ઘરઘંટી સહાય યોજના 2023 | Flour Mill Sahay Yojana

મારાં વ્હાલા ગુજરાતના મિત્રો આજના આ લેખમાં આપણે ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્રારા લોકોના હિત માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે, જે માંથી આ એક છે, જેનું નામ છે, ઘરઘંટી સહાય યોજના.

 

તો ચાલો જાણીએ કે ઘરઘંટી સહાય યોજના શું છે?, ઘરઘંટી સહાય યોજનાનો હેતુ શું છે?, આ યોજનાનો લાભ કયા લોકોને મળશે?, આ યોજનામાં કેટલો લાભ મળશે?, આ યોજનામાં અરજી કરવા માટે કયા-કયા ડોક્યુમેન્ટ જોઈએ અને ઘરઘંટી સહાય યોજનામાં અરજી કેવી રીતે કરવી. આ તમામ માહિતી ગુજરાતી ભાષાંમાં જાણવા માંગો છો, તો આ લેખને અંત સુધી વાંચો.

 


ઘરઘંટી સહાય યોજના


ઘરઘંટી સહાય યોજના શું છે?

Flour Mill Sahay Yojana એ ગુજરાત સરકારની માનવ કલ્યાણ યોજના હેઠળ ચલાવવામાં આવે છે. આ માનવ કલ્યાણ યોજનાનો એક ભાગ છે. આ યોજના હેઠળ ગુજરાત રાજ્યના સમાજના પછાત અને આર્થિક રીતે નબળાં લોકોને આ યોજનાનો લાભ આપવામાં આવશે. જે લોકો ઘરઘંટી ખરીદવા માંગે છે પરંતુ આર્થિક સ્થતિના કારણે ઘરઘંટી નથી ખરીદી શકતા તેવા નાગરિકો આ યોજના હેઠળ ઘરઘંટી ખરીદવા માટે રૂપિયા 15,000/- ની સહાય આપવામાં આવશે.


ઘરઘંટી સહાય યોજનાનો હેતુ શું?

Flour Mill Sahay Yojana ચાલુ કરવાનો મુખ્ય હેતુ જે લોકો ઘંટી(ફ્લોર મિલ) ચાલુ કરવા માંગે છે, પરંતુ તેમના પરિવારની આર્થિક સ્થિતિ સારી ના હોવાથી ઘંટી(ફ્લોર મિલ) નથી ખરીદી શકતા તેથી આ યોજના હેઠળ તેમને ઘંટી(ફ્લોર મિલ) ખરીદવા માટે સહાય આપવામાં આવે છે જેથી આવા લોકો પોતાનો વ્યવસ્યા ચાલુ કરી આત્મનિર્ભર બની શકે.


ઘરઘંટી સહાય યોજનાનો લાભ કયા લોકોને મળશે? (પાત્રતા અને શરતો)

જે પણ લોકો આ યોજનાનો લાભ મેળવવા માંગે તેમના માટે ચોક્કસ પાત્રતાઓ નક્કી થયેલી છે. જો તે પાત્રતાનું પાલન તમારી સાથે થશે તે લોકોને જ આ યોજનાનો લાભ મળશે? જે પાત્રતા નીચે મુજબ છે.

 

  • લાભાર્થી ગુજરાત રાજ્યનો વતની હોવો જોઈએ.
  • આ યોજનાનો લાભ સમાજના પછાત અને આર્થિક રીતે નબળાં લોકો મળશે.
  • જે લોકો પાસે BPL કાર્ડ છે તે લોકોને આ યોજનાનો લાભ મળશે.
  • જો લાભાર્થી ગ્રામીણ વિસ્તારમાં રહે છે તો તેના કુટુંબની વાર્ષિક આવક 1,20,000/- હોવી જોઈએ.
  • જો લાભાર્થી શહેરી વિસ્તારમાં રહે છે તો તેના કુટુંબની વાર્ષિક આવક 1,50,000/- હોવી જોઈએ.

