દેવીપૂજક ખેડુતોને તરબૂચ, ટેટી અને શાકભાજીના બિયારણ માટે સહાય યોજના

 

મારાં વ્હાલા ખેડૂત મિત્રો આજના આ લેખમાં આપણે ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ખેડૂતો માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે, જે માંથી આ એક છે, દેવીપૂજક ખેડુતોને તરબૂચ, ટેટી અને શાકભાજીના બિયારણ માટે સહાય યોજના. તો ચાલો જાણીએ કે દેવીપૂજક ખેડુતોને તરબૂચ, ટેટી અને શાકભાજીના બિયારણ માટે સહાય યોજના શું છે?, આ યોજનાનો હેતુ શું છે?, આ યોજનાનો લાભ કયા ખેડૂતોને મળશે?, આ યોજનામાં કેટલો લાભ મળશે?, આ યોજનામાં અરજી કરવા માટે કયા-કયા ડોક્યુમેન્ટ જોઈએ અને દેવીપૂજક ખેડુતોને તરબૂચ, ટેટી અને શાકભાજીના બિયારણ માટે સહાય યોજનામાં અરજી કેવી રીતે કરવી. આ તમામ માહિતી ગુજરાતી ભાષાંમાં જાણવા માંગો છો, તો આ લેખને અંત સુધી વાંચો.

 

તરબૂચ, ટેટી અને શાકભાજીના બિયારણ માટે સહાય યોજના
તરબૂચ, ટેટી અને શાકભાજીના બિયારણ માટે સહાય યોજના

 

Contents hide

દેવીપૂજક ખેડુતોને તરબૂચ, ટેટી અને શાકભાજીના બિયારણ માટે સહાય યોજના શું છે?

આઈ ખેડૂત પોર્ટલ પર ચાલતી દેવીપૂજક ખેડુતોને તરબૂચ, ટેટી અને શાકભાજીના બિયારણ માટે સહાય યોજના હેઠળ ગુજરાતના ખેડૂત ભાઈઓને તરબૂચ, ટેટી અને શાકભાજીના બિયારણ ખરીદવા માટે રરૂપિયા 5000/- સુધીની સહાય આપવામાં આવશે.

 

દેવીપૂજક ખેડુતોને તરબૂચ, ટેટી અને શાકભાજીના બિયારણ માટે સહાય યોજના ઉદ્દેશ્ય શું?

દેવીપૂજક ખેડુતોને તરબૂચ, ટેટી અને શાકભાજીના બિયારણ માટે સહાય યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય તરબૂચ, ટેટી અને શાકભાજીના બિયારણ ખરીદવા માટે સહાય આપવામાં આવે જેથી દેવીપૂજક ખેડુતોને આવા પાકોનું વાવેતર કરીને સારુ ઉત્પાદન મેળવી શકે.

 

દેવીપૂજક ખેડુતોને તરબૂચ, ટેટી અને શાકભાજીના બિયારણ માટે સહાય યોજના હેઠળ કયા ખેડૂતોને લાભ મળશે? (પાત્રતા અને શરતો)

રાજ્યના દેવીપૂજક ખેડુતોને તરબૂચ, ટેટી અને શાકભાજીના બિયારણ માટે સહાય યોજના મેળવવા માટે તેની ચોક્કસ પાત્રતાઓ નક્કી થયેલી છે. જો તે પાત્રતાનું પાલન તમારી સાથે થશે તે ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે? જે પાત્રતા નીચે મુજબ છે.

 

  • આ યોજનાનો લાભ માત્ર દેવીપુજક જાતિના ખેડૂતોને જ મળવાપાત્ર છે.
  • આ યોજનાનો લાભ ખેડૂત એક જ વખત આપવામાં આવશે.
  • ખેડૂતને આ યોજનો લાભ મહત્તમ ૨ એકર માટે વર્ષમાં એકવાર લાભ મળવાપાત્ર રહેશે
  • રાજ્યના દેવીપુજક સમાજના લાભાર્થીઓ નદી વિસ્તારમાં ચોમાસા બાદ નદીના પાણી ઓછા થતા કોઈ અન્ય જગ્યાઓ જેવી કે તળાવમાં કે જમીન આકડે લઇ ખેતી કરતા હોય તેમણે પણ આ યોજનાનો લાભ મળશે.
  • ખેડૂતે ગુજરાત એગ્રો ના અધિક્રુત વિક્રેતા પાસેથી માઇક્રો ન્યુટ્રીયન્ટની ખરીદી કરવાની રહેશે

