ડૉ.આંબેડકર સફાઈ કામદાર આવાસ યોજના 2023 | Dr.Ambedkar Safae Kamdar Awas Yojana

ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્રારા લોકોના હિત માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે, જે માંથી આ એક છે, જેનું નામ છે, ડૉ.આંબેડકર સફાઈ કામદાર આવાસ યોજના.

તો ચાલો જાણીએ કે ડૉ.આંબેડકર સફાઈ કામદાર આવાસ યોજના શું છે?, ડૉ.આંબેડકર સફાઈ કામદાર આવાસ યોજનાનો હેતુ શું છે?, આ યોજનાનો લાભ કયા લોકોને મળશે?, આ યોજનામાં કેટલો લાભ મળશે?, આ યોજનામાં અરજી કરવા માટે કયા-કયા ડોક્યુમેન્ટ જોઈએ અને Dr.Ambedkar Safae Kamdar Awas Yojana માં અરજી કેવી રીતે કરવી. આ તમામ માહિતી ગુજરાતી ભાષાંમાં જાણવા માંગો છો, તો આ લેખને અંત સુધી વાંચો.


ડૉ.આંબેડકર સફાઈ કામદાર આવાસ યોજના શું છે?

Dr.Ambedkar Safae Kamdar Awas Yojana હેઠળ સફાઇ કામદાર અને તેમના આશ્રીતો કે જેમની પાસે રહેવા માટે ઘર ના હોય, જે વ્યક્તિઓ ખુલ્લો પ્લોટ ધરાવતા, જેમના પાસે કાચું ઘર માટીનું, ઘાસપૂળાનું, કુવા ટાઈપનું મકાન કે જેમાં રહેવા લાયક યોગ્યના હોય તેવા ગરીબ લોકોને સરકાર દ્રારા ઘર બનાવવા માટે સહાય આપવામાં આવશે.


ડૉ.આંબેડકર સફાઈ કામદાર આવાસ યોજનાનો હેતુ શું છે?

આ યોજનાનો મુખ્ય હેતુ સફાઇ કામદાર અને તેમના આશ્રીત એવા લોકો કે જે ઘરવિહોણા છે, ખુલ્લો પ્લોટ ધરાવે છે પણ ઘર નથી અથવા તેમને રહેવા લાયક મકાન નથી તેવા કામદાર અને તેમના આશ્રીત પરિવારોને Dr.Ambedkar Safae Kamdar Awas Yojana હેઠળ સહાય આપવી જેથી તે પોતાનું મકાન બનાવી શકે.


ડૉ.આંબેડકર સફાઈ કામદાર આવાસ યોજનાનો લાભ કયા લોકોને મળશે? (પાત્રતા અને શરતો)

દેશના સફાઇ કામદાર અને તેમના આશ્રીતો આ યોજનાનો લાભ મેળવવા માંગે છે તેમના માટે ચોક્કસ પાત્રતાઓ નક્કી થયેલી છે. જો તે પાત્રતાનું પાલન તમારી સાથે થશે તે જ પરિવારોને આ યોજનાનો લાભ મળશે? જે પાત્રતા નીચે મુજબ છે.

  • અરજદાર લાભાર્થી ગુજરાત રાજ્યનો વતની હોવો જોઈએ
  • આ યોજનાનો લાભ ફક્ત સફાઇ કામદારો અને તેના આશ્રિતોને જ આપવામાં આવશે.
  • લાભાર્થીની ઉંમર ઓછામાં ઓછી ૨૧ વર્ષ રહેશે.
  • લાભાર્થી દ્વારા અથવા લાભાર્થીના અન્ય કુટૃંબના સભ્યો દ્વારા સરકારશ્રી દ્વારા અમલિત અન્ય કોઈપણ આવાસ યોજનાનો લાભ લીધેલ ન હોવો જોઈએ.
  • ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લાભાર્થીના પરિવારની વાર્ષિક આવક ₹.૧,૨૦,૦૦૦  હોવી જોઈએ.
  • શહેરી વિસ્તારમાં રહેલા લાભાર્થીના પરિવારની વાર્ષિક આવક ₹.૧,૫૦,૦૦૦ થી વધુ ન હોવી જોઇએ.
  • મકાન સહાયના પ્રથમ હપ્તાની ચૂકવણી કર્યા પછી ૨ વર્ષમાં મકાન બાંધકામ પૂર્ણ કરવાનું રહેશે.
  • લાભાર્થીને સહાયનો બીજો હપ્તો મળ્યાબાદ લાભાર્થીએ આવાસનું કામ એક વર્ષમાં પૂર્ણ કરવાનું રહેશે.
  • આ યોજના હેઠળ બનેલ મકાન ઉપર લાભાર્થીએ “રાજ્ય સરકારની ડૉ.આંબેડકર સફાઈ કામદાર આવાસ યોજના” એ મુજબની તક્તી લગાવવાની રહેશે.
  • આ યોજના હેઠળ આવક મર્યાદા હોતી નથી.

