નેટહાઉસ નળાકાર સ્ટ્રક્ચર સહાય યોજના | Net House Structure Sahay Yojana 2023

 

નેટહાઉસ નળાકાર સ્ટ્રક્ચર સહાય યોજના | Net House Structure Sahay Yojana 2023 | નેટહાઉસ યોજના | ikhedut Portal | આઈ-ખેડૂત પોર્ટલ

 

મારાં વ્હાલા ખેડૂત મિત્રો આજના આ લેખમાં આપણે ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ખેડૂતો માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે, જે માંથી આ એક છે, નેટહાઉસ નળાકાર સ્ટ્રક્ચર સહાય યોજના. તો ચાલો જાણીએ કે નેટહાઉસ નળાકાર સ્ટ્રક્ચર સહાય યોજના શું છે?, નેટહાઉસ નળાકાર સ્ટ્રક્ચર સહાય યોજના ઉદ્દેશ્ય શું છે?, આ યોજનાનો લાભ કયા ખેડૂતોને મળશે?, આ યોજનામાં કેટલો લાભ મળશે?, આ યોજનામાં અરજી કરવા માટે કયા-કયા ડોક્યુમેન્ટ જોઈએ અને નેટહાઉસ નળાકાર સ્ટ્રક્ચર સહાય યોજનામાં અરજી કેવી રીતે કરવી. આ તમામ માહિતી ગુજરાતી ભાષાંમાં જાણવા માંગો છો, તો આ લેખને અંત સુધી વાંચો.

 

Net House Structure Sahay Yojana 2023
Net House Structure Sahay Yojana 2023

 

Contents hide

નેટહાઉસ નળાકાર સ્ટ્રક્ચર સહાય યોજના શું છે?

આઈ ખેડૂત પોર્ટલ પર ચાલતી નેટહાઉસ નળાકાર સ્ટ્રક્ચર સહાય યોજના હેઠળ ગુજરાતના ખેડૂત ભાઈઓને નેટહાઉસ પધ્ધતિ દ્વારા ખેતી કરવા માટે નેટહાઉસ નળાકાર સ્ટ્રક્ચર બનાવવા માટે આ યોજના હેઠળ સહાય આપવામાં આવશે.

 

નેટહાઉસ નળાકાર સ્ટ્રક્ચર સહાય યોજનાનો ઉદ્દેશ્ય શું?

હાલના આ સમયમાં વારંવાર પલટાતા વાતાવરણમાં ખેડૂતો નેટહાઉસ પધ્ધતિથી પ્રતિકૂલ વાતાવરણમાં ખેતી કરીને વધુ ઉત્પાદન મેળવી શકે તે માટે સરકાર દ્વારા નેટહાઉસ પધ્ધતિ દ્વારા ખેતી કરે તે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય છે.

 

નેટહાઉસ નળાકાર સ્ટ્રક્ચર સહાય યોજના હેઠળ કયા ખેડૂતોને લાભ મળશે? (પાત્રતા અને શરતો)

રાજ્યના નેટહાઉસ નળાકાર સ્ટ્રક્ચર સહાય યોજના મેળવવા માટે તેની ચોક્કસ પાત્રતાઓ નક્કી થયેલી છે. જો તે પાત્રતાનું પાલન તમારી સાથે થશે તે ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે? જે પાત્રતા નીચે મુજબ છે.

 

  • આ યોજનાનો લાભ સામાન્ય જાતિના ખેડૂતોને ,અનુસુચિત જાતિ ખેડૂતોને અને અનુસુચિત જનજાતિના ખેડૂતોને જ મળશે.
  • આ યોજનાનો લાભ ખેડૂતોને ફક્ત એક જ વખત મળશે.
  • ખેડૂતને નેટહાઉસ નળાકાર સ્ટ્રક્ચર પ્રોજેક્ટ બેઝ- MIDHની ગાઇડ્લાઇન મુજબ એમ્પેનલ થયેલ કંપનીઓ દ્વારા બનાવવાનું રહેશે.
  • લાભાર્થી દીઠ 2 હે. ની મર્યાદામાં સહાય મળવા પાત્ર છે.
  • લાભાર્થી દીઠ વધુમાં વધુ 4૦૦૦ ચો.મી. ની મર્યાદામાં સહાય મળવા પાત્ર છે.

