ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય યોજના 2023 | Indira Gandhi National Old Age Pension Yojana

ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્રારા લોકોના હિત માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે, જે માંથી આ એક છે, જેનું નામ છે, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય યોજના.

તો ચાલો જાણીએ કે ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય યોજના શું છે?, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય યોજનાનો હેતુ શું છે?, આ યોજનાનો લાભ કયા લોકોને મળશે?, આ યોજનામાં કેટલો લાભ મળશે?, આ યોજનામાં અરજી કરવા માટે કયા-કયા ડોક્યુમેન્ટ જોઈએ અને ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય યોજનામાં અરજી કેવી રીતે કરવી. આ તમામ માહિતી ગુજરાતી ભાષાંમાં જાણવા માંગો છો, તો આ લેખને અંત સુધી વાંચો.


Contents hide

ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય યોજના શું છે?

ભારતીય સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા વર્ષ 2007 માં ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃધ્ધ સહાય યોજના એટલે વયવંદના યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. આ યોજનાને સમગ્ર ભારતમાં ચલાવવામાં આવે છે. પરંતુ આ યોજનાને ગુજરાત રાજ્યમાં 2008 થી અમલ શરૂ કરવામાં આવી હતી. આ યોજનાને સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના નિયંત્રણ હેઠળના સમાજ સુરક્ષા વિભાગ દ્વારા કરવામાં આવે છે.

આ યોજનામાં ગુજરાત રાજ્યના ગ્રામ્ય વિસ્તારમાં રહેતો હોય તથા ગરીબી રેખા હેઠળ બી.પી.એલ (BPL) યાદીમાં 0 થી 20 નો સ્કોર ધરાવતા તેવા ૬૦ વર્ષથી વધુના વૃદ્ધ લોકોને આ Indira Gandhi National Old Age Pension Yojana હેઠળ પેંશન આપવામાં આવશે.


ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય યોજનાનો ઉદ્દેશ્ય શું?

ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય યોજનાને ચાલુ કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય આજના આ સમયમાં વૃદ્ધ લોકોને સમાજમાં સારી રીતે સન્માન મળી રહે અને પોતાના વૃદ્ધાવસ્થા સમયમાં પોતનાને આ યોજના હેઠળ પેંશન મળી રહે જેથી પોતાનું જીવન સારી રીતે જીવી શકે. જેથી તેમને કોઈના પર નિર્ભરના રહેવું પડે.


ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય યોજનાનો લાભ કયા લોકોને મળશે? (પાત્રતા અને શરતો)

દેશના જે પણ વૃદ્ધ લોકો આ યોજનાનો લાભ મેળવવા માંગે તેમના માટે ચોક્કસ પાત્રતાઓ નક્કી થયેલી છે. જો તે પાત્રતાનું પાલન તમારી સાથે થશે તે વૃદ્ધ લોકોને જ આ યોજનાનો લાભ મળશે? જે પાત્રતા નીચે મુજબ છે.

  • આ યોજનાનો લાભ રાજ્યના નિરાધાર વૃદ્ધોને મળશે.
  • અરજદારની વૃદ્ધની ઉંમર ૬૦ વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ.
  • અરજદાર ગ્રામ્ય વિસ્તારમાં રહેતો હોય તથા ગરીબી રેખા હેઠળ બી.પી.એલ (BPL) યાદીમાં 0 થી 20 નો સ્કોરમાં સમાવેશ થતો હોવો જોઈએ.
  • શહેરી વિસ્તારના વૃદ્વ અરજદારોને કેન્દ્ર સરકારના અર્બન હાઉસિંગ અને પ્રોપર્ટી એલીવેશન મંત્રાલયના ગરીબી નિવારણ કાર્યક્રમોના સંદર્ભમાં તૈયાર કરવામાં આવતી બી.પી.એલ (BPL) યાદીમાં સમાવેશ થતો હોવો જોઈએ.
  • ગ્રામીણ વિસ્તરમાં રહેતા વૃદ્ધ વ્યક્તિની વાર્ષિક આવક 1,20,000 લાખ રૂપિયા હોવી જોઈએ.
  • શહેરી વિસ્તરમાં રહેતા વૃદ્ધ વ્યક્તિની વાર્ષિક આવક 1,50,000 લાખ રૂપિયા હોવી જોઈએ.

ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય યોજનામાં મળવાપાત્ર લાભ

ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય યોજના હેઠળ મળવાપાત્ર સહાય બે જુદી-જુદી રીતે મળે છે, જેની માહિતી નીચે મુજબ છે.

  • આ યોજના હેઠક 60 વર્ષ થી 79 વર્ષના વૃદ્ધોને દર મહિને રૂપિયા 750 ની સહાય આપવામાં આવશે.
  • આ યોજના હેઠક 80 વર્ષથી વધુના વૃદ્ધોને દર મહિને રૂપિયા 1000  ની સહાય આપવામાં આવશે.
  • આ યોજના હેઠળ મળતી સહાય સીધી તે વૃદ્ધ વ્યક્તિના બેંક એકાઉન્ટમાં આપવામાં આવશે.

ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય યોજનામાં અરજી કરવા માટે ક્યાં-ક્યા ડોક્યુમેન્‍ટ જોઈએ?

Indira Gandhi National Old Age Pension Yojana નો લાભ લેવા માટે આ યોજનામાં તમારે અરજી કરવાની રહેશે. જેના માટે તમારે નીચે મુજબના ડોક્યુમેન્ટની જરૂર રહેશે. ત્યારે જ તમે ફોર્મ ભરી શકશો.

  • ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય યોજનાનું ફોર્મ (ક્યાંથી મળશે તેની માહિતી નીચે આપેલ છે)
  • લાભાર્થીનું આધાર કાર્ડ
  • સરનામાનો પુરાવો
  • ઉંમરનું પ્રમાણપત્ર
  • બેંક ખાતાની પાસબુક
  • મોબાઈલ નંબર (જે મોબાઈલ નંબર તમારા આધાર સાથે લિંક હોવો જોઈએ)
  • લાભાર્થીનો પાસપોર્ટ સાઇઝનો ફોટો

ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય યોજના


ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય યોજના ફોર્મ

જો તમે Indira Gandhi National Old Age Pension Yojana માં અરજી કરવા માંગો છો, તો તમારે તેના માટે અરજી ફોર્મની જરૂર રહેશે. જે અરજી ફોર્મ તમે નીચે આપેલ લિંક પરથી ડાઉનલોડ કરી શકો છો. અથવા નીચે આપેલ જગ્યાઓ પરથી મેળવી શકો છો.

  • જિલ્લા કલેક્ટર કચેરીમાંથી.
  • પ્રાન્ત કચેરીમાંથી.
  • તાલુકા મામલતદાર કચેરી તેમજ જન સેવા કેન્‍દ્રમાંથી.
  • ગ્રામ પંચાયત કેન્દ્રના V.E.C કો. ઓપરેટર પાસેથી ફોર્મ મેળવી શકો છો.
  • તમે Digital Gujarat online Portal પર જઈને તમે ઓનલાઇન અરજી કરી શકીએ છીએ.
  • ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય યોજના અરજી ફોર્મ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.

ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય યોજનામાં અરજી કેવી રીતે કરવી?

Indira Gandhi National Old Age Pension Yojana માં તમારે ઓફલાઈન અરજી કરવાની રહેશે. જેની સંપૂર્ણ માહિતી નીચે મુજબ છે.

  • સૌ પ્રથમ આ યોજનામાં અરજી કરવા માટે તમારે ઉપર આપેલ અરજી ફોર્મ ભરવાનું રહેશે.
  • હવે આ અરજી ફોર્મ ભર્યા પછી તમારે તે અરજી ફોર્મ સાથે ઉપર આપેલા ડોક્યુમેન્ટ જોડવાના રહેશે.
  • હવે તે અરજી ફોર્મ લઈને તમે તમારા ગ્રામ પંચાયત બેસતા V.C પાસે જઈને ઓનલાઇન અરજી કરવવાની રહેશે.
  • જો તમારા ગામમાં આ સેવાઓ ઉપલબ્ધ હોય કે ઉપલબ્ધ ન હોય તો તેવા સંજોગોમાં તમે તમારા તાલુકા મામલતદારશ્રીની કચેરી, જનસેવા કેન્‍દ્રો કે ATVT કેન્‍દ્રો ખાતે જઈને “ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃધ્ધ પેન્‍શન યોજના” માટે ડિજીટલ ગુજરાત પોર્ટલ ઓનલાઈન અરજી કરાવી શકો છો.
  • આ રીતે તમે આ યોજનામાં અરજી કરી શકો છો.

આ પણ વાંચો:-

અટલ પેન્શન યોજના વિશે જાણો સંપૂર્ણ જાણકારી.


ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય યોજના હેલ્પલાઇન

પ્રિય મિત્રો અહીં અમે તમને ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય યોજના વિશે સંપૂર્ણ માહિતી વિસ્તારપૂર્વક આપી છે. પરંતુ જો હજુ તમને આ યોજના વિશે કોઈપણ પ્રકારનો પ્રશ્ન હોય તો તમે તાલુકા મામલતદારશ્રીની કચેરી, જનસેવા કેન્‍દ્રો, તમારા ગામના V.C કે ATVT કેન્‍દ્રો ખાતે જઈને આ યોજના વિશે વધુ માહિતી મેળવી શકો છો.


ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય યોજના માટેની મહત્વપૂર્ણ લિંકો

ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય યોજનાની અધિકારીક વેબસાઈટ અહીં ક્લિક કરો.
ગુજરાત સરકાર અને ભારત સરકારની તમામ સરકારી યોજના વિશે જાણવા અમારા Whatsapp ગ્રુપ સાથે જોડાવો. અહીં ક્લિક કરો.
અમારી વેબસાઈટનું હોમ પેજ અહીં ક્લિક કરો.

FAQs – વારંવાર પૂછાતા પ્રશ્નો

1.ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય યોજના નો લાભ કોને મળે છે?

જવાબ :- આ યોજનાનો લાભ ગરીબી રેખા નીચે જીવન જીવતા વૃદ્ધ વ્યક્તિ કે જેમની ઉંમર ૬૦ વર્ષથી વધુ છે. તેમને આ યોજનાનો લાભ મળશે.

2.ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય યોજનામાં કેટલી પેંશન આપવામાં આવે છે?

જવાબ :- આ યોજના હેઠક 60 વર્ષ થી 79 વર્ષના વૃદ્ધોને દર મહિને રૂપિયા 750 ની સહાય આપવામાં આવશે અને 80 વર્ષથી વધુના વૃદ્ધોને દર મહિને રૂપિયા 1000  ની સહાય આપવામાં આવશે.

3.ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય યોજનામાં અરજી કેવી રીતે કરવી?

જવાબ :- આ યોજનામાં અરજી કરવા માટે તમારે ઉપર આપેલ અરજી પ્રક્રિયા મુજબ અરજી કરવાની રહેશે.

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું

Leave a Comment