પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના | Pradhan Mantri Suryoday Yojana 2024

Pradhan Mantri Suryoday Yojana : ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્રારા લોકોના હિત માટે વારંવાર નવી યોજનાઓ ચલાવવામાં આવે છે, જે માંથી આ એક નવી યોજના છે, જેનું નામ છે, પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના.

તો ચાલો જાણીએ કે Pradhan Mantri Suryoday Yojana શું છે?, પ્રધાનમંત્રી સૂર્યોદય યોજનાનો હેતુ શું છે?, આ યોજનાનો લાભ કયા લોકોને મળશે?, આ યોજનામાં કેટલો લાભ મળશે?, આ યોજનામાં અરજી કરવા માટે કયા-કયા ડોક્યુમેન્ટ જોઈએ અને પ્રધાનમંત્રી સૂર્યોદય યોજનામાં અરજી કેવી રીતે કરવી. આ તમામ માહિતી ગુજરાતી ભાષાંમાં જાણવા માંગો છો, તો આ લેખને અંત સુધી વાંચો.


પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના શું છે? – Pradhan Mantri Suryoday Yojana In Gujarati

માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 22 જાન્યુઆરી, સોમવારના રોજ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાદ અયોધ્યામાંથી પરત ફર્યા પછી તેમણે નવી દિલ્હી ખાતે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોનું વીજ બિલ ઘટાડવા માટે નવીન પ્રધાનમંત્રી સૂર્યોદય યોજનાની જાહેરાત કરી. આ યોજનાનો લાભ ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારને મળશે. જેમાં એક કરોડ મકાનોની છત પર સોલર લગાવવામાં આવશે.


Highlight Of Pradhan Mantri Suryoday Yojana

યોજનાનું નામ Pradhan Mantri Suryoday Yojana
કોના દ્રારા શરૂ કરવામાં આવી પ્રધાનમંત્રી મોદી દ્રારા
યોજના કયારે લોન્ચ કરવામાં આવી 22 જાન્યુઆરી, 2024
લાભાર્થી ગરીબ અને આર્થિક રીતે નબળા પરિવારો
મળવાપાત્ર સહાય ઘર ની છત પર સોલાર પેનલ લગાવામાં આવશે.
ઓફિશિયલ વેબસાઈટ

પ્રધાનમંત્રી સૂર્યોદય યોજનાનો હેતુ શું?

આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય દેશના ગરીબ અને મધ્યમ વર્ગના 1 કરોડ પરિવારના ઘરો પર સોલાર પેનલ લગાવામાં આવશે. જેનાથી તે લોકોનું વીજ બિલ ઘટી જાય અને દેશને ઉર્જા ક્ષેત્રમાં આત્મનિર્ભર બનવામાં પણ મદદ મળે તે જ આ યોજનાનો મુખ્ય હેતુ છે.


પ્રધાનમંત્રી સૂર્યોદય યોજનાનો લાભ કયા લોકોને મળશે? (પાત્રતા અને શરતો)

જે પણ લોકો આ યોજનાનો લાભ મેળવવા માંગે તેમના માટે ચોક્કસ પાત્રતાઓ નક્કી થયેલી છે. જો તે પાત્રતાનું પાલન તમારી સાથે થશે તે લોકોને જ આ યોજનાનો લાભ મળશે? જે પાત્રતા નીચે મુજબ છે.

  • અરજદાર ગરીબ અને મધ્યમ વર્ગનો પરિવાર હોવો જોઈએ.
  • અરજદાર ભારતનો વતની હોવા જોઈએ.
  • અરજદારના પરિવારની વાર્ષિક આવક રૂપિયા 1 લાખથી 1.50 લાખ કે તેથી વધુ ન હોવી જોઈએ.
  • આ યોજનાનો લાભ મેળવવા માંગતા પરિવારનો કોઈ સભ્ય સરકારી નોકરીમાં ન હોવો જોઈએ.

પ્રધાનમંત્રી સૂર્યોદય યોજનામાં મળવાપાત્ર સહાય

Pradhan Mantri Suryoday Yojana હેઠળ દેશના ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોના ઘરોની છત પર સોલાર પેનલ લગાવામાં આવશે. જેથી તેમના ઘરના બીલોમાં ઘટાડો અથવા તેમના ઘરમાં બિલ આવતું બંધ થઈ જશે સાથે દેશને ઉર્જા ક્ષેત્રમાં આત્મનિર્ભર બનવામાં પણ મદદ મળશે.


