પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2023 | Pandit Deendayal Upadhyay Awas Yojana

ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્રારા લોકોના હિત માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે, જે માંથી આ એક છે, જેનું નામ છે, પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના.

તો ચાલો જાણીએ કે પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના શું છે?, પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનાનો હેતુ શું છે?, આ યોજનાનો લાભ કયા લોકોને મળશે?, આ યોજનામાં કેટલો લાભ મળશે?, આ યોજનામાં અરજી કરવા માટે કયા-કયા ડોક્યુમેન્ટ જોઈએ અને Pandit Deendayal Upadhyay Awas Yojana માં અરજી કેવી રીતે કરવી. આ તમામ માહિતી ગુજરાતી ભાષાંમાં જાણવા માંગો છો, તો આ લેખને અંત સુધી વાંચો.


પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના શું છે?

Pandit Deendayal Upadhyay Awas Yojana હેઠળ સામાજિક અને શૈક્ષણિક રીતે ૫છાતવર્ગ, આર્થિક ૫છાતવર્ગ અને વિચરતી વિમુકત જાતિના ગરીબી રેખા નીચે જીવતા, જેમની પાસે રહેવા માટે ઘર ના હોય, જે વ્યક્તિઓ ખુલ્લો પ્લોટ ધરાવતા, જેમના પાસે કાચું ઘર માટીનું, ઘાસપૂળાનું, કુવા ટાઈપનું મકાન કે જેમાં રહેવા લાયક યોગ્યના હોય તેવા ગરીબ લોકોને સરકાર દ્રારા ઘર બનાવવા માટે સહાય આપવામાં આવશે.


પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનાનો હેતુ શું છે?

આ યોજનાનો મુખ્ય હેતુ સામાજિક અને શૈક્ષણિક રીતે ૫છાતવર્ગ, આર્થિક ૫છાતવર્ગ અને વિચરતી વિમુકત જાતિના એવા લોકો કે જે ઘરવિહોણા છે, ખુલ્લો પ્લોટ ધરાવે છે પણ ઘર નથી અથવા તેમને રહેવા લાયક મકાન નથી તેવા પરિવારોને Pandit Deendayal Upadhyay Awas Yojana હેઠળ સહાય આપવી જેથી તે પોતાનું મકાન બનાવી શકે.


પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનાનો લાભ કયા લોકોને મળશે? (પાત્રતા અને શરતો)

દેશના સામાજિક અને શૈક્ષણિક રીતે ૫છાતવર્ગ, આર્થિક ૫છાતવર્ગ અને વિચરતી વિમુકત જાતિના જે પરિવાર આ યોજનાનો લાભ મેળવવા માંગે છે તેમના માટે ચોક્કસ પાત્રતાઓ નક્કી થયેલી છે. જો તે પાત્રતાનું પાલન તમારી સાથે થશે તે જ પરિવારોને આ યોજનાનો લાભ મળશે? જે પાત્રતા નીચે મુજબ છે.

  • આ યોજનાનો લાભ ગુજરાતમાં વસતા સામાજિક અને શૈક્ષણિક રીતે ૫છાતવર્ગ, આર્થિક ૫છાતવર્ગ અને વિચરતી વિમુકત જાતિના પરિવારોને મળશે.
  • લાભાર્થી દ્વારા અથવા લાભાર્થીના અન્ય કુટૃંબના સભ્યો દ્વારા સરકારશ્રી દ્વારા અન્ય કોઈપણ આવાસ યોજનાનો લાભ લીધેલ નથી. તેમને આ યોજનાનો લાભ મળશે.
  • જે કુટુંબની વાર્ષિક આવક 6,00,000/- કરતાં ઓછી છે તેવા લાભાર્થીઓને આ યોજનાનો લાભ મળશે.

પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના હેઠળ કેટલી સહાય મળશે?

Pandit Deendayal Upadhyay Awas Yojana હેઠળ લોકોને પ્રથમ માળ ઉપર ઘર બનાવવા માટે રૂપિયા ૧,૨૦,૦૦૦ ની સહાય આપવામાં આવશે. જે ત્રણ અલગ-અલગ હપ્તા પ્રમાણે આપવામાં આવશે, જે નીચે મુજબ છે.

  • પ્રથમ હપ્તો-(આ યોજનામાં તમારી અરજી મંજુર થાય તેવો જ આપવામાં આવશે) – રૂપિયા.૪૦,૦૦૦/- હજાર.
  • બીજો હપ્તો-(લીન્ટલ લેવલે પહોંચ્યા બાદ) –  રૂપિયા.૬૦,૦૦૦/- હજાર.
  • ત્રીજો હપ્તો-(શૌચાલય સહિતનું બાંધકામ પૂર્ણ થયા પછી) –  રૂપિયા.૨૦,૦૦૦/- હજાર.

પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનામાં અરજી કરવા માટે ક્યાં-ક્યા ડોક્યુમેન્‍ટ જોઈએ?

Pandit Deendayal Upadhyay Awas Yojana નો લાભ લેવા માટે આ યોજનામાં તમારે અરજી કરવાની રહેશે. જેના માટે નીચે મુજબના ડોક્યુમેન્ટની જરૂર રહેશે. ત્યારે જ તમે ફોર્મ ભરી શકશો.

