નમો ટેબ્લેટ યોજના 2023 | NamoTablet Yojana

 

મારાં વ્હાલા ગુજરાતના મિત્રો આજના આ લેખમાં આપણે ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્રારા વિધાર્થીઓ માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે, જે માંથી આ એક છે, જેનું નામ છે, નમો ટેબ્લેટ યોજના.

 

તો ચાલો જાણીએ કે નમો ટેબ્લેટ યોજના શું છે?, નમો ટેબ્લેટ યોજના નો હેતુ શું છે?, આ યોજનાનો લાભ કયા લોકોને મળશે?, આ યોજનામાં કેટલો લાભ મળશે?, આ યોજનામાં અરજી કરવા માટે કયા-કયા ડોક્યુમેન્ટ જોઈએ અને નમો ટેબ્લેટ યોજનામાં અરજી કેવી રીતે કરવી. આ તમામ માહિતી ગુજરાતી ભાષાંમાં જાણવા માંગો છો, તો આ લેખને અંત સુધી વાંચો.

 

નમો ટેબ્લેટ યોજના

 

નમો ટેબ્લેટ યોજના

ગુજરાત સરકાર દ્રારા ડિજિટલ ઇન્ડિયા અભિયાનાને લોકપ્રિય કરવા માટે Namo Tablet Yojana શરૂ કરવામાં આવી છે. આ Namo Tablet Yojana હેઠળ કોલેજમાં અભ્યાસ કરતા વિધાર્થીઓને રૂપિયા 7 થી 8 હજાર નું ટેબ્લેટ માત્ર રૂપિયા  1000/- માં સારી ગુણવત્તાવાળું ટેબ્લેટ આપવામાં આવશે.

 

નમો ટેબ્લેટ યોજનાનો હેતુ શું?

નમો ટેબ્લેટ યોજનાનો મુખ્ય હેતુ વિધાર્થીઓને રાહત દરે ટેબ્લેટ પુરા પાડવા. જેથી નમો ટેબ્લેટ યોજના ગુજરાત દ્રારા કોલેજ અથવા ઉચ્ચ અભ્યાસ કરતા વિધાર્થીઓ સારો અભ્યાસ કરી શકે. વધુમાં વિધાર્થીઓ ટેબ્લેટ અને ટેકનોલોજીનો ઉપયોગ કરીને તેમના શેક્ષણિક હેતુઓને સારી રીતે સિદ્ધ કરી શકે. તે જ આ યોજનાનો મુખ્ય હેતુ છે.

 

નમો ટેબ્લેટ યોજનાનો લાભ કોને મળશે? (પાત્રતા અને શરતો)

જે વિધાર્થીઓ આ યોજનાનો લાભ મેળવવા માંગે તેમના માટે ચોક્કસ પાત્રતાઓ નક્કી થયેલી છે. જો તે પાત્રતાનું પાલન તમારી સાથે થશે તે જ વિધાર્થીઓને આ યોજનાનો લાભ મળશે? જે પાત્રતા નીચે મુજબ છે.

 

  • વિધાર્થી ગુજરાતનો વતની હોવો જોઈએ.
  • વિધાર્થીઓ ગુજરાત રાજ્ય બોર્ડ અથવા અન્ય ગુજરાત રાજ્ય માન્ય બોર્ડની ધોરણ-12 ની પરીક્ષા પાસ કરેલી હોય.
  • ત્યારબાદ ઉચ્ચ અભ્યાસ માટે ગુજરાત રાજ્યની કોલેજ અને પોલીટેકનીકના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવ્યો હોય તેવા વિધાર્થીઓને આ યોજનાઓ લાભ મળશે.
  • જે વિધાર્થીએ ધોરણ 12 પ્રથમ ટ્રાયમાં પાસ કર્યું છે તે જ વિધાર્થીને આ યોજનાનો લાભ મળશે.

 

નમો ટેબ્લેટ યોજનામાં મળવાપાત્ર સહાય?

 

  • ગુજરાત સરકાર પીએમ નમો ટેબ્લેટ યોજના હેઠળ કોલેજના વિધાર્થીઓને આ યોજનાનો લાભ આપવામાં આવશે.
  • કોલેજમાં અભ્યાસ કરતા સ્ટુડન્ટને માત્ર 1000 રૂપિયામાં ટેબ્લેટ આપવામાં આવશે.
  • Namo Tablet Yojana દ્રારા અંદાજીત 5,00,000/- મહિલા વિધાર્થીઓને લાભ આપવામાં આવશે.

 

નમો ટેબ્લેટની ખાસિયતો શું?

વિધાર્થીઓને Lenovo, Acer નું ટેબ્લેટ આપવામાં આવે છે. જેની બજાર કિંમત 8000 રૂપિયા છે. ટેબ્લેટ ની વધુ માહિતી નીચે ટેબલ માં આપેલી છે.

