Punjab National Bank Personal Loan : પંજાબ નેશનલ બેંક પર્સનલ લોન માટે પાત્રતા, વ્યાજદર, દસ્તાવેજ અને લોન માટે અરજી કેવી રીતે કરવી?

પંજાબ નેશનલ બેંક પર્સનલ લોન – શું મિત્રો તમે Punjab National Bank Personal Loan વિશે માહિતી જાણવા માંગો છો. તો તમે એક દમ પ્રફેક્ટ જગ્યાએ આવ્યા છો. તો ચાલો જાણીએ કે, પંજાબ નેશનલ બેંક પર્સનલ લોન શું છે, પંજાબ નેશનલ બેંક પર્સનલ લોન પરનો વ્યાજદાર કેટલો છે, પંજાબ નેશનલ બેંક પર્સનલ લોનના પ્રકાર કેટલા છે, લોન મેળવવા માટે યોગ્યતાના માપદંડ (લોન લેવા માટેની લાયકાત), લોન મેળવવા માટે કયા દસ્તાવેજ જોઈએ અને Punjab National Bank Personal Loan મેળવવા માટેની પ્રક્રિયા શું છે. તમામ માહિતી ગુજરાતી ભાષામાં જાણવા માંગો છો તો આ લેખ ને અંત સુધી વાંચો.


પંજાબ નેશનલ બેંક પર્સનલ લોન


પંજાબ નેશનલ બેંક પર્સનલ લોન શું છે? – Punjab National Bank Personal Loan

પંજાબ નેશનલ બેંક તરફથી આપવામાં આવતી Personal Loan તે રૂપિયા 20 લાખ સુધીની હોય છે. જે લોન ને ભરવાનો કાર્યકાળ સમય 7 વર્ષ નો હોય છે.


પંજાબ નેશનલ બેંક પર્સનલ લોન પરનો વ્યાજદર કેટલો છે? – Punjab National Bank Personal Loan interest rate

Punjab National Bank Personal Loan હેઠળ આપવામાં આવતી લોનનો વ્યાજદર 10.40% થી વધુ હોય છે. આ વ્યાજદર Punjab National Bank Personal Loan ના પ્રકાર અને ધિરાણ કરતા વ્યક્તિના ‘CIBIL Score’ પર નક્કી થતો હોય છે.


પંજાબ નેશનલ બેંક પર્સનલ લોનના પ્રકાર કેટલા છે?

મિત્રો અહીં નીચે Punjab National Bank Personal Loan ના પ્રકાર અને તે લોન કોને આપવામાં આવે છે. તેની સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે.

(1) ડોક્ટરો માટે પર્સનલ લોન

ડોક્ટરો માટે પર્સનલ લોન કોને આપવામાં આવે છે? : તો રૂપિયા 5 લાખ કે તેથી વધુ વાર્ષિક આવક ધરાવે છે તેવા ડોકટરોને તેમની વ્યાવસાયિક કે વ્યક્તિગત જરૂરિયાતો પુરી કરવા માટે અરજદાર પંજાબ નેશનલ બેંક પાસેથી લોન મેળવી શકે છે.

(2)  પેન્શનરો માટે પર્સનલ લોન

પેન્શનરો માટે પર્સનલ લોન કોને આપવામાં આવે છે? : તો જે અરજદારો પંજાબ નેશનલ બેંકમાંથી પેન્શન મેળવે છે તેવા પેન્શનરોને પોતાના અંગત ખર્ચને પુરા કરવા માટે અરજદાર પંજાબ નેશનલ બેંક પાસેથી લોન મેળવી શકે છે.

(3) જાહેર જનતા માટે પર્સનલ લોન

જાહેર જનતા માટે પર્સનલ લોન કોને આપવામાં આવે છે? : તો પંજાબ નેશનલ બેંકના પગારદાર વ્યક્તિઓ તેમની વ્યક્તિગત જરૂરિયાતો જેમ કે તબીબી સારવાર, ઘરેલું કે વિદેશી મુસાફરી ખર્ચ, લગ્ન ખર્ચ, શિક્ષણ વગેરે ખર્ચ પુરા કરવા માટે અરજદાર પંજાબ નેશનલ બેંક પાસેથી લોન મેળવી શકે છે.