ઘરઘંટી સહાય યોજનામાં મળવાપાત્ર સહાય

સમાજના પછાત અને આર્થિક રીતે નબળાં લોકો જે ઘંટી(ફ્લોર મિલ) ખરીદવા માંગે છે, પરંતુ તેની પાસે રૂપિયા ના હોવાના કારણે ઘંટી(ફ્લોર મિલ) ખરીદી શકતા નથી પરંતુ જો તેમને ઘંટી(ફ્લોર મિલ) ખરીદવી છે. તો આ Flour Mill Sahay Yojana હેઠળ તેમને રૂપિયા 15,000/- ની સહાય આપવામાં આવે છે.


આ પણ વાંચો:-

ફ્રી સિલાઈ મશીન યોજના :- પાત્રતા ધરાવતા ગુજરાતના લોકોને આપવામાં આવશે મફત સિલાઈ મશીન


ઘરઘંટી સહાય યોજનામાં અરજી કરવા માટે ક્યાં-ક્યા ડોક્યુમેન્‍ટ જોઈએ

Flour Mill Sahay Yojana નો લાભ લેવા માટે આ યોજનામાં તમારે અરજી કરવાની રહેશે. જેના માટે તમારે નીચે મુજબના ડોક્યુમેન્ટની જરૂર રહેશે. ત્યારે જ તમે ફોર્મ ભરી શકશો.

 

  • લાભાર્થીના આધારકાર્ડની ઝેરોક્ષ.
  • લાભાર્થીના ચૂંટણીકાર્ડની ઝેરોક્ષ.
  • લાભાર્થીનું રેશનકાર્ડ.
  • આવકનો દાખલો
  • ગ્રામ્ય વિસ્તારનો BPL સ્કોર સાથેનો દાખલો.
  • શહેરી વિસ્તાર રહેતા હોય તો સુવર્ણ કાર્ડની નકલ.
  • લાભાર્થીનો ઉંમરનો પુરાવો.
  • લાભાર્થીનો જાતિનો દાખલો (જે જાતિનો હોય તે)
  • જો વિધવા મહિલા હોય તો વિધવા હોવાનું પ્રમાણપત્ર.
  • ફ્લોર મિલની તાલીમ મેળવેલ હોય તો અનુભવ અંગેનું પ્રમાણપત્ર.

ઘરઘંટી સહાય યોજનામાં અરજી કેવી રીતે કરવી?

Flour Mill Sahay Yojana માં તમારે ઓનલાઇન અરજી કરવાની રહેશે. તો ઓનલાઇન અરજી કેવી રીતે કરવી. તેની સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે.

 

  • સૌ પહેલા તમારે Google માં સેર્ચમાં જઈને “e-Kutir Portal” સર્ચ કરવાનું રહેશે.
  • હવે તામરી સામે આ યોજનાની અધિકૃત વેબસાઈટ e-Kutir Portal નું હોમ પેજ ખુલશે.
  • E-Kutir Portal ના હોમ પેજ પર ઘણી બધી યોજનાઓ દેખાશે જેમાં “માનવ કલ્યાણ યોજના” પહેલી યોજના પર ક્લિક કરો.
  • જો તમે પહેલા કોઈ દિવસ E Kutir Portal પર ઓનલાઇન અરજી કરી છે તો User Id અને Password બનાવેલ હોય તો “Login to Portal” કરવાનું રહેશે.
  • જો તમે પહેલા કોઈ દિવસ અરજી કરી નથી તો તમારે નવું રજીસ્ટ્રેશન કરવાનું રહેશે અને લોગીન થવાનું રહેશે.
  • લોગીન કર્યા બાદ માનવ કલ્યાણ યોજનામાં ચાલતી વિવિધ નામની અલગ-અલગ યોજના બતાવશે.
  • જેમાં આ તમારી સામે આ યોજનાનું ફોર્મ ખૂલશે.
  • જેમાં હવે તમારે માગ્યા મુજબની તમામ વ્યક્તિગત માહિતી ભરીને “Save & Next” પર ક્લિક આપવાનું રહેશે.
  • હવે અહીંયા ઘણા બધા ઓપ્શન જોવા મળશે જેમાં તમારા અનુભવ અને અભ્યાસને ધ્યાનમાં રાખીને “ઘરઘંટી સહાય યોજના” માટે અરજી સિલેક્ટ કરવાનું રહેશે.
  • તેના પછી ઘંટી(ફ્લોર મિલ) કામ માટે તમે જે અભ્યાસ કર્યો હોય તે પ્રમાણપત્ર તથા અનુભવના પ્રમાણપત્રોની વિગતો દાખલ કરવાની રહેશે.
  • અરજદારે હવે આધારકાર્ડની નકલ, રેશનકાર્ડની નકલ, BPL ના ડોક્યુમેન્ટે અને ધંધાના અનુભવ અંગેનો દાખલો વગેરે માગ્યા મુજબ તમામ ડોકયુમેન્ટ Document Upload કરવાના રહેશે.
  • હવે ત્યારબાદ આપેલી નિયમો અને શરતો વાંચીને “Confirm Application” ક્લિક કરવાનું રહેશે.
  • છેલ્લે, ઓનલાઈન અરજી કર્યા બાદ જે એપ્લિકેશન નંબર આવે તેને તમારે સુરક્ષિત જગ્યાએ સાચવીને રાખવાનો રહેશે.
  • આ રીતે તમે ઓનલાઇન અરજી કરી શકો છો.

