ખેતીવાડીના સાધનો માટે સહાય યોજના | Khetivadi Na Sadhno Mate Sahay Yojana

 

મારાં વ્હાલા ખેડૂત મિત્રો આજના આ લેખમાં આપણે ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ખેડૂતો માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે, જે માંથી આ એક છે, ખેતીવાડીના સાધનો માટે સહાય યોજના. તો ચાલો જાણીએ કે ખેતીવાડીના સાધનો માટે સહાય યોજના શું છે?, ખેતીવાડીના સાધનો માટે સહાય યોજનાનો હેતુ શું છે?, આ યોજનાનો લાભ કયા ખેડૂતોને મળશે?, આ યોજનામાં કેટલો લાભ મળશે?, આ યોજનામાં અરજી કરવા માટે કયા-કયા ડોક્યુમેન્ટ જોઈએ અને ખેતીવાડીના સાધનો માટે સહાય યોજનામાં અરજી કેવી રીતે કરવી. આ તમામ માહિતી ગુજરાતી ભાષાંમાં જાણવા માંગો છો, તો આ લેખને અંત સુધી વાંચો.

 

ખેતીવાડીના સાધનો માટે સહાય યોજના

 

Contents hide

ખેતીવાડીના સાધનો માટે સહાય યોજના શું છે?

આઈ ખેડૂત પોર્ટલ પર ચાલતી ખેતીવાડીના સાધનો માટે સહાય યોજના હેઠળ ગુજરાતના ખેડૂત ભાઈઓને ખેતીવાડીના સાધનો જેવા કે વાવણી, વાવેતર લણણી અને ખોદકામના વિવિધ સાધનો ખરીદવા માટે વિવિધ ક્ષમતા મુજબ વિવિધ સહાય આપવામાં આવશે.

 

ખેતીવાડીના સાધનો માટે સહાય યોજનાનો ઉદ્દેશ્ય શું?

આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતોને ખેતીવાડીના વિવિધ સાધનો જેવા કે વાવણી, વાવેતર લણણી અને ખોદકામના વિવિધ સાધનો ખરીદવા માટે સહાય પૂરી પાડવાનો છે. જેથી ખેડૂતને તેના ઉત્પાદક ખર્ચમાં ઘટાડો થાય, ઉત્પાદનમાં વધારો થાય અને સાથે તેમની આવકમાં વધારો થાય તે જ આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય છે.

 

ખેતીવાડીના સાધનો માટે સહાય યોજના હેઠળ કયા ખેડૂતોને લાભ મળશે? (પાત્રતા અને શરતો)

રાજ્યના ખેડૂતોને ખેતીવાડીના સાધનો માટે સહાય યોજનાનો લાભ મેળવવા માટે તેની ચોક્કસ પાત્રતાઓ નક્કી થયેલી છે. જો તે પાત્રતાનું પાલન તમારી સાથે થશે તે ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે? જે પાત્રતા નીચે મુજબ છે.

 

  • અરજદાર ખેડૂત ગુજરાત રાજયનો હોવો જોઈએ.
  • આ યોજનાનો લાભ સામાન્ય ખેડૂતો,અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિના ખેડૂતોને મળશે.
  • આ યોજનાનો લાભ ખેડૂત એક જ વખત લઈ શકશે.
  • ખેડૂતે ખેતીવાડીના સાધનો કૃષિ ખાતા દ્રારા વખતોવખત જાહેર કરેલ પ્રાઇઝ ડીસ્કવરીના હેતું માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદક ના અધિકૃત વિકેતા પાસેથી ખરીદી કરવાની રહેશે.

 

આ પણ વાંચો:-

બેટરી પંપ સહાય યોજના 2023 | Battery Pump Sahay Yojana

 

ખેતીવાડીના સાધનો માટે સહાય યોજનામાં મળવાપાત્ર સહાય

અહીં Khetivadi Na Sadhno Mate Sahay Yojana હેઠળ મળતી સહાય વિવિધ જ્ઞાતિ અને વિવિધ સાધનોની ક્ષમતા મુજબ અલગ-અલગ હોય છે, જેની સંપૂર્ણ માહિતી નીચે મુજબ છે.

 

સામાન્ય જાતિના ખેડૂતોને મળવાપાત્ર સહાય ખેડૂતને પ્રતિ એકમ રૂ 0.30 લાખના ખર્ચના 40% મુજબ રૂ. 0.12 લાખ સહાય મળવા પાત્ર છે.

અથવા

નાનાં/સીમાંત/મહિલા લાભાર્થીને પ્રતિ એકમ રૂ 0.30 લાખના ખર્ચના 50% મુજબ રૂ. 0.15 લાખ સહાય મળશે?