 

નેટહાઉસ નળાકાર સ્ટ્રક્ચર સહાય યોજનામાં મળવાપાત્ર સહાય

નેટહાઉસ નળાકાર સ્ટ્રક્ચર સહાય યોજનામાં વિવિધ જ્ઞાતી પ્રમાણે સહાય આપવામાં આવે છે, જેની સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે.

સામાન્ય જાતિના ખેડૂતો માટે સામાન્ય જનજાતિના ખેડૂત માટે નળાકાર સ્ટ્રક્ચર બનાવવા માટે પ્રતિ ચો.મી રૂ.710/- સહાય મળશે અને પહાડી વિસ્તાર માટે ચો.મી રૂ.816/-પ્રતિ ચો.મી અથવા ખર્ચના ખેડુતને 50 ટકા સહાય મળશે.
અનુસુચિત જાતિના ખેડૂતો માટે અનુસુચિત જાતિના ખેડૂત માટે નળાકાર સ્ટ્રક્ચર માટે પ્રતિ ચો.મી રૂ.710/- અને પહાડી વિસ્તાર માટે ચો.મી રૂ.816/-પ્રતિ ચો.મી અથવા ખેડુતને ૫૦ ટકા સહાય મળવા પાત્ર છે.
અનુસુચિત જનજાતિના ખેડૂતો માટે અનુસુચિત જનજાતિના ખેડૂત માટે નળાકાર સ્ટ્રક્ચર માટે પ્રતિ ચો.મી રૂ.710/- અને પહાડી વિસ્તાર માટે ચો.મી રૂ.816/-પ્રતિ ચો.મી અથવા ખેડુતને ૫૦ ટકા સહાય મળવા પાત્ર છે.
સામાન્ય ખેડુત અને દેવીપૂજક ખેડૂતો માટે

(રાજય સરકારશ્રીની વધારાની પુરક સહાય)

સામાન્ય ખેડુતને ૧૫ ટકા અને દેવીપૂજક લાભાર્થી ખેડૂતોને ૨૫ ટકા સહાય મળશે.

 

નેટહાઉસ નળાકાર સ્ટ્રક્ચર સહાય યોજનામાં અરજી કરવા માટે ક્યાં-ક્યા ડોક્યુમેન્‍ટ જોઈએ? 

નેટહાઉસ નળાકાર સ્ટ્રક્ચર સહાય યોજના નો લાભ લેવા માટે ikhedut portal પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. જેના માટે નીચે મુજબના ડોક્યુમેન્ટની જરૂર રહેશે. ત્યારે જ તમે ફોર્મ ભરી શકશો.

 

  • આધારકાર્ડની ઝેરોક્ષ
  • રેશનકાર્ડની ઝેરોક્ષ
  • જો ખેડૂત લાભાર્થી SC જાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ (જે જ્ઞાતિને લાગુ પડતું હોય તેને)
  • જો ખેડૂત લાભાર્થી ST જાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ (જે જ્ઞાતિને લાગુ પડતું હોય તેને)
  • ખેડૂતની 7/12 ની જમીનની નકલ
  • ખેતીના 7-12 અને 8-અ જમીનમાં સંયુક્ત ખાતેદારના કિસ્સામાં અન્ય ખેડૂતના સંમતિપત્રક
  • જો ખેડૂત દિવ્યાંગ હોય તો દિવ્યાંગતા હોવા અંગેનું પ્રમાણપત્ર
  • લાભાર્થી જો ટ્રાઈબલ વિસ્તારના હોય તો વન અધિકાર પત્રની નકલ (લાગુ પડતું હોય તો જ)
  • લાભાર્થી પાસે આત્માનું રજીસ્ટ્રેશન કરાવેલું હોય તો તેની વિગતો
  • સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો (જો લાગુ પડતું હોય તો જ)
  • દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની માહિતી (જો લાગુ પડતું હોય તો જ)
  • મોબાઈલ નંબર (ચાલુ હોય તેવો)

 

નેટહાઉસ નળાકાર સ્ટ્રક્ચર સહાય યોજનામાં અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

Net House Structure Sahay Yojana માં અરજી કરવા માટેની મહત્વપૂર્ણ તારીખો.

