પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2023 | Pandit Deendayal Upadhyay Awas Yojana

 

પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2023 | Pandit Deendayal Upadhyay Awas Yojana – મિત્રો પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના શું છે?, આ પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનાનો લાભ કોને મળશે?, આ યોજનામાં કેટલો લાભ મળશે? આ યોજનાનો લાભ મેળવવા માટે ક્યાં-ક્યાં ડોક્યુમેન્ટ જોઈએ અને આ યોજના માટે અરજી કેવી રીતે કરવી?, આ સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં જાણવા માંગો છો તો તમે એક દમ પરફેક્ટ જગ્યા પર આવ્યા છો કારણ કે આજના આ લેખમાં આપણે પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનાની સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં જાણીશું.

 

પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના

 

પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના શું છે?

Pandit Deendayal Upadhyay Awas Yojana હેઠળ સામાજિક અને શૈક્ષણિક રીતે ૫છાતવર્ગ, આર્થિક ૫છાતવર્ગ અને વિચરતી વિમુકત જાતિના લોકોને જેના પાસે ઘર નથી તેવા ઈસમોને શહેરોમાં અને ગામડામાં વસવાટની મુશ્કેલીઓ દૂર કરવા માટે માલિકીનો પ્લોટ ધરાવતા ઈસમોને મકાન બાંધવા માટે સરકાર દ્રારા સહાય આપવામાં આવશે.

પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના હેઠળ કેટલી સહાય મળશે?

પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના હેઠળ લોકોને પ્રથમ માળ ઉપર ઘર બનાવવા માટે રૂપિયા ૧,૨૦,૦૦૦ ની સહાય આપવામાં આવશે. જે ત્રણ અલગ-અલગ હપ્તા પ્રમાણે આપવામાં આવશે, જે નીચે મુજબ છે.

  • પ્રથમ હપ્તો-(આ યોજનામાં તમારી અરજી મંજુર થાય તેવો જ આપવામાં આવશે) – ₹.૪૦,૦૦૦
  • બીજો હપ્તો-(લીન્ટલ લેવલે પહોંચ્યા બાદ) –  ₹.૬૦,૦૦૦
  • ત્રીજો હપ્તો-(શૌચાલય સહિતનું બાંધકામ પૂર્ણ થયા પછી) –  ₹.૨૦,૦૦૦

પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનામાં અરજી કરવા માટે જરૂર ડોકયુમેન્ટ અને પાત્રતા

જે મિત્રો પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના માં અરજી કરવા માંગે છે, તેમને નીચે આપેલા તમામ દસ્તાવેજની જરૂર છે. ત્યારે જ તમે આ યોજનાનો લાભ મેળવી શકશો.

  • લાભાર્થીની આવક મર્યાદા ૬,૦૦,૦૦૦/- હોવી જોઈએ.
  • અરજી મંજુર થયાના 2 વર્ષમાં મકાન બાંધકામ પૂર્ણ કરવાનું રહેશે.
  • અરજદારની જાતિ/પેટા જાતિનો દાખલો (આર્થિક પછાતવર્ગના અરજદારે જાતિનો દાખલો જોડવાની જરૂર નથી.), અરજદારનું લીવીંગ સર્ટીફીકેટ (શિક્ષિત હોય તો)
  • આવકનો દાખલો
  • અરજદારનો રહેઠાણનો પુરાવો (આધાર કાર્ડ/ વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈપણ એક)
  • કોઈ ગરીબી આવાસ યોજના હેઠળ જમીન/તૈયાર મકાન મળેલ હોય તે ફાળવણીના હુકમની, એલોટમેન્ટ લેટરની પ્રમાણિત નકલ.
  • જમીન માલિકીનું આધાર/દસ્તાવેજ/અકારની પત્રક/હક પત્રક/સનદ પત્રક ( જે લાગુ પડતુ હોય તે )
  • અરજદારને મકાન સહાય મંજુર કરવા માટે ગ્રામપંચાયતના તલાટી ક્મ મંત્રી / સિટી તલાટી ક્મ મંત્રી / સર્કલ ઇન્સ્પેક્ટરે આપવાનું પ્રમાણપત્ર
  • મકાન બાંધકામ કરવાની રજા ચિઠ્ઠી
  • BPLનો દાખલો
  • પતિના મરણ નો દાખલો (જો વિધવા હોય તો)
  • જે જમીન ઉપર મકાન બાંધવાનું છે, તે જમીન ના ક્ષેત્રફળ જણાવતા ચતુર્દિશા દર્શાવતા નકશા ની નકલ (તલાટી-કમ-મંત્રિશ્રિ)ની સહીવાળી.
  • પાસબુક / કેન્સલ ચેક
  • અરજદારના ફોટો

ડો.આંબેડકર આવાસ યોજનામાં અરજી કેવી રીતે કરવી?

જે મિત્રો Pandit Deendayal Upadhyay Awas Yojana માં અરજી કરવા માંગે છે તે નીચે આપેલી પ્રક્રિયાને ફોલો કરીને, તમે અરજી કરી શકો છો

પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનામાં અરજી તમે જાતે પણ કરી શકો છો જે તમારે esamajkalyan Portal પર અરજી કરી શકો છો અથવા તમે તમારા નજીકના CSC સેન્ટર કે જ્યાં ઓનલાઇન કામગીરી કરતા હોય ત્યાં જઈને તમે ઓનલાઇન અરજી કરી શકો છો.

(ખાસ નોંધ:-પ્રિય મિત્રો તમે અહીંયા esamajkalyan Portal પર ઓનલાઇન જાતે અરજી કરી શકો છો પરંતુ જ્યાં સુધી બને ત્યાં સુધી તમે તમારા નજીકનાં ઓનલાઇન સેન્ટર કે જ્યાં આવી ઓનલાઇન કામગીરી થતી હોય ત્યાં જઈને તમે ઓનલાઇન અરજી કરવો જેથી તમારી અરજીમાં કોઈ ભૂલ ના થાય.)

આ પણ વાંચો:-

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું

Leave a Comment