(4) સ્વ-રોજગાર માટે પર્સનલ લોન

સ્વ-રોજગાર માટે પર્સનલ લોન કોને આપવામાં આવે છે? : તો પંજાબ નેશનલ બેંક સ્વ-રોજગાર ધરાવતા વ્યવસાયિકો જેમ કે CA, CS, ડેટા એનાલિસ્ટ, આર્કિટેક્ટ, LIC એજન્ટ્સ, એન્જિનિયર્સ, સોફ્ટવેર ડેવલપર્સ વગેરે સ્વ-રોજગાર વ્યક્તિઓને તેમની અંગત જરૂરિયાતો પુરી કરવા માટે અરજદાર પંજાબ નેશનલ બેંક પાસેથી લોન મેળવી શકે છે.


પંજાબ નેશનલ બેંક પર્સનલ લોન મેળવવાની પાત્રતા શું છે?

મિત્રો તમે ઉપર Punjab National Bank Personal Loan ના પ્રકાર તો જોઈ લીધા પણ શું તમે તે લોન લેવા પાત્ર છો, તેથી નીચે લોનની તમામ પાત્રતા આપેલ છે. જે જોઈને તમે કઈ લોન માટે પાત્ર છો. તે જાણી શકો છો.

ડોક્ટરો માટે પર્સનલ લોન માટેની પાત્રતા

  • એમબીબીએસ, બીડીએસ, સેવા/પ્રેક્ટિસ કરતા ડોકટરો કે વ્યવસાયિક રીતે લાયકાત ધરાવતા અરજદારો પાત્ર છે.
  • અરજદાર વર્તમાન નિવાસ સ્થાને સતત 2 વર્ષથી રહેતા હોવા જોઈએ. ( જેમાં સરકારી ક્ષેત્રોના અથવા સંસ્થાઓમાં નોકરી કરતા ડોકટરોને લાગુ પડતું નથી.)
  • અરજદારની વાર્ષિક આવક ઓછામાં ઓછી 5 લાખ રૂપિયા હોવી જોઈએ.
  • અરજદાર છેલ્લા 2 વર્ષથી કરદાતા હોવા જોઈએ.

જાહેર જનતા પર્સનલ લોન માટેની પાત્રતા

  • રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર,પીએસયુના કાયમી કર્મચારીઓ કે જેમણે અગાઉની સંસ્થા સહિત સંસ્થામાં ઓછામાં ઓછા 2 વર્ષ સુધી સેવા આપી હોય તેવા અરજદારો લોન માટે પાત્ર છે.
  • શાળાઓ, કોલેજો, યુનિવર્સિટીઓ, કંપનીઓ, સ્વાયત્ત સંસ્થાઓ, હોસ્પિટલ, નર્સિંગ હોમ વગેરે તમામ કર્મચારીઓ લોન માટે પાત્ર છે.

સ્વ-રોજગાર પર્સનલ લોન માટેની પાત્રતા

  • સીએ/સીએસ, ડેટા એનાલિસ્ટ, આર્કિટેક્ટ, એન્જિનિયર્સ, સોફ્ટવેર ડેવલપર્સ, એન્જિનિયર્સ લોન માટે પાત્ર છે.
  • જે અરજદાર છેલ્લા 2 વર્ષથી વાર્ષિક આવક રૂપિયા 6 લાખ ધરાવતા હોય તે અરજદાર લોન માટે પાત્ર છે.
  • અરજદારનો ન્યૂનતમ ક્રેડિટ સ્કોર 750 કે તેથી વધુ હોવો જોઈએ.

પંજાબ નેશનલ બેંક પર્સનલ લોન મેળવવા માટે કયા દસ્તાવેજ જોઈએ? – Punjab National Bank Personal Loan documents

પગારદાર વ્યક્તિઓ માટે ડોકયુમેન્ટ 

પગારદાર અરજદારની છેલ્લા 2 વર્ષની પગાર સ્લીપ

ITR અથવા ફોર્મ નં.16

અરજદારના એકાઉન્ટનું ઓછામાં ઓછું એક વર્ષનું સ્ટેટમેન્ટ

LIC એજન્ટો માટે ડોકયુમેન્ટ

  • પગારદાર અરજદારની છેલ્લા 3 વર્ષની પગાર સ્લીપ
  • ITR અથવા ફોર્મ નં.16
  • અરજદારના એકાઉન્ટનું ઓછામાં ઓછું એક વર્ષનું સ્ટેટમેન્ટ
  • એજન્સી નંબર અથવા એજન્સી કોડ

ડોકટરો માટે ડોકયુમેન્ટ

  • પગારદાર અરજદારની છેલ્લા 2 વર્ષની પગાર સ્લીપ
  • ITR અથવા ફોર્મ નં.16
  • અરજદારના એકાઉન્ટનું ઓછામાં ઓછું એક વર્ષનું સ્ટેટમેન્ટ
  •  ઉંમરનો પુરાવો.
  • સરનામાનો પુરાવો.
  • જો લાગુ હોય તો તમામ સહાયક કાગળો અને ફોટો સાથે ગેરેંટર વિગતો.
  • સહાયક દસ્તાવેજો સાથે સંપત્તિ અને જવાબદારીઓનું નિવેદન.
  • કેસની જરૂરિયાત મુજબ બેંક તરફથી મંગાવવામાં આવતા જરૂરી હોય તેવા કોઈપણ અન્ય દસ્તાવેજ.