ડૉ.આંબેડકર સફાઈ કામદાર આવાસ યોજના હેઠળ ઘર બનાવવા માટે કેટલી સહાય મળશે?

Dr.Ambedkar Safae Kamdar Awas Yojana હેઠળ લોકોને પ્રથમ માળ ઉપર ઘર બનાવવા માટે રૂપિયા ૧,૨૦,૦૦૦ ની સહાય આપવામાં આવશે. જે ત્રણ અલગ-અલગ હપ્તા પ્રમાણે આપવામાં આવશે, જે નીચે મુજબ છે. અને ડો.આંબેડકર આવાસ યોજના સાથે-સાથે બીજી બે યોજના, આમ કુલ 3 સહાયનો લાભ ઉઠાવી શકે છે.

સહાય – 1

  • પ્રથમ હપ્તો-(આ યોજનામાં તમારી અરજી મંજુર થાય તેવો જ આપવામાં આવશે) – ₹.૪૦,૦૦૦
  • બીજો હપ્તો-(લીન્ટલ લેવલે પહોંચ્યા બાદ) –  ₹.૬૦,૦૦૦
  • ત્રીજો હપ્તો-(શૌચાલય સહિતનું બાંધકામ પૂર્ણ થયા પછી) –  ₹.૨૦,૦૦૦

 

સહાય – 2

લાભાર્થીઓ મનરેગા યોજના હેઠળ આવાસ બાંધકામ માટે 90 દિવસની પોતાની રોજગારી મેળવી શકે છે. જેમાં  રૂપિયા 17910/- ની સહાય તાલુકા પંચાયત નરેગા બ્રાન્ચ તરફથી મેળવી શકે છે.

 

સહાય – 3

આંબેડકર આવસ યોજનાના લાભાર્થીઓ સ્વચ્છ ભારત મિશન યોજના હેઠળ ઘર બનાવવા સાથે શૌચાલય બનાવવા માટે પણ રૂપિયા 12,000/- ની સહાય મેળવી શકાશે.


ડૉ.આંબેડકર સફાઈ કામદાર આવાસ યોજનામાં અરજી કરવા માટે ક્યાં-ક્યા ડોક્યુમેન્‍ટ જોઈએ?

Dr.Ambedkar Safae Kamdar Awas Yojana નો લાભ લેવા માટે આ યોજનામાં તમારે અરજી કરવાની રહેશે. જેના માટે નીચે મુજબના ડોક્યુમેન્ટની જરૂર રહેશે. ત્યારે જ તમે ફોર્મ ભરી શકશો.

  • અરજદારનું આધાર કાર્ડ.
  • અરજદારનું ચૂંટણી કાર્ડ.
  • અરજદારનું રેશનકાર્ડ.
  • અરજદારે સફાઇ કામદાર કે તેના આશ્રીત હોવા અંગેનો સક્ષમ અઘિકારીનો દાખલો.
  • અરજદારની જાતિ/પેટા જાતિ નો દાખલો/એલ.સી (ફરજીયાત નથી).
  • અરજદારની કુલ વાર્ષિક આવકનો દાખલો(ફરજીયાત નથી)
  • રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈ પણ એક).
  • જે જગ્યાએ મકાન બાંધકામ કરવાનું હોય તે ખુલ્લો પ્લોટનો અથવા જર્જરીત મકાનનો ફોટો.
  • જમીનની આકારણી (જે તલાટી પાસે મળશે.).
  • બેંક પાસબૂકની પ્રથમ પાનાની નકલ અથવા રદ કરેલ ચેક.
  • પતિના મરણ નો દાખલો (જો વિધવા હોય તો) – (જો કોઈ મહિલાના નામે અરજી કરવાની હોય તો).
  • જે જમીન ઉપર મકાન બાંધવાનું છે, તે જમીન ના ક્ષેત્રફળ જણાવતા ચતુર્દિશા નકશો જેની ની નકલ (તલાટી-કમ-મંત્રીશ્રી)ની સહીવાળી વાળો.(તલાટી પાસે મળશે)
  • મકાન બાંધકામ ચિઠ્ઠી (તલાટી પાસે મળશે)
  • અગાઉ આ યોજનામાં લાભ લીધો નથી તે અંગેનું સોગંધનામું
  • સ્વ-ઘોષણા પત્ર.

