSC સેન્ટર પર જઈને કરાવી શકો છો. જો તમે PM Kisan Ekyc થયું છે કે નહીં? તે કેવી રીતે ચેક કરવું?, તેની સંપૂર્ણ માહિતી નીચે મુજબ છે.

 

  • સૌ પહેલા તમારે Google માં જઈને સેર્ચમાં જઈને PM Kisan Website ટાઈપ કરવાનું રહેશે.
  • ત્યાર પછી, પીએમ કિસાનની ઓફિશીયલ વેબસાઈટ ખુલશે.
  • ત્યાર પછી Farmer Corner માં જઈને e-KYC કરવાનું રહેશે.
  • હવે નવું પેજ ખુલશે, જેમાં તમે Adhar OTP e-KYC કરી શકો છો.
  • આગળની પ્રોસેસમાં તમારે Aadhar Number દાખલ કરીને “Search” પર ક્લિક કરો.
  • તમારો આધારકાર્ડ નંબર નાખીને Search કર્યા બાદ Aadhar Register Mobile દાખલ કરવાનો રહેશે.
  • ત્યાર પછી તમારે Get Mobile OTP બટન પર ક્લિક કરવાનું રહેશે.
  • જો તમે અગાઉ e-KYC કરેલ હશે તો, “e-KYC is already done on PM-Kisan Portal” નો મેસેજ આવશે.

 

PM Kisan Ekyc Online મહત્વપૂર્ણ લિંક

Check PM Kisan e-KYC Status -PM Kisan Ekyc થયું છે કે નહીં? તે કેવી રીતે ચેક કરવું? અહીં ક્લિક કરો.
ગુજરાત સરકાર અને ભારત સરકારની તમામ સરકારી યોજના વિશે જાણવા અમારા Whatsapp ગ્રુપ સાથે જોડાવો. અહીં ક્લિક કરો.
અમારી વેબસાઈટનું હોમ પેજ અહીં ક્લિક કરો.

 

પોસ્ટ શેર કરો:
           

Leave a Comment