 

દેવીપૂજક ખેડુતોને તરબૂચ, ટેટી અને શાકભાજીના બિયારણ માટે સહાય યોજનામાં મળવાપાત્ર સહાય

 

(1) ખેડૂતને કિટ્સની મહતમ કિમત રૂ. 5000/- માં ખર્ચના 90 ટકા ની મર્યાદામાં સહાય આપવામાં આવશે.
(2) ખેડૂતને કીટ્સમાં હાઇ.તડબૂચ માટે ૪૦૦ ગ્રામ તથા શક્કરટેટી માટે ૨૫૦ ગ્રામ આ બે માંથી કોઇ પણ એક બિયારણ તેમજ અન્ય શાકભાજી અને માઇક્રોન્યુટ્રીયંટ યુનિવર્સીટીની ભલામણ મુજબ આપવાના રહેશે.

 

દેવીપૂજક ખેડુતોને તરબૂચ, ટેટી અને શાકભાજીના બિયારણ માટે સહાય યોજનામાં અરજી કરવા માટે ક્યાં-ક્યા ડોક્યુમેન્‍ટ જોઈએ?

દેવીપૂજક ખેડુતોને તરબૂચ, ટેટી અને શાકભાજીના બિયારણ માટે સહાય યોજનાનો લાભ લેવા માટે ikhedut portal પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. જેના માટે નીચે મુજબના ડોક્યુમેન્ટની જરૂર રહેશે. ત્યારે જ તમે ફોર્મ ભરી શકશો

  • આધારકાર્ડની ઝેરોક્ષ
  • રેશનકાર્ડની ઝેરોક્ષ
  • જો ખેડૂત લાભાર્થી SC જાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ (જે જ્ઞાતિને લાગુ પડતું હોય તેને)
  • જો ખેડૂત લાભાર્થી ST જાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ (જે જ્ઞાતિને લાગુ પડતું હોય તેને)
  • ખેડૂતની 7/12 ની જમીનની નકલ
  • ખેતીના 7-12 અને 8-અ જમીનમાં સંયુક્ત ખાતેદારના કિસ્સામાં અન્ય ખેડૂતના સંમતિપત્રક
  • જો ખેડૂત દિવ્યાંગ હોય તો દિવ્યાંગતા હોવા અંગેનું પ્રમાણપત્ર
  • લાભાર્થી જો ટ્રાઈબલ વિસ્તારના હોય તો વન અધિકાર પત્રની નકલ (હોય તો)
  • લાભાર્થી પાસે આત્માનું રજીસ્ટ્રેશન કરાવેલું હોય તો તેની વિગતો
  • સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો (લાગુ પડતું હોય તો જ)
  • દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની માહિતી (લાગુ પડતું હોય તો જ)
  • મોબાઈલ નંબર (ચાલુ હોય તેવો)

 

ખેડૂત મોબાઈલ સહાય યોજના

 

દેવીપૂજક ખેડુતોને તરબૂચ, ટેટી અને શાકભાજીના બિયારણ માટે સહાય યોજના અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

Devipujak Khedutone Tarbuch Teti Ane Shakbhajina Biyaran Mate Sahay Yojana માં અરજી કરવા માટેની મહત્વપૂર્ણ તારીખો.

અરજી કરવાની શરૂઆતની તારીખ:- 22/04/2023

અરજી કરવાની છેલ્લી તારીખ :- 31/05/2023

 

દેવીપૂજક ખેડુતોને તરબૂચ, ટેટી અને શાકભાજીના બિયારણ માટે સહાય યોજના માં અરજી કેવી રીતે કરવી?

આ યોજના માટે તમારે i-khedut portal પર તમારે ઓનલાઇન અરજી કરવાની રહેશે અને સાથે ઓનલાઇન અરજી કર્યા પછી તમારે થોડીક ઓફલાઈન પ્રક્રિયા કરવાની રહેશે, જેની સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે.