પ્રધાનમંત્રી સૂર્યોદય યોજનામાં અરજી કરવા માટે ક્યાં-ક્યા ડોક્યુમેન્‍ટ જોઈએ?

Pradhan Mantri Suryoday Yojana નો લાભ લેવા માટે આ યોજનામાં તમારે અરજી કરવાની રહેશે. જેના માટે તમારે નીચે મુજબના ડોક્યુમેન્ટની જરૂર રહેશે. ત્યારે જ તમે ફોર્મ ભરી શકશો.

  • આધારકાર્ડ
  • રેશનકાર્ડ
  • વીજળી નું બિલ
  • વાર્ષિક આવકનું પ્રમાણપત્ર
  • રહેઠાણનો પુરાવો
  • બેંક પાસબુક
  • મોબાઈલ નંબર
  • પાસપોર્ટ સાઇઝ ફોટો

પ્રધાનમંત્રી સૂર્યોદય યોજનામાં અરજી કેવી રીતે કરવી?

Pradhan Mantri Suryoday Yojana માં તમારે ઓનલાઇન અરજી કરવાની રહેશે. તો ઓનલાઇન અરજી કેવી રીતે કરવી. તેની સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે.

  • આ યોજનાની અરજી લાભાર્થીએ આ યોજનાની ઓફિશિયલ વેબસાઈટ પરથી કરવાની રહેશે.
  • આ યોજનાની અરજી કરવા માટે ટૂંક જ સમયમાં વેબસાઈટ લોન્ચ કરવામાં આવશે.
  • ત્યારબાદ લાભાર્થી પોતાની પાત્રતા મુજબ આ યોજનામાં અરજી કરી શકશે.
  • જો તમને અરજી કરતા ના આવતું હોય તો તમે તમારા ગામની ગ્રામપંચાયતમાં બેસતા V.C.E પાસે જઈને અથવા તમારા નજીકમાં આવેલ CSC સેન્ટર પર જઈને ફોર્મ ભરી શકો છો. (જયાં સુધી બની શકે ત્યાં સુધી પોતાની જાતે અરજી કરવી નહીં)

પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના હેલ્પલાઈન નંબર

પ્રિય મિત્રો અહીં અમે તમને Pradhan Mantri Suryoday Yojana ની સંપૂર્ણ માહિતી આપી છે. પરંતુ જો તમે હજુ આ યોજના વિશે વધુ માહિતી જાણવા માંગો છો. તો આ https://solarrooftop.gov.in/ વેબસાઈટની મુલાકાત લો.


Pradhan Mantri Suryoday Yojana માટેની મહત્વપૂર્ણ લિંકો

Pradhan Mantri Suryoday Yojana માં અરજી કરવા માટેની સત્તાવાર વેબસાઇટ
ગુજરાત સરકાર અને ભારત સરકારની તમામ સરકારી યોજના વિશે જાણવા અમારા Whatsapp ગ્રુપ સાથે જોડાવો. અહીં ક્લિક કરો.
અમારી વેબસાઈટનું હોમ પેજ અહીં ક્લિક કરો.

FAQs – વારંવાર પૂછાતા પ્રશ્નો

1.પ્રધાનમંત્રી સૂર્યોદય યોજનાનો લાભ કોને આપવામાં આવે છે?

જવાબ :- પ્રધાનમંત્રી સૂર્યોદય યોજનાનો લાભ દેશના ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને આપવામાં આવશે.

2.પ્રધાનમંત્રી સૂર્યોદય યોજનામાં કેટલો લાભ મળશે?

જવાબ :- આ યોજના હેઠળ દેશના ગરીબ અને મધ્યમ વર્ગના 1 કરોડ પરિવારના ઘરો પર સોલાર પેનલ લગાવામાં આવશે.

3.Pradhan Mantri Suryoday Yojana માં આવક મર્યાદા કેટલી હોવી જોઈએ.

જવાબ :- અરજદારના પરિવારની વાર્ષિક આવક રૂપિયા 1 લાખથી 1.50 લાખ કે તેથી વધુ ન હોવી જોઈએ.

4.બ્યુટી પાર્લર કીટ સહાય યોજનામાં અરજી કરવાં માટેની વેબસાઈટ કઈ છે?

જવાબ :- હજુ સુધી આ યોજના હેઠળ અરજી કરવા માટે કોઈ ઓફિશિયલ વેબસાઈટ લોન્ચ કરવામાં આવી નથી.


Pradhan Mantri Suryoday Yojana

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું

Leave a Comment