Jatino Dakhlo : જાતિનો દાખલો કેવી રીતે કઢાવવો?, ફોર્મ, ડોક્યુમેન્ટ , ઓનલાઇન અરજી પ્રક્રિયા, જાણો સંપૂર્ણ જાણકારી

 

અત્યારના સમયમાં જાતિનો દાખલો નું ખૂબ જ મહત્વ વધી ગયું છે. કારણે કે કોઈપણ સરકારી કચેરી કે અન્ય કોઈ પણ જગ્યાએ જઈએ છીએ, ત્યારે વારંવાર જાતિના દાખલાની જરૂર પડતી હોય છે.

 

મિત્રો આજના આ લેખમાં આપણે જાણીશું કે, જાતિનો દાખલો શા માટે જરૂરી છે?, જાતિના દાખલાની જરૂર કયા પડે છે?, જાતિનો દાખલો કઢાવવા માટે કયા ડોકયુમેન્ટ જોઈએ?, જાતિના દાખલો કઢાવવા માટે ફોર્મ ક્યાંથી મેળવવું? અને ઓફલાઈન અને ઓનલાઇન જાતિનો દાખલો કેવી રીતે કઢાવવો. આ તમામ પ્રક્રિયા જાણવા માંગો છો. તો આ લેખને અંત સુધી વાંચો.


જાતિનો દાખલો


જાતિનો દાખલો શા માટે જરૂરી છે?

આપણ ભારતમાં દેશમાં કોઈપણ વ્યક્તિની ઓળખાણ તેના જાતિ અને સમુદાય પરથી કરવામાં આવે છે. એટલે કે આપણા ભારતમાં જાતિના દાખલાનું ખુબ જ મહત્વ છે. કારણ કે કોઈ પણ સરકારી ભરતી, સરકારી યોજનાઓ કે કોઈ પણ શિક્ષણ સંસ્થામાં એડમિશન લેતી વખતે અથવા કોઈપણ અન્ય જગ્યાએ જાતિનો દાખલો સૌથી પહેલા માંગે છે.

ભારતમાં દરેક વ્યક્તિ અલગ અલગ કેટેગરી પ્રમાણે તેની ઓળખાણ કરવામાં આવે છે. જેમાં ભારત સરકાર દ્વારા જાતિ પ્રમાણપત્રને ત્રણ ભાગમાં વેચવામાં આવેલ છે. જેમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગના લોકોનો સમાવેશ થાય છે.

જ્યારે કોઈ પણ કેટેગરીનો વ્યક્તિ કોઈપણ લાભ મેળવવા માંગે છે ત્યારે તે કઈ કેટેગરીનો છે. તેનું પ્રમાણપત્ર રજૂ કરવાનું હોય છે એટલે તે વ્યક્તિને પોતાની જાતિ પ્રમાણે લાભ આપવામાં આવે છે.


જાતિના દાખલાની જરૂર કયા પડે છે?

  • કોઈપણ સરકારી યોજનાઓ નો લાભ લેવા માટે જાતિનો દાખલો જરૂરી છે.
  • કોઈ પણ સ્કૂલ અથવા કોલેજમાં કેટેગરી પ્રમાણે ફી મા રાહત મળતી હોય છે જેનો લાભ મેળવવા જાતિનું પ્રમાણપત્ર જરૂરી રહે છે.
  •  સરકાર દ્વારા મળતી વિવિધ પ્રકારની શિષ્યવૃત્તિનો લાભ મેળવવા માટે જાતિનો દાખલો જરૂરી છે.
  • કોઈપણ શૈક્ષણિક સંસ્થા અથવા સરકારી સંસ્થામાં અનામત કોટાની સીટો પર એડમિશન લેવા માટે જાતિ નો દાખલો જરૂરી રહે છે.
  • ગ્રામ પંચાયત, જિલ્લા પંચાયત કે વિધાનસભાની અનામત બેઠકો માટે જાતિનું પ્રમાણપત્ર જરૂરી છે.
  • આમ ભારતમાં દરેક જગ્યાએ અનામત કોટા નો લાભ મેળવવા માટે પ્રમાણ પત્ર જરૂરી છે.

જાતિનો દાખલો કઢાવવા માટે કયા ડોકયુમેન્ટ જોઈએ?

