પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના 2022 | Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana

ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્રારા લોકોના હિત માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે, જે માંથી આ એક છે, જેનું નામ છે, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના.

તો ચાલો જાણીએ કે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના શું છે?, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનાનો હેતુ શું છે?, આ યોજનાનો લાભ કયા લોકોને મળશે?, આ યોજનામાં કેટલો લાભ મળશે?, આ યોજનામાં અરજી કરવા માટે કયા-કયા ડોક્યુમેન્ટ જોઈએ અને પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનામાં અરજી કેવી રીતે કરવી. આ તમામ માહિતી ગુજરાતી ભાષાંમાં જાણવા માંગો છો, તો આ લેખને અંત સુધી વાંચો.


Contents hide

પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના


પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના શું છે?

પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના એ ભારત સરકાર દ્રારા ચલાવવામાં આવે છે. દેશના 18 વર્ષથી 50 થી મહતમ 55 વર્ષની ઉંમરના લોકો માટે “Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana”  બનાવવામાં આવી છે. આ યોજના હેઠળ લાભાર્થીને બેંકમાં દર વર્ષે રૂપિયા 330 ભરવાના થશે. જેથી Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana અંતર્ગત વીમા કવરનો લાભ આપવામાં આવશે. જેથી 18 વર્ષ થી 55 વર્ષના સમયગાળામાં જો તે વ્યક્તિનું કોઈપણ કારણસર કુદરતી કે અકસ્માત થી મૃત્યુ થાય તો તે વ્યક્તિના પરિવારને રૂપિયા 2.00 લાખની સહાય આપવામાં આવે છે.


પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનાનો હેતુ શું?

પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનાનો મુખ્ય હેતુ આ યોજના હેઠળ વ્યક્તિનું કોઈપણ કારણસર કુદરતી કે અકસ્માત થી મૃત્યુ થાય તો આવા સમયે ગરીબ પરિવારને  રૂપિયા 2.00 લાખની સહાય મળી રહે. જેથી તેના પરિવારના પાછળના સભ્યો સારી રીતે જીવન જીવી શકે તે જ આ યોજનાનો મુખ્ય હેતુ છે.


પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનાનો લાભ કયા લોકોને મળશે? (પાત્રતા અને શરતો)

દેશના જે પણ લોકો આ યોજનાનો લાભ મેળવવા માંગે તેમના માટે ચોક્કસ પાત્રતાઓ નક્કી થયેલી છે. જો તે પાત્રતાનું પાલન તમારી સાથે થશે તે લોકોને જ આ યોજનાનો લાભ મળશે? જે પાત્રતા નીચે મુજબ છે.

  • આ યોજનાનો લાભ મેળવવા માંગતા વ્યક્તિની ઉંમર 18 વર્ષથી 50 વર્ષ હશે તેમને આ યોજનાનો લાભ મળશે.
  • કોઈપણ બેંકોમાં ખાતું ધરાવતા લોકોને આ યોજનાનો લાભ મળશે.
  • જે વ્યક્તિ આ યોજનાનો લાભ લેવા માંગે છે. તેમનું બેંક એકાઉન્ટ સાથે આધારકાર્ડ લિંક હોવું જોઈએ.

પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનામાં કેટલું સુરક્ષા કવચ મળે છે?

જે વ્યક્તિએ “Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana” માં અરજી કરી છે. અને જો તે વ્યક્તિ દર વર્ષે યોજના હેઠળ વીમો ભરવાનું ચાલુ કરેલ છે તો તેને 18 વર્ષ થી 55 વર્ષના સમયગાળામાં જો તે વ્યક્તિનું કોઈપણ કારણસર કુદરતી કે અકસ્માત થી મૃત્યુ થાય તો તે વ્યક્તિના પરિવારને રૂપિયા 2.00 લાખની સહાય (સુરક્ષા કવચ) મળવાપાત્ર છે.


પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના હેઠળ પ્રીમિયમ કેટલું અને ક્યારે ભરવાનું?

Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana હેઠળ તમારે વાર્ષિક પ્રીમિયમ 320 રૂપિયા ભરવાનું હોય એટલે કે તમારે વર્ષમાં એક વખત આ હપ્તો ભરવાનો હોય છે. જે તમારે 31મી મેના રોજ અથવા તે પહેલાં તમે આ પ્રીમિયમ ભરી શકો છો.


પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનામાં મળતો લાભ ક્યારે બંધ થઈ જાય છે?

Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana માં મળતો લાભ ઘણા બધા કારણોસર બંધ થઈ જાય છે. જે નીચે મુજબ છે.

  • જો તમારું બેંક એકાઉન્ટ બંધ કરી દો છો અથવા કોઈ કારણોસર તમારું એકાઉન્ટ બંધ થઈ જાય છે, ત્યારે આ યોજનાનો લાભ મળતો બંધ થઈ જાય છે.
  • આ યોજના મુજબ તમારી ઉંમર એટલે કે 55 વર્ષ પૂર્ણ થાય છે, તો તમને આ યોજનાનો લાભ મળતો બંધ થઈ જશે.
  • જે સમયે આ પ્રીમિયમ લેવામાં આવશે અને જો તમારા બેંક એકાઉન્ટમાં આ પ્રીમિયમ જેટલું બેલેન્સ નહીં તો પણ આ યોજનાનો લાભ મળતો બંધ થઈ જશે.

પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનામાં જો સમય મુજબ હપ્તોના ભરી શકાય તો શું?

Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana નો જો વાર્ષિક હપ્તો કોઈકારણો સર તારીખ પહેલાં જમા કરાવી શકાતો નથી, તો તમે સારા સ્વાસ્થ્યની સ્વ-ઘોષણા સાથે એકમ રકમમાં સંપૂર્ણ વાર્ષિક પ્રીમિયમ ભરીને ફરીથી પોલિસીનું નવીકરણ કરી શકાય છે.


પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનામાં અરજી કરવા માટે ક્યાં-ક્યા ડોક્યુમેન્‍ટ જોઈએ

Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana નો લાભ લેવા માટે આ યોજનામાં તમારે અરજી કરવાની રહેશે. જેના માટે તમારે નીચે મુજબના ડોક્યુમેન્ટની જરૂર રહેશે. ત્યારે જ તમે ફોર્મ ભરી શકશો.

  • આધારકાર્ડ
  • ઓળખનો પુરાવો
  • બેંક પાસબુક
  • મોબાઈલ નંબર
  • પાસપોર્ટ સાઈઝ ફોટા

પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનામાં અરજી કેવી રીતે કરવી?

Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana માં તમારે ઓફલાઈન અરજી કરવાની રહેશે. જેની સંપૂર્ણ માહિતી નીચે મુજબ છે.

  • જે લોકો આ યોજનામાં અરજી કરવા માંગે છે. તેમને…
  • સૌ પ્રથમ પોતાને જે બેંકમાં એકાઉન્ટ હોય તે બેંકમાં જવાનું રહેશે.
  • ત્યાં જઈને તમારે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનાનું ફોર્મ મેળવવાનું રહેશે. (જે ફોર્મની ડાઉનલોડ લિંક નીચે આપેલ છે.)
  • હવે ત્યારબાદ તે તમને પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના ફોર્મ આપશે.
  • હવે તમારે તે ફોર્મને સંપૂર્ણ રીતે ભરીને તેની સાથે ઉપર આપેલા ડોક્યુમેન્ટ્સ સાથે જોડવા.
  • હવે ફરીથી તે ફોર્મની એક ચકાસણી કરીને જો તમારું ફોર્મ તૈયાર હોય તો તે ફોર્મને બેંક અધિકારી પાસે જમા કરાવી દો.
  • આ રીતે તમે Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana માં અરજી કરી શકો છો.