 

  • અરજી કરવાની શરૂઆતની તારીખ:- 22/04/2023
  • અરજી કરવાની છેલ્લી તારીખ :- 31/05/2023

 

Net House Structure Sahay Yojana માં અરજી કેવી રીતે કરવી?

ખેડૂત મોબાઈલ સહાય યોજનામાં i-khedut portal પર તમારે ઓનલાઇન અરજી કરવાની રહેશે અને સાથે ઓનલાઇન અરજી કર્યા પછી તમારે થોડીક ઓફલાઈન પ્રક્રિયા કરવાની રહેશે, જેની સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે.

 

  • સૌપ્રથમ તમારે તમારા મોબાઈલ, કોમ્પ્યુટર કે કોઈપણ ડિવાઇસમાં Google ઓપન કરવાનું રહેશે.
  • હવે ગૂગલ સેર્ચમાં જઈને “ikhedut” ટાઈપ કરવાનું રહેશે.
  • હવે તમારી સામે ikhedut portal ની Official Website તમારી સામે આવશે.
  • હવે ikhedut portal ની Official Website ઓપન કરો.
  • હવે તમારી સામે આઈ ખેડૂત પોર્ટલ વેબસાઈટનું Home Page ખુલીને આવશે.
  • હવે હોમપેજ પર તમને ઉપર મેનુમાં “યોજના”  દેખાશે તેના પર ક્લિક કરવાની રહેશે.
  • હવે વેબસાઈટ પર યોજના પર ક્લિક કર્યા પછી તમારી સામે એક નવું પેજ ખૂલશે.
  • જેમાં તમારે “બાગાયત ની યોજનાઓ” પર ક્લિક કરવાનું રહેશે.
  • હવે “બાગાયત ની યોજનાઓ” ખોલ્યા બાદ જ્યાં ક્રમ નંબર-33 પર આપેલી “નેટહાઉસ નળાકાર સ્ટ્રક્ચર સહાય” યોજના પર ક્લિક કરીને આગળ પ્રક્રિયા ચાલુ રાખવાની રહેશે.
  • જેમાં “Net House Structure Sahay Yojana” યોજનામાં “અરજી કરો” તેના પર Click કરીને નવું પેજ ખોલવાની રહેશે.
  • હવે તમારે સામે એક નવું પેજ ખુલીને આવશે.
  • જો તમે આઈ-ખેડૂત પોર્ટલ પર પહેલા રજીસ્ટર કરેલું હોય તો “હા” સિલેટર કરવાનું રહેશે અને રજીસ્ટેશન નથી કર્યું તો “ના” કરવાનું રહેશે.
  • હવે ફરી તમારી સામે એક નવું પેજ ઓપન થશે.
  • આ પેજમાં તમને એક ફોર્મ જોવા મળશે.
  • હવે આ ફોર્મમાં તમારે માગ્યા મુજબની સંપૂર્ણ માહિતી ભરવાની રહેશે.
  • હવે ફોર્મ ભર્યા બાદ તે ફોર્મની ચકાસણી કર્યા બાદ “અરજી સેવ કરો” તેના પર ક્લિક કરવાનું રહેશે.
  • હવે ફરીથી ઓનલાઈન ભરેલી માહિતીની પૂરેપૂરી ચોક્ક્સાઈ કર્યા બાદ અરજી કન્ફોર્મ કરવાની રહેશે.
  • લાભાર્થી દ્વારા ઓનલાઈન અરજી એક વાર કન્‍ફર્મ કર્યા બાદ Application Number માં કોઈ સુધારો કે વધારો થશે નહિં.
  • ખેડૂત લાભાર્થીએ ઓનલાઈન અરજી કર્યા બાદ પોતાની અરજીની પ્રિ‍ન્‍ટ કઢાવાની રહેશે.
  • આ રીતે તમે ઓનલાઇન અરજી કરી શકો છો

 

Net House Structure Sahay Yojana માં ઓનલાઇન અરજી કર્યા પછી શું?

આઈ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન અરજી કર્યા પછી ઓફલાઈન શું પ્રક્રિયા કરવાની રહેશે, તેની સંપૂર્ણ માહિતી નીચે મુજબ છે.