  • અરજદારનું આધાર કાર્ડ.
  • અરજદારનું ચૂંટણી કાર્ડ.
  • અરજદારનું રેશનકાર્ડ.
  • અરજદારની જાતિ અથવા પેટા જાતિ નો દાખલો.
  • અરજદારની કુલ વાર્ષિક આવકનો દાખલો.
  • રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈ પણ એક).
  • જે જગ્યાએ મકાન બાંધકામ કરવાનું હોય તે ખુલ્લો પ્લોટનો અથવા જર્જરીત મકાનનો ફોટો.
  • જમીનની આકારણી (જે તલાટી પાસે મળશે.).
  • બેંક પાસબૂકની પ્રથમ પાનાની નકલ અથવા રદ કરેલ ચેક.
  • પતિના મરણ નો દાખલો (જો વિધવા હોય તો) – (જો કોઈ મહિલાના નામે અરજી કરવાની હોય તો).
  • જે જમીન ઉપર મકાન બાંધવાનું છે, તે જમીન ના ક્ષેત્રફળ જણાવતા ચતુર્દિશા નકશો જેની ની નકલ (તલાટી-કમ-મંત્રીશ્રી)ની સહીવાળી વાળો.(તલાટી પાસે મળશે)
  • મકાન બાંધકામ ચિઠ્ઠી (તલાટી પાસે મળશે)
  • સ્વ-ઘોષણા પત્ર.

પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના


પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનામાં અરજી કેવી રીતે કરવી?

જે મિત્રો પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનામાં અરજી કરવા માંગે છે તે નીચે આપેલી પ્રક્રિયાને ફોલો કરીને, તમે અરજી કરી શકો છો.

પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનામાં અરજી તમે જાતે પણ કરી શકો છો જે તમે esamajkalyan Portal પર અરજી કરી શકો છો અથવા તમે તમારા નજીકના CSC સેન્ટર કે જ્યાં ઓનલાઇન કામગીરી કરતા હોય ત્યાં જઈને તમે ઓનલાઇન અરજી કરી શકો છો.

(ખાસ નોંધ:-પ્રિય મિત્રો તમે અહીંયા esamajkalyan Portal પર ઓનલાઇન જાતે અરજી કરી શકો છો પરંતુ જ્યાં સુધી બને ત્યાં સુધી તમે તમારા નજીકનાં ઓનલાઇન સેન્ટર કે જ્યાં આવી ઓનલાઇન કામગીરી થતી હોય ત્યાં જઈને તમે ઓનલાઇન અરજી કરવો જેથી તમારી અરજીમાં કોઈ ભૂલ ના થાય.)

છેલ્લે, ઓનલાઇન અરજી કર્યા બાદ તમારે અરજી પ્રિન્‍ટ અને સાથે ઉપર આપેલ તમામ ડોક્યુમેન્ટ જોડીને જિલ્લાની કચેરી ખાતે અરજી જમા કરવાની રહેશે.


આ પણ વાંચો:-

ડો.આંબેડકર આવાસ યોજના : ઘર બનાવવા માટે મળશે રૂપિયા 1,49,910/- ની સહાય.


પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના હેલ્પલાઈન

પ્રિય મિત્રો અહીં અમે Pandit Deendayal Upadhyay Awas Yojana વિશે સંપૂર્ણ માહિતી આપી છે, પરંતુ તમને આ યોજના વિશે હજી પણ જો કોઈ પ્રશ્ન હોય તો તમે વધુ માહિતી માટે જિલ્લાની કચેરી કરીને તમે આ યોજના વિશે વધુ માહિતી મેળવી શકો છો.


પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના માટેની મહત્વપૂર્ણ લિંકો

Pandit Deendayal Upadhyay Awas Yojana માં અરજી કરવાની અધિકારીક વેબસાઈટ અહીં ક્લિક કરો.
ગુજરાત સરકાર અને ભારત સરકારની તમામ સરકારી યોજના વિશે જાણવા અમારા Whatsapp ગ્રુપ સાથે જોડાવો. અહીં ક્લિક કરો.
અમારી વેબસાઈટનું હોમ પેજ અહીં ક્લિક કરો.

FAQs – વારંવાર પૂછાતા પ્રશ્નો

1.Pandit Deendayal Upadhyay Awas Yojana નો લાભ કોને મળે છે?

જવાબ :- પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનાનો લાભ ગુજરાત રાજ્યના સામાજિક અને શૈક્ષણિક રીતે ૫છાતવર્ગ, આર્થિક ૫છાતવર્ગ અને વિચરતી વિમુકત જાતિના પરિવારોને મળશે.

2.પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનામાં કેટલો લાભ મળે છે?

જવાબ :- Pandit Deendayal Upadhyay Awas Yojana હેઠળ લોકોને પ્રથમ માળ ઉપર ઘર બનાવવા માટે રૂપિયા ૧,૨૦,૦૦૦ ની સહાય આપવામાં આવશે.

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું

2 thoughts on “પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2023 | Pandit Deendayal Upadhyay Awas Yojana”

Leave a Comment