 

  • સૌપ્રથમ તમારે તમારા મોબાઈલ, કોમ્પ્યુટર કે કોઈપણ ડિવાઇસમાં Google ઓપન કરવાનું રહેશે.
  • હવે ગૂગલ સેર્ચમાં જઈને “ikhedut” ટાઈપ કરવાનું રહેશે.
  • હવે તમારી સામે ikhedut portal ની Official Website તમારી સામે આવશે.
  • હવે ikhedut portal ની Official Website ઓપન કરો.
  • હવે તમારી સામે આઈ ખેડૂત પોર્ટલ વેબસાઈટનું Home Page ખુલીને આવશે.
  • હવે હોમપેજ પર તમને ઉપર મેનુમાં “યોજના”  દેખાશે તેના પર ક્લિક કરવાની રહેશે.
  • હવે વેબસાઈટ પર યોજના પર ક્લિક કર્યા પછી તમારી સામે એક નવું પેજ ખૂલશે.
  • જેમાં તમારે “બાગાયત ની યોજનાઓ” પર ક્લિક કરવાનું રહેશે.
  • હવે “બાગાયત ની યોજનાઓ” ખોલ્યા બાદ જ્યાં ક્રમ નંબર-31 પર આપેલી “દેવીપૂજક ખેડુતોને તરબૂચ, ટેટી અને શાકભાજીના બિયારણ માટે સહાય” યોજના પર ક્લિક કરીને આગળ પ્રક્રિયા ચાલુ રાખવાની રહેશે.
  • જેમાં “Devipujak Khedutone Tarbuch Teti Ane Shakbhajina Biyaran Mate Sahay” યોજનામાં “અરજી કરો” તેના પર Click કરીને નવું પેજ ખોલવાની રહેશે.
  • હવે તમારે સામે એક નવું પેજ ખુલીને આવશે.
  • જો તમે આઈ-ખેડૂત પોર્ટલ પર પહેલા રજીસ્ટર કરેલું હોય તો “હા” સિલેટર કરવાનું રહેશે અને રજીસ્ટેશન નથી કર્યું તો “ના” કરવાનું રહેશે.
  • હવે ફરી તમારી સામે એક નવું પેજ ઓપન થશે.
  • આ પેજમાં તમને એક ફોર્મ જોવા મળશે.
  • હવે આ ફોર્મમાં તમારે માગ્યા મુજબની સંપૂર્ણ માહિતી ભરવાની રહેશે.
  • હવે ફોર્મ ભર્યા બાદ તે ફોર્મની ચકાસણી કર્યા બાદ “અરજી સેવ કરો” તેના પર ક્લિક કરવાનું રહેશે.
  • હવે ફરીથી ઓનલાઈન ભરેલી માહિતીની પૂરેપૂરી ચોક્ક્સાઈ કર્યા બાદ અરજી કન્ફોર્મ કરવાની રહેશે.
  • લાભાર્થી દ્વારા ઓનલાઈન અરજી એક વાર કન્‍ફર્મ કર્યા બાદ Application Number માં કોઈ સુધારો કે વધારો થશે નહિં.
  • ખેડૂત લાભાર્થીએ ઓનલાઈન અરજી કર્યા બાદ પોતાની અરજીની પ્રિ‍ન્‍ટ કઢાવાની રહેશે.
  • આ રીતે તમે ઓનલાઇન અરજી કરી શકો છો

 

નેટહાઉસ નળાકાર સ્ટ્રક્ચર સહાય યોજના

 

દેવીપૂજક ખેડુતોને તરબૂચ, ટેટી અને શાકભાજીના બિયારણ માટે સહાય યોજના માં ઓનલાઇન અરજી કર્યા પછી શું?

આઈ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન અરજી કર્યા પછી ઓફલાઈન શું પ્રક્રિયા કરવાની રહેશે, તેની સંપૂર્ણ માહિતી નીચે મુજબ છે.