ડૉ.આંબેડકર સફાઈ કામદાર આવાસ યોજના


ડૉ.આંબેડકર સફાઈ કામદાર આવાસ યોજનામાં અરજી કેવી રીતે કરવી?

જે મિત્રો ડૉ.આંબેડકર સફાઈ કામદાર આવાસ યોજનામાં અરજી કરવા માંગે છે તે નીચે આપેલી પ્રક્રિયાને ફોલો કરીને, તમે અરજી કરી શકો છો.

ડૉ.આંબેડકર સફાઈ કામદાર આવાસ યોજનામાં અરજી તમે જાતે પણ કરી શકો છો જે તમે esamajkalyan Portal પર અરજી કરી શકો છો અથવા તમે તમારા નજીકના CSC સેન્ટર કે જ્યાં ઓનલાઇન કામગીરી કરતા હોય ત્યાં જઈને તમે ઓનલાઇન અરજી કરી શકો છો.

(ખાસ નોંધ:-પ્રિય મિત્રો તમે અહીંયા esamajkalyan Portal પર ઓનલાઇન જાતે અરજી કરી શકો છો પરંતુ જ્યાં સુધી બને ત્યાં સુધી તમે તમારા નજીકનાં ઓનલાઇન સેન્ટર કે જ્યાં આવી ઓનલાઇન કામગીરી થતી હોય ત્યાં જઈને તમે ઓનલાઇન અરજી કરવો જેથી તમારી અરજીમાં કોઈ ભૂલ ના થાય.)

છેલ્લે, ઓનલાઇન અરજી કર્યા બાદ તમારે અરજી પ્રિન્‍ટ અને સાથે ઉપર આપેલ તમામ ડોક્યુમેન્ટ જોડીને જિલ્લાની કચેરી ખાતે અરજી જમા કરવાની રહેશે.


આ પણ વાંચો:-

પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના : ઘર બનાવવા માટે મળશે રૂપિયા 1,20,000/- ની સહાય.


ડૉ.આંબેડકર સફાઈ કામદાર આવાસ યોજના હેલ્પલાઈન

પ્રિય મિત્રો અહીં અમે Dr.Ambedkar Safae Kamdar Awas Yojana વિશે સંપૂર્ણ માહિતી આપી છે, પરંતુ તમને આ યોજના વિશે હજી પણ જો કોઈ પ્રશ્ન હોય તો તમે વધુ માહિતી માટે જિલ્લાની કચેરી કરીને તમે આ યોજના વિશે વધુ માહિતી મેળવી શકો છો.


ડૉ.આંબેડકર સફાઈ કામદાર આવાસ યોજના માટેની મહત્વપૂર્ણ લિંકો

Dr.Ambedkar Safae Kamdar Awas Yojana માં અરજી કરવાની અધિકારીક વેબસાઈટ અહીં ક્લિક કરો.
ગુજરાત સરકાર અને ભારત સરકારની તમામ સરકારી યોજના વિશે જાણવા અમારા Whatsapp ગ્રુપ સાથે જોડાવો. અહીં ક્લિક કરો.
અમારી વેબસાઈટનું હોમ પેજ અહીં ક્લિક કરો.

FAQs – વારંવાર પૂછાતા પ્રશ્નો

1.Dr.Ambedkar Safae Kamdar Awas Yojana નો લાભ કોને મળે છે?

જવાબ :- ડૉ.આંબેડકર સફાઈ કામદાર આવાસ યોજનાનો લાભ ગુજરાત રાજ્યના સફાઇ કામદાર અને તેમના આશ્રીત પરિવારોને મળશે.

2.ડૉ.આંબેડકર સફાઈ કામદાર આવાસ યોજનામાં કેટલો લાભ મળે છે?

જવાબ :- Dr.Ambedkar Safae Kamdar Awas Yojana હેઠળ લોકોને પ્રથમ માળ ઉપર ઘર બનાવવા માટે રૂપિયા ૧,૨૦,૦૦૦ ની સહાય આપવામાં આવશે.

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું

Leave a Comment