જે મિત્રોએ પોતાનું જાતિનું પ્રમાણપત્ર કઢાવવાનુ છે તેમને મુજબના પુરાવા રજૂ કરવાના રહેશ. જે લોકો જાતિનું પ્રમાણપત્ર કઢાવવા માટે ઓનલાઇન અરજી કરે છે તેમને નીચેના ડોક્યુમેન્ટ ઓરીજનલ કોપી સ્કેન કરી અપલોડ કરવાના રહેશે અને જે લોકો ઓફલાઈન અરજી કરે છે, તેમને ડોક્યુમેન્ટ ની નકલ જાતિના ફોર્મ સાથે જોડી જમા કરાવવાની રહેશે.

  • આધારકાર્ડની નકલ.
  • રેશનકાર્ડની નકલ.
  • રહેઠાણ અંગેનો પુરાવો. – (મિલ્કત/મકાનમાં ખરીદીનો દસ્તાવેજ, ટેલીફોન બીલ/ મોબાઈલ ફોનનું બીલ) – આ માંથી કોઈપણ એક.
  • શાળા છોડયાનું પ્રમાણપત્ર.
  • જાતિ અંગેનો દાખલો.
  • સંબંધનો પુરાવો (પપ્પા/મમ્મી/ભાઈ/બહેન – કોઈપણ એકનું શાળા છોડયાનું પ્રમાણપત્ર).
  • 50 ના સ્ટેમ્પ ઉપર સોગંદનામુ.
  • પેઠીનામું (તલાટી પાસેથી મેળવવું).
  • ST કેટેગરીના ઉમેદવારોએ 73 AA નોંધ અથવા 61 ની નોધ ની નકલ રજૂ કરવી ફરજિયાત છે.
  • પાસપોર્ટ સાઇઝના બે ફોટા.
  • જાતિના દાખલા માટેનું ફોર્મ – (લિંક નીચે આપેલ છે.)

જાતિના દાખલો કઢાવવા માટે ફોર્મ ક્યાંથી મેળવવું?

મિત્રો અહીં નીચે જાતિના દાખલા માટે ફોર્મની લિંક નીચે આપેલ છે. જેમાં obc/sebc certificate form Gujarat pdf, અનુસૂચિત જાતિ પ્રમાણપત્ર ફોર્મ pdf, st caste certificate Gujarat form, SC caste certificate form વગેરે ફોર્મ આપેલ છે. જે તમે નીચે આપેલ લિન્ક દ્વારા ડાઉનલોડ કરી શકો છો. અથવા જે તે csc સેન્ટર અથવા તમારા તાલુકાના જનસેવા કેન્દ્ર પરથી મેળવી શકો છો.


જાતિનો દાખલો કઢાવવા માટે ઓફલાઈન અરજી કેવી રીતે કરવી.

  • સૌ પહેલા તમારે જાતિનો દાખલો માટેનું ફોર્મ મેળવવાનું રહેશે અને તેમાં માગ્યા મુજબની તમામા માહિતી ભરવાની રહેશે.
  • હવે તમારે પેઠીનામું મેળવવા માટે 50 ના સ્ટેમ્પ પર સોગંદનામુ કરાવવાનું રહેશે. અને તેને તે ફોર્મ પાછળ જોડવાનુ રહેશે.
  • હવે કુટુંબના જે સભ્યને જાતિનો નો દાખલો ફોર્મ સાથે જોડવાનો છે તેનું નામ પેઢીનામા સાથે મળતું હોવું જરૂરી છે.
  • હવે તે ફોર્મ સાથે બાકીના ડોક્યુમેન્ટ સાથે જોડી મામલતદાર કચેરી ખાતે જાતિના પ્રમાણપત્ર ના ફોર્મ ને જમા કરવાનો રહેશે.
  • તમે જયારે મામલતદાર કચેરીમાં ફોર્મ જમા કરાવવા જાઓ છો ત્યારે મામલતદાર કચેરીની A.T.V.T શાખામાં તમારો ફોટો પડાવાનો રહેશે.
  • ત્યારબાદ 1 કે 2 દિવસમાં તમારો જાતિનું પ્રમાણપત્ર આવી જશે. તમે રૂબરૂ જઈ મેળવી શકો છો.

જાતિનો દાખલો કઢાવવા માટેની ઓનલાઇન અરજી કેવી રીતે કરવી.

જો તમે મામલતદાર કચેરીના ધક્કા ના ખાવા માગતા હોવ અને ઘરે બેઠા જાતિના દાખલા માટે ઓનલાઈન કઢાવવા માગતા હોવ, તો નીચે આપેલ પ્રક્રિયાને ફોલો કરીને જાતિનો દાખલા માટે ઓનલાઇન અરજી કરી શકો છો.