પંજાબ નેશનલ બેંક પર્સનલ લોન પ્રોસેસિંગ ફી કેટલી છે?

પંજાબ નેશનલ બેંક પર્સનલ લોન પ્રોસેસિંગ ફી લોનની રકમનાં 1% સુધી

પંજાબ નેશનલ બેંક પર્સનલ લોન મેળવવા માટેની પ્રક્રિયા શું છે?

જે મિત્રો Punjab National Bank Personal Loan મેળવવા માંગે છે. તેમને પોતાની લોન માટે અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી નીચે વિગતવાર આપવામાં આવી છે. જેને અનુસરીને તમે પંજાબ નેશનલ બેંક પર્સનલ લોન માટે અરજી કરી શકો છો.

સ્ટેપ 1 : મિત્રો સૌ પ્રથમ તો તમારે તમારા વિસ્તારની નજીકની Punjab National Bank માં જઈને લોન વિભાગના અધિકારી પાસે જવાનુ રહેશે.

સ્ટેપ 2 : ત્યારબાદ તમારે તે અધિકારી સામે લોનની રજુઆત કરવાની રહેશે.

સ્ટેપ 3 : ત્યારબાદ તે અધિકારી દ્રારા જો તમે તે લોને પાત્ર હશો તો તમને આગળ ડોક્યુમેન્ટ પ્રોસેસ કરવાનું કહેવામાં આવશે.

સ્ટેપ 4 : ત્યારબાદ આગળની તમામ પ્રોસેસ કરવામાં આવશે અને જો તમારી અરજી મંજુર થશે તો તમને લોન આપવામાં આવશે.

સ્ટેપ 5 : મિત્રો તમે આ રીતે બેંક જઈને Punjab National Bank Personal Loan માટે અરજી કરી શકો છો.


આ પણ વાંચો:-


સારાંશ

મિત્રો લેખમાં, અમે તમને પંજાબ નેશનલ બેંક પર્સનલ લોન (Punjab National Bank Personal Loan in Gujarati) વિશે સંપૂર્ણ માહિતી આપી છે. આજે આપણે આ લેખમાં Punjab National Bank ની તમામ મુખ્ય વિશેષતાઓ વિશે ચર્ચા કરી છે. અમે આશા રાખીએ છીએ કે તમને આ માહિતી કામ આવશે. તો મિત્રો આવી જ રીતે વિવિધ બેંકોની લોનની માહિતી ગુજરાતી ભાષામાં જાણવા માંગો છો તો જોડાયેલા રહો. અમારી વેબસાઈટ ONLYLBC.COM સાથે અને પંજાબ નેશનલ બેંક પર્સનલ લોનની વધુ માહિતી માટે પંજાબ નેશનલ બેંકની અધિકારી વેબસાઈટ https://www.pnbindia.in/ ની મુલાકાત લો.


FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

પ્રશ્ન 1 : હું પંજાબ નેશનલ બેંક સાથે કેટલા સમય મર્યાદામાં પર્સનલ લોન લઈ શકું?

જવાબ : Punjab National Bank દ્રારા 6 વર્ષ સુધીના કાર્યકાળ સાથે પર્સનલ લોન આપવામાં આવે છે.

પ્રશ્ન 2 : પંજાબ નેશનલ બેંક પર્સનલ લોન પર વ્યાજ દર શું છે?

જવાબ : Punjab National Bank Personal Loan હેઠળ આપવામાં આવતી લોનનો વ્યાજદર 10.40% થી વધુ હોય છે. આ વ્યાજદર Punjab National Bank Personal Loan ના પ્રકાર અને ધિરાણ કરતા વ્યક્તિના ‘CIBIL Score’ પર નક્કી થતો હોય છે.

પ્રશ્ન 3 : પંજાબ નેશનલ બેંક પર્સનલ લોન પ્રોસેસિંગ ફી કેટલી છે?

જવાબ : લોનની રકમનાં 1% સુધી

પોસ્ટ શેર કરો:
           

Leave a Comment