 

  • સૌ પ્રથમ ઓનલાઈન અરજી કર્યા બાદ તમને તમારી અરજીને તાલુકા અમલીકરણ અધિકારીશ્રી દ્વારા પૂર્વ મંજૂરી આપવામાં આવશે.
  • હવે જો તમારી અરજી મંજુર થશે તો તમને અરજીની જાણ SMS/ઈ-મેઈલ કે અન્ય વ્યવસ્થા દ્વારા તમને જાણ કરવામાં આવશે.
  • હવે લાભાર્થી ખેડૂતે ઓનલાઇન અરજી કર્યા પછી જે પ્રિન્ટ મળે છે તે અરજીપત્રકમાં સહી કરવાની રહેશે.
  • હવે સહી કરેલ તે પ્રિંટઆઉટ સાથે અહીં ઉપર લેખમાં આપેલા તમામ ડોક્યુમેન્ટ તે પ્રિંટઆઉટની સાથે જોડવાના રહેશે.
  • હવે આ તમામ ડોક્યુમેન્ટ તમારે તમારા ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી કે તાલુકા અમલીકરણ અધિકારીશ્રી પાસે જમા કરવાના રહેશે.
  • આ રીતે તમારી ઓનલાઇન અને ઓફલાઈન સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ થશે અને દેવીપૂજક ખેડુતોને તરબૂચ, ટેટી અને શાકભાજીના બિયારણ ખરીદવા માટે સહાય આપવામાં આવશે.

 

દેવીપૂજક ખેડુતોને તરબૂચ, ટેટી અને શાકભાજીના બિયારણ માટે સહાય યોજના હેલ્પલાઇન

ખેડૂત મિત્રો, અહીં અમે આ લેખમાં  Devipujak Khedutone Tarbuch Teti Ane Shakbhajina Biyaran Mate Sahay Yojana વિશે સંપૂર્ણ માહિતી આપી છે, પરંતુ તમને આ યોજના વિશે હજી પણ જો કોઈ પ્રશ્ન હોય તો તમે વધુ માહિતી માટે તમારા વિસ્તારના ગ્રામ સેવક, તાલુકા કક્ષાએ વિસ્તરણ અધિકારી અથવા જિલ્લા કક્ષાએ “જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી” નો સંપર્ક કરીને, આ યોજના વિશે વધુ માહિતી મેળવી શકો છો.

 

દેવીપૂજક ખેડુતોને તરબૂચ, ટેટી અને શાકભાજીના બિયારણ માટે સહાય યોજના માટેની મહત્વપૂર્ણ લિંક

i-khedut portl  ની અધિકૃત વેબસાઇટ અહીં ક્લિક કરો.
એપ્લિકેશન સ્થિતિ અહીં ક્લિક કરો.
પ્રિન્ટ એપ્લિકેશન અહીં ક્લિક કરો.
ખેડૂત Whatsapp ગ્રુપમાં જોડાવો. અહીં ક્લિક કરો.

 

FAQs – વારંવાર પૂછાતા પ્રશ્નો

1.દેવીપૂજક ખેડુતોને તરબૂચ, ટેટી અને શાકભાજીના બિયારણ માટે સહાય યોજનાનો લાભ લેવા અરજી કઈ રીતે કરવી?

જવાબ:- Devipujak Khedutone Tarbuch Teti Ane Shakbhajina Biyaran Mate Sahay Yojana નો લાભ લેવા માટે તમારે  આઈ-ખેડૂત પોર્ટલ ની વેબસાઈટ પરથી અરજી કરવાની રહેશે.

 

2.દેવીપૂજક ખેડુતોને તરબૂચ, ટેટી અને શાકભાજીના બિયારણ માટે સહાય યોજના હેઠળ કેટલા ટકા સુધી લાભ મેળવી શકે છે?

જવાબ:- ખેડૂતને કિટ્સની મહતમ કિમત રૂ. 5000/- માં ખર્ચના 90 ટકા ની મર્યાદામાં સહાય આપવામાં આવશે.

 

3.દેવીપૂજક ખેડુતોને તરબૂચ, ટેટી અને શાકભાજીના બિયારણ માટે સહાય યોજનામાં અરજી કરવાનો સમયગાળો કેટલો છે?

જવાબ:- અરજી કરવાની શરૂઆતની તારીખ:- 22/04/2023 અને અરજી કરવાની છેલ્લી તારીખ :- 31/05/2023 છે.

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું

2 thoughts on “દેવીપૂજક ખેડુતોને તરબૂચ, ટેટી અને શાકભાજીના બિયારણ માટે સહાય યોજના”

Leave a Comment