 

  • સૌ પ્રથમ ઓનલાઈન અરજી કર્યા બાદ તમને તમારી અરજીને તાલુકા અમલીકરણ અધિકારીશ્રી દ્વારા પૂર્વ મંજૂરી આપવામાં આવશે.
  • હવે જો તમારી અરજી મંજુર થશે તો તમને અરજીની જાણ SMS/ઈ-મેઈલ કે અન્ય વ્યવસ્થા દ્વારા તમને જાણ કરવામાં આવશે.
  • હવે જો તમારી અરજીને મંજૂરી મળે છે તો આ યોજના માટે પસંદ થયેલા લાભાર્થીઓને પૂર્વ મંજૂરીના આદેશથી નેટહાઉસ નળાકાર સ્ટ્રક્ચર બનાવવાનું રહેશે.
  • હવે લાભાર્થી ખેડૂતે ઓનલાઇન અરજી કર્યા પછી જે પ્રિન્ટ મળે છે તે અરજીપત્રકમાં સહી કરવાની રહેશે.
  • હવે સહી કરેલ તે પ્રિંટઆઉટ સાથે અહીં ઉપર લેખમાં આપેલા તમામ ડોક્યુમેન્ટ તે પ્રિંટઆઉટની સાથે જોડવાના રહેશે.
  • હવે આ તમામ ડોક્યુમેન્ટ તમારે તમારા ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી કે તાલુકા અમલીકરણ અધિકારીશ્રી પાસે જમા કરવાના રહેશે.
  • આ રીતે તમારી ઓનલાઇન અને ઓફલાઈન સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ થશે અને તમને મોબાઈલ ખરીદી પર સહાય આપવામાં આવશે.

ખેડૂત મોબાઈલ સહાય યોજના 

Net House Structure Sahay Yojana હેલ્પલાઇન

ખેડૂત મિત્રો, અહીં અમે આ લેખમાં Net House Structure Sahay Yojana વિશે સંપૂર્ણ માહિતી આપી છે, પરંતુ તમને આ યોજના વિશે હજી પણ જો કોઈ પ્રશ્ન હોય તો તમે વધુ માહિતી માટે તમારા વિસ્તારના ગ્રામ સેવક, તાલુકા કક્ષાએ વિસ્તરણ અધિકારી અથવા જિલ્લા કક્ષાએ “જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી” નો સંપર્ક કરીને, આ યોજના વિશે વધુ માહિતી મેળવી શકો છો.

 

ખેડૂત મોબાઈલ સહાય યોજના માટેની મહત્વપૂર્ણ લિંક

i-khedut portl  ની અધિકૃત વેબસાઇટ અહીં ક્લિક કરો.
એપ્લિકેશન સ્થિતિ અહીં ક્લિક કરો.
પ્રિન્ટ એપ્લિકેશન અહીં ક્લિક કરો.
ખેડૂત Whatsapp ગ્રુપમાં જોડાવો. અહીં ક્લિક કરો.

 

FAQs – વારંવાર પૂછાતા પ્રશ્નો

1.નેટહાઉસ નળાકાર સ્ટ્રક્ચર સહાય યોજનાનો લાભ લેવા અરજી કઈ રીતે કરવી?

જવાબ:- નેટહાઉસ નળાકાર સ્ટ્રક્ચર સહાય યોજનાનો લાભ લેવા માટે તમારે  આઈ-ખેડૂત પોર્ટલ ની વેબસાઈટ પરથી અરજી કરવાની રહેશે.

 

2.નેટહાઉસ નળાકાર સ્ટ્રક્ચર સહાય યોજના હેઠળ કેટલા ટકા સુધી લાભ મેળવી શકે છે?

જવાબ:- નળાકાર સ્ટ્રક્ચર માટે પ્રતિ ચો.મી રૂ.710/- અને પહાડી વિસ્તાર માટે ચો.મી રૂ.816/-પ્રતિ ચો.મી અથવા ખેડુતને ૫૦ ટકા સહાય મળવા પાત્ર છે.

 

3.Net House Structure Sahay Yojana માં અરજી કરવાનો સમયગાળો કેટલો છે?

જવાબ:- અરજી કરવાની શરૂઆતની તારીખ:- 22/04/2023 અને અરજી કરવાની છેલ્લી તારીખ :- 31/05/2023 છે.

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું

2 thoughts on “નેટહાઉસ નળાકાર સ્ટ્રક્ચર સહાય યોજના | Net House Structure Sahay Yojana 2023”

Leave a Comment