આ પણ વાંચો:-

મહિલા સન્માન બચત પત્ર યોજના


પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના માટે કેવી રીતે દાવો કરવો?

Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana યોજના હેઠળ જે વ્યક્તિનો વીમો લેવામાં આવ્યો છે જો તેનું કોઈ કારણોસર મૃત્યુ થયા પછી તેનો નોમિની જીવન જ્યોતિ વીમા યોજના હેઠળ દાવો કરવાનો હોય છે. ત્યારે તેમને 2 લાખનો વીમો આપવામાં આવે છે.

  • સૌ પ્રથમ પોલિસી ધારકના નોમિનીએ બેંકનો સંપર્ક કરવાનો રહેશે.
  • હવે તે નોમિનીએ બેંકમાંથી પ્રધાન મંત્રી જીવન જ્યોતિ વીમા ક્લેમ ફોર્મ અને ડિસ્ચાર્જ રસીદ લેવાની મેળવવાની રહેશે.
  • હવે નોમિનીએ તે ફોર્મ ભરીને તેની સાથે મૃત્યુ પ્રમાણપત્ર અને રદ કરેલ ચેક અને ડિસ્ચાર્જ રસીદ ક્લેમ ફોર્મ સાથે જોડીને બેંકમાં જમા કરવાનાં રહશે.
  • આ રીતે તમે Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana માં દાવો કરી શકો છો.

દાવો કરવા માટે ખાસ નોંધ:- અરજી કર્યા પછી 45 દિવસ સુધી દાવો કરી શકાતો નથી. તમે 45 દિવસ પછી જ દાવો દાખલ કરી શકો છો.


પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના હેલ્પલાઈન નંબર

પ્રિય મિત્રો અહીં અમે તમને PMJJBY ની સંપૂર્ણ માહિતી આપી છે. પરંતુ જો તમે હજુ આ યોજના વિશે વધુ માહિતી જાણવા માંગો છો. તો તમે તમારી નજીકની બેંકમાં જઈને આ યોજના વિશે માહિતી મેળવી શકો છો અથવા અહીં નીચે આપેલા હેલ્પલાઇન નંબર પર કોલ કરીને Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana વિશે માહિતી મેળવી શકો છો.

  • હેલ્પલાઇન નંબર 18001801111  – 1800110001

પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના માટેની મહત્વપૂર્ણ લિંકો

પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનાની અધિકારીક વેબસાઈટ અહીં ક્લિક કરો.
ગુજરાત સરકાર અને ભારત સરકારની તમામ સરકારી યોજના વિશે જાણવા અમારા Whatsapp ગ્રુપ સાથે જોડાવો. અહીં ક્લિક કરો.
અમારી વેબસાઈટનું હોમ પેજ અહીં ક્લિક કરો.

FAQs – વારંવાર પૂછાતા પ્રશ્નો

1.પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનાનો લાભ કોને મળે છે?

જવાબ :- આ યોજનાનો લાભ જે વ્યક્તિની ઉંમર 18 વર્ષથી 50 વર્ષ છે. તેમને સહાય મળશે.

2.પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનામાં કેટલી સહાય આપવામાં આવે છે?

જવાબ :- 18 વર્ષ થી 55 વર્ષના સમયગાળામાં જો તે વ્યક્તિનું કોઈપણ કારણસર કુદરતી કે અકસ્માત થી મૃત્યુ થાય તો તે વ્યક્તિના પરિવારને રૂપિયા 2.00 લાખની સહાય (સુરક્ષા કવચ) મળવાપાત્ર છે.

3.પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનામાં અરજી કેવી રીતે કરવી?

જવાબ :- આ યોજનામાં અરજી કરવા માટે તમારે તમારું જે બેંકમાં એકાઉન્ટ હોય તે બેંકમાં જઈને તમારે ઑફ્લાઈન અરજી કરવાની રહેશે.

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું

Leave a Comment