આચાર સંહિતા એટલે શું? : આચાર સંહિતા કયારે લાગુ થાય છે અને કેવા છે તેના નિયમો 

ભારતમાં જયારે કોઈપણ ચૂંટણી આવે છે. ત્યારે આચાર સંહિતા શબ્દ ખુબ જ ચર્ચામાં આવે છે. તો ચાલો જાણીએ કે, આચાર સંહિતા એટલે શું? અને આચાર સંહિતા કયારે લાગુ થાય છે અને કેવા છે તેના નિયમો. તો સંપૂર્ણ માહિતી ગુજરાતી ભાષામાં જાણવા માંગો છો તો આ લેખને અંત સુધી વાંચો.


આચાર સંહિતા


આચાર સંહિતા એટલે શું?

ભારતમાં જયારે કોઈપણ ચૂંટણી હોઈ છે. ત્યારે તે ચૂંટણીના થોડા દિવસો માટે કે પછી થોડા સમય માટે આચાર સંહિતા લાગુ કરવામાં આવે છે. જયારે આ Achar Sanhita લાગુ કરવામાં આવે છે ત્યારે કોઈપણ પક્ષનો વ્યક્તિ કે કોઈપણ સામાન્ય વ્યક્તિ પોતાના કે કોઈપણ અન્ય પક્ષ માટે પ્રચાર કરી શકતા નથી. એટલે કે આચાર સંહિતા જયારે લાગુ કરવામાં આવે છે. ત્યારે કોઈપણ પક્ષનો કે સામાન્ય વ્યક્તિ આચાર સંહિતા વિરુદ્ધ કોઈપણ કાર્ય કરી શકતો નથી.

જો કોઈપણ પક્ષનો ઉમેદવાર કે પછી કોઈ સામાન્ય વ્યક્તિ આ નિયમોનું પાલન નથી કરતો તો ચૂંટણી પંચ તેની વિરુદ્ધ કાર્યવાહી કરી શકે છે. જેમાં તેને ચૂંટણી લડતા અટકાવી શકે છે, ઉમેદવાર સામે FIR પણ કરી શકે છે અને જો તે દોષી સાબિત થાય છે, તો તેને જેલમાં પણ મોકલવામાં આવે છે. અને જો કોઈ સામાન્ય નાગરિક આચાર સંહિતા નો ભંગ કરે તો તેને પણ નિયમ અનુસાર સજા અથવા દંડ થઈ કરવામાં આવે છે.


આચારસંહિતા ક્યારે અને કેટલા સમય માટે અમલમાં આવે છે?

આચાર સંહિતા કોઈપણ ચૂંટણીના મતદાનના કાર્યક્રમની જાહેરાત થાય તે દિવસથી અમલમાં આવે છે, અને સૂચના મુજબ, ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય અને ત્યારબાદ પરિણામ જાહેર ન થાય ત્યાં સુધી આચાર સંહિતા લાગુ રહે છે. એટલે કે, તે લગભગ 45 દિવસ અથવા કુલ 2 મહિના સુધી લાગુ રહે છે.


આ પણ વાંચો :-

કલમ 370 શું છે? : Article 370 શા માટે દૂર કરવામાં આવી, જાણો સંપૂર્ણ જાણકારી.

આ પણ વાંચો :-

કલમ 35A શું છે? : Article 35A શા માટે દૂર કરવામાં આવી, જાણો સંપૂર્ણ જાણકારી.


આચાર સંહિતા ના નિયમો

મિત્રો તમે Achar Sanhita વિશે તો જાણી લીધું પણ શું તમે Achar Sanhita ના નિયમો વિશે જાણો. કારણ કે, આ નિયમો વિશે જાણવા ખુબ જ જરૂરી છે. તો ચાલો જાણીએ, Achar Sanhita ના નિયમો.