  •  સૌ પ્રથમ તમે ગુજરાત સરકારના ડિજિટલ ગુજરાત પોર્ટલ (Dijital Gujarat Portal) પર જાઓ.
  • ત્યારબાદ તમારી સામે “Dijital Gujarat Portal” પર હોમપેજ ખુલશે.
  • હવે હોમપેજ પર “Login” બટન દેખાશે તેના પર ક્લિક કરો.
  • જો તમે અગાઉ ડિજિટલ ગુજરાત પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન ના કરેલો તો સૌપ્રથમ તમારે “New Registration” ઉપર ક્લિક કરી. તમારું રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
  • જેમાં તમારો મોબાઈલ નંબર, ઇ-મેલ અને પાસવર્ડ નાખી, તમારા મોબાઇલમાં “OTP” આવશે. તે નાખી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
  • હવે લોગીન કર્યા બાદ તમને “Request a New Service” નામનું બટન જોવા મળશે તેના ઉપર ક્લિક કરો.
  • હવે તમારી સામે એક નવું પેજ ખુલશે જેમાં અલગ અલગ સેવાઓ જોવા મળશે, જેમાં Filter Service માં “Caste Certificate” ઓપ્શન જોવા મળશે તેના પર ક્લિક કરો.
  • હવે તમે “Caste Certificate List” માંથી કઈ જ્ઞાતિ નું પ્રમાણપત્ર મેળવવા માંગો છો, અથવા તમે કઈ જ્ઞાતિના છો. તેના પર ક્લિક કરો.
  • હવે તમારી સામે બે ઓપ્શન જોવા મળશે.
  • જેમાં “Download Form” પર ક્લિક કરીને તમે Caste Certificate નું ફોર્મ ડાઉનલોડ કરી શકો છો. અને જેમાં બીજું “Apply Online” બટન હશે જેના પર ક્લિક કરો.
  • હવે તમારી સામે એક ફોર્મ ખુલશે જે ફોર્મમાં માગ્યા મુજબ તમામ માહિતી ભરો અને જરૂરી ડૉક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે તમારા અરજી ફોર્મ ને સેવ કરી ને છેલ્લે ઓનલાઈન પેમેન્ટ માટે બે ઓપ્શન આવશે જેમાં તમે તમારા E-Wallet ના મદદથી અથવા Net Banking ની મદદ થી ઓનલાઇન પેમેન્ટ ચુકવણી કરી શકશો.
  • હવે છેલ્લે તમારું જાતિનો દાખલો કઢાવવા માટે ફોર્મ ને “Submit” બટન પર ક્લિક કરી ફોર્મ ને સબમિટ કરો.
  • આ રીતે તમે ઘરે બેઠા ઓનલાઇન અરજી કરી શકો છો.

Jatino Dakhlo માટેની મહત્વપૂર્ણ લિંક

ડિજિટલ ગુજરાત પોર્ટલ અહીં ક્લિક કરો.
આવી માહિતી જાણવા માટે Whatsapp ગ્રુપમાં જોડાવો. અહીં ક્લિક કરો.
અમારી વેબસાઈટનું હોમ પેજ અહીં ક્લિક કરો.

FAQs – વારંવાર પૂછાતા પ્રશ્નો

1.જાતિના દાખલા નું ફોર્મ ક્યાથી મેળવવું ?

જવાબ:- Jatino Dakhla નું ફોર્મ તમે ડિજિટલ ગુજરાત પોર્ટલ પરથી અથવા મામલતદાર કચેરી ખાતેથી મેળવી શકો છો.

 

2.જાતિના દાખલા માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?

જવાબ:- Dijital Gujarat Portal પર જઈને ઓનલાઇન અરજી કરવાની રહેશે.

 

3.Jatino Dakhlo કઢાવવા માટે કેટલી ફ્રી ભરવાની હોય છે?

જવાબ:- માત્ર 20/- રૂપિયા.


પ્રિય મિત્રો અહીં અમે તમને Jatino Dakhlo કેવી રીતે કઢાવવો તેના વિશે સંપૂર્ણ માહિત આપી છે. સાથે અમે આશા રાખીએ છીએ કે, તમને આ લેખ સારો લાગ્યો હશે. પરંતુ મિત્રો જો તમને Jatino Dakhlo કેવી રીતે કાઢવવો તેના વિશે વધુ માહિતી જોઈએ છે. તો તમે તમારી નજીકની મામલતદારની કચેરીમાં જઈને માહિતી મેળવી શકો છો.

પોસ્ટ શેર કરો:
           

Leave a Comment