 

ખાસ નોંધ:- જો તમને અરજી કરતા ના આવતું હોય તો તમે તમારા ગામની ગ્રામપંચાયતમાં બેસતા V.C.E પાસે જઈને અથવા તમારા નજીકમાં આવેલ CSC સેન્ટર પર જઈને ફોર્મ ભરી શકો છો. (જયાં સુધી બની શકે ત્યાં સુધી પોતાની જાતે અરજી કરવી નહીં)


આ પણ વાંચો:-

ફ્રી સિલાઈ મશીન લોન યોજના :- ગુજરાતના લોકોને સિલાઈ મશીન ખરીદવા માટે આપવામાં આવશે લોન


ઘરઘંટી સહાય યોજના હેલ્પલાઈન નંબર

પ્રિય મિત્રો અહીં અમે તમને Flour Mill Sahay Yojana ની સંપૂર્ણ માહિતી આપી છે. પરંતુ જો તમે હજુ આ યોજના વિશે વધુ માહિતી જાણવા માંગો છો. તમારી નજીક આવેલ જિલ્લા ઉધોગ કેન્દ્ર પર જઈને Flour Mill Sahay Yojana વિશે માહિતી મેળવી શકો છો.


Flour Mill Sahay Yojana માટેની મહત્વપૂર્ણ લિંકો

Flour Mill Sahay Yojana માં અરજી કરવા માટેની સત્તાવાર વેબસાઇટ અહીં ક્લિક કરો.
ગુજરાત સરકાર અને ભારત સરકારની તમામ સરકારી યોજના વિશે જાણવા અમારા Whatsapp ગ્રુપ સાથે જોડાવો. અહીં ક્લિક કરો.
અમારી વેબસાઈટનું હોમ પેજ અહીં ક્લિક કરો.

FAQs – વારંવાર પૂછાતા પ્રશ્નો

1.ઘરઘંટી સહાય યોજનાનો લાભ કોને આપવામાં આવે છે?

જવાબ :- ગુજરાત રાજ્યના સમાજના પછાત અને આર્થિક રીતે નબળાં લોકોને આ યોજનાનો લાભ આપવામાં આવશે.

 

2.ઘરઘંટી સહાય યોજનામાં કેટલી સહાય આપવામાં આવે છે?

જવાબ :- ફ્રી સિલાઈ મશીન યોજનામાં રૂપિયા 15,000/- ની સહાય આપવામાં આવે છે.

 

3.Flour Mill Sahay Yojana માં આવક મર્યાદા કેટલી હોવી જોઈએ.

જવાબ :- જો લાભાર્થી ગ્રામીણ વિસ્તારમાં રહે છે તો તેના કુટુંબની વાર્ષિક આવક 1,20,000/- હોવી જોઈએ. અને જો લાભાર્થી શહેરી વિસ્તારમાં રહે છે તો તેના કુટુંબની વાર્ષિક આવક 1,50,000/- હોવી જોઈએ.

 

4.ઘરઘંટી સહાય યોજનામાં અરજી કરવાં માટેની વેબસાઈટ કઈ છે?

જવાબ :- e-Kutir Portal પરથી ઓનલાઇન અરજી કરી શકો છો.

પોસ્ટ શેર કરો:
           

Leave a Comment