સામાન્ય નિયમો

  • આચાર સંહિતા લાગુ થયા બાદ મુખ્યમંત્રી અથવા કોઈપણ મંત્રી કોઈ જાહેરાત કરી શકતા નથી.
  • પક્ષ કે પછી કોઈ વ્યક્તિ ચૂંટણી માટે ઝુંબેશ ચલાવી શકતા નથી.
  • કોઈ પણ પક્ષ પ્રોગ્રામ કરે તો પ્રોગ્રામ ની કિંમત સરકારી ખર્ચ માંથી લેવામાં આવતી નથી.
  • કોઈ સરકારી ખર્ચે પ્રોત્સાહન આપી શકે નહીં.
  • જાહેર માં કોઈ પણ પક્ષ તેના પ્રચાર માટે બેનરો અથવા પોસ્ટરો લગાવી શકે નહીં.
  • કોઈ પક્ષ રાજકીય સ્થળે બેઠક કરી શકતું નથી.
  • Achar Sanhita દરમિયાન સરકારી વાહનોનો ઉપયોગ માત્ર ઘરેથી પ્રસ્થાન માટે થઈ શકે છે. આચાર સંહિતા દરમિયાન તેનો ઉપયોગ ચૂંટણીના કામ માટે થશે નહિ.
  • જો કોઈ વ્યક્તિ અથવા પક્ષ આચાર સંહિતાનો વિરોધ કરે છે, તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે સાથે જેલ અથવા દંડ કરવામાં આવે છે.

 

ઘોષણાના નિયમો

  • પોલીસને રેલીનો સમય, સ્થળ અને રેલી ક્યાં લઈ જવાની છે તે નક્કી કરવાનો અધિકાર પોલીસનો છે.
  • રેલીનું આયોજન એવી રીતે કરો કે ટ્રાફિકમાં કોઈ સમસ્યા ન સર્જાય.
  • જો એક જ રાજકીય પક્ષો એક જ દિવસે સરઘસ સૂચવતો હોય તો પહેલા પોલીસને જાણ કરવાની રહેશે.
  • રેલી કે પ્રચાર ની પ્રક્રિયામાં કોઈપણ ગેરકાયદેસર અથવા દુરુપયોગની વસ્તુ નો ઉપયોગ કરી શકતા નથી.

 

રાજકીય બેઠકો માટે નિયમો

  • સભાની માહિતી અને સ્થળ પોલીસ અધિકારીઓને જાણ કરવી જોઈએ.
  • જો આ તમારી પ્રથમ ચૂંટણી કે બેઠક હોય તો તમારે લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવાની પરવાનગી મેળવવાની રહેશે.
  • જો મિટિંગમાં કોઈ વિક્ષેપ આવે તો તેને સુધારવા માટે આયોજકોએ પોલીસને મદદ કરવી જોઈએ.

 

ચૂંટણીના દિવસના નિયમો

  • ચૂંટણી સ્ટાફને ઓળખકાર્ડ હોવું ફરજીયાત છે.
  • બેલેટ પર કે મતદારોની કાપલીમાં કોઈ પક્ષ નું નિશાન હોવું જોઈએ નહિ.
  • મતદાનના દિવસ પહેલાં 24 કલાક પહેલા કોઈને પણ દારૂ નું વિતરણ કરી શકાતું નથી.
  • મતદાન મથકમાં અથવા તેની આસપાસ કોઈપણ પ્રકારની ભીડની મંજૂરી હોતી નથી.

મિત્રો અહીં અમે તમને આચાર સંહિતા એટલે શું?, તેના વિશે માહિતી આપી છે. અમે આશા રાખીએ છીએ કે, તમને આ લેખ સારો લાગ્યો હશે. આવી જ રીતે વિવિધ માહિતી ગુજરાતી ભાષામાં જાણવા માંગો છો. તો જોડાયેલા રહો અમારી વેબસાઈટ ONLYLBC.COM સાથે.

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું

2 thoughts on “આચાર સંહિતા એટલે શું? : આચાર સંહિતા કયારે લાગુ થાય છે અને કેવા છે તેના નિયમો ”

Leave a Comment