 

Namo Tablet RAM 1 GB
Namo Tablet  Processor 1.3GHz MediaTech
Chipset Quad-Core
Namo Tablet Internal Memory 8GB
Namo Tablet External Memory 64GB
Namo Tablet Camera 2MP (Rear), 0.3MP (Front)
Namo Tablet Display 7inch
Namo Tablet Touch Screen CapaCitive
Namo Tablet Battery 3450 MAh Li-Ion
Namo Tablet Operating System Android V5.1 Lollipop

નમો ટેબ્લેટ યોજનામાં અરજી કરવા માટે ક્યાં-ક્યા ડોક્યુમેન્‍ટ જોઈએ.

Namo Tablet Yojana નો લાભ લેવા માટે આ યોજનામાં તમારે અરજી કરવાની રહેશે. જેના માટે તમારે નીચે મુજબના ડોક્યુમેન્ટની જરૂર રહેશે. ત્યારે જ તમે ફોર્મ ભરી શકશો.

 

  • વિધાર્થીનું આધાર કાર્ડ
  • ચૂંટણીકાર્ડ
  • રહેઠાણનો પુરાવો
  • ધોરણ-12 ની માર્કશીટ
  • Domicile Certificate
  • જાતિનુંપ્રમાણપત્ર
  • BPL કાર્ડ ધરાવતા હોય તો તેનું રેશનકાર્ડ
  • ગ્રેજ્યુએશન ના પ્રથમ વર્ષના પ્રવેશ મેળવ્યો હોય તેનું પ્રમાણપત્ર
  • કોલેજના પ્રથમ વર્ષના પ્રવેશ મેળવ્યાની પહોંચ

 

નમો ટેબ્લેટ યોજનામાં અરજી કેવી રીતે કરવી?

Namo Tablet Yojana માં તમારે ઓનલાઇન કે ઓફલાઈન અરજી કરવાની હોતી નથી. આ યોજનાનો લાભ તમે જે કોલેજમાં અભ્યાસ કરો છો ત્યાંથી આપવામાં આવે છે. જ્યારે આ યોજનાની શરૂઆત થાય છે ત્યારે કોલેજ દ્રારા તમને જાણ કરવામાં આવે છે અને નમો ટેબ્લેટમાં અરજી કરીને વિતરણ સુધીની તમામ પ્રક્રિયા કોલેજ દ્રારા કરવામાં આવે છે.

 

નમો ટેબ્લેટ યોજના હેલ્પલાઈન 

પ્રિય મિત્રો અહીં અમે તમને Namo Tablet Yojana વિશે સંપૂર્ણ માહિતી આપી છે. પરંતુ જો તમને આ યોજના વિશે કોઈપણ પ્રકારની સમસ્યા હોય કે આ યોજના વિશે વધુ માહિતી મેળવવી હોય તો તમે જે કોલેજમાં અભ્યાસ કરો છો તે કોલેજમાંથી આ યોજના વિશે વધુ માહિતી મેળવી શકો છો. અથવા નીચે આપેલ હેલ્પલાઇન નંબર પરથી માહિતી મેળવી શકો છો.

 

  • Namo Tablet Yojana Helpline Number:- 18002335500

 

આ પણ વાંચો:-

લેપટોપ સહાય યોજના

 

નમો ટેબ્લેટ યોજના માટેની મહત્વપૂર્ણ લિંકો

NamoTablet Yojana માં અરજી કરવા માટેની સત્તાવાર વેબસાઇટ અહીં ક્લિક કરો.
ગુજરાત સરકાર અને ભારત સરકારની તમામ સરકારી યોજના વિશે જાણવા અમારા Whatsapp ગ્રુપ સાથે જોડાવો. અહીં ક્લિક કરો.
અમારી વેબસાઈટનું હોમ પેજ અહીં ક્લિક કરો.

 

FAQs – વારંવાર પૂછાતા પ્રશ્નો

1. Namo Tablet Yojana કોના દ્વારા ચલાવવામાં આવે છે?

જવાબ :- શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવે છે.

 

2.નમો ટેબ્લેટ યોજનાનો લાભ ક્યાં વિદ્યાર્થીઓને આપવામાં આવશે?

જવાબ :- કોલેજના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ આપવામાં આવશે.

 

3. નમો ટેબ્લેટ યોજનામાં વિદ્યાર્થીઓને કેટલા રૂપિયામાં ટેબ્લેટ આપવામાં આવે છે.

જવાબ: વિદ્યાર્થીઓને માત્ર 1000 રૂપિયામાં નમો ટેબ્લેટ આપવામાં આવશે.

 

4. Namo Tablet Yojana માં અરજી કઈ વેબસાઈટ પરથી કરવાની હોય છે?

જવાબ :- NamoTablet Yojana નો લાભ લેવા માટે ડિજીટલ ગુજરાત પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. જે સંપૂર્ણ પ્રક્રિયા કોલેજ દ્રારા કરવામાં આવે છે.

પોસ્ટ શેર કરો:
           

1 thought on “નમો ટેબ્લેટ યોજના 2023 | NamoTablet Yojana”

Leave a Comment