અનુસૂચિત જાતિના ખેડૂતોને મળવાપાત્ર સહાય ખેડૂતને પ્રતિ એકમ રૂ 0.30 લાખના ખર્ચના 50% મુજબ રૂ. 0.15 લાખ સહાય મળશે?
અનુસૂચિત જન જાતિના ખેડૂતોને મળવાપાત્ર સહાય ખેડૂતને પ્રતિ એકમ રૂ 0.30 લાખના ખર્ચના 50% મુજબ રૂ. 0.15 લાખ સહાય મળશે?

 

ખેતીવાડીના સાધનો માટે સહાય યોજનામાં અરજી કરવા માટે ક્યાં-ક્યા ડોક્યુમેન્‍ટ જોઈએ?

Khetivadi Na Sadhno Mate Sahay Yojana નો લાભ લેવા માટે ikhedut portal પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. જેના માટે નીચે મુજબના ડોક્યુમેન્ટની જરૂર રહેશે. ત્યારે જ તમે ફોર્મ ભરી શકશો.

 

  • આધારકાર્ડની ઝેરોક્ષ
  • રેશનકાર્ડની ઝેરોક્ષ
  • જો ખેડૂત લાભાર્થી SC જાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ (જે જ્ઞાતિને લાગુ પડતું હોય તેને)
  • જો ખેડૂત લાભાર્થી ST જાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ (જે જ્ઞાતિને લાગુ પડતું હોય તેને)
  • ખેડૂતની 7/12 ની જમીનની નકલ
  • ખેતીના 7-12 અને 8-અ જમીનમાં સંયુક્ત ખાતેદારના કિસ્સામાં અન્ય ખેડૂતના સંમતિપત્રક
  • જો ખેડૂત દિવ્યાંગ હોય તો દિવ્યાંગતા હોવા અંગેનું પ્રમાણપત્ર
  • લાભાર્થી જો ટ્રાઈબલ વિસ્તારના હોય તો વન અધિકાર પત્રની નકલ (હોય તો)
  • લાભાર્થી પાસે આત્માનું રજીસ્ટ્રેશન કરાવેલું હોય તો તેની વિગતો
  • સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો (લાગુ પડતું હોય તો જ)
  • દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની માહિતી (લાગુ પડતું હોય તો જ)
  • બેંક પાસબુક ઝેરોક્ષ
  • મોબાઈલ નંબર (ચાલુ હોય તેવો)

 

આ પણ વાંચો:-

ડ્રીપ ઇરીગેશનમાં પાણીના ટાંકા બનાવવા માટે સહાય યોજના 

 

ખેતીવાડીના સાધનો માટે સહાય યોજનામાં અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

Khetivadi Na Sadhno Mate Sahay Yojana માં અરજી કરવા માટેની મહત્વપૂર્ણ તારીખો.

  • અરજી કરવાની શરૂઆતની તારીખ:- 22/04/2023
  • અરજી કરવાની છેલ્લી તારીખ :- 31/05/2023

 

Khetivadi Na Sadhno Mate Sahay Yojana માં અરજી કેવી રીતે કરવી?

Khetivadi Na Sadhno Mate Sahay Yojana નો લાભ લેવા માટે i-khedut portal પર તમારે ઓનલાઇન અરજી કરવાની રહેશે અને સાથે ઓનલાઇન અરજી કર્યા પછી તમારે થોડીક ઓફલાઈન પ્રક્રિયા કરવાની રહેશે, જેની સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે.

 

  • સૌપ્રથમ તમારે તમારા મોબાઈલ, કોમ્પ્યુટર કે કોઈપણ ડિવાઇસમાં Google ઓપન કરવાનું રહેશે.
  • હવે ગૂગલ સેર્ચમાં જઈને “ikhedut” ટાઈપ કરવાનું રહેશે.
  • હવે તમારી સામે ikhedut portal ની Official Website તમારી સામે આવશે.
  • હવે ikhedut portal ની Official Website ઓપન કરો.
  • હવે તમારી સામે આઈ ખેડૂત પોર્ટલ વેબસાઈટનું Home Page ખુલીને આવશે.
  • હવે હોમપેજ પર તમને ઉપર મેનુમાં “યોજના”  દેખાશે તેના પર ક્લિક કરવાની રહેશે.
  • હવે વેબસાઈટ પર યોજના પર ક્લિક કર્યા પછી તમારી સામે એક નવું પેજ ખૂલશે.
  • જેમાં તમારે “બાગાયતની યોજનાઓ” પર ક્લિક કરવાનું રહેશે.
  • હવે “બાગયતી યોજનાઓ” ખોલ્યા બાદ જ્યાં ક્રમ નંબર-88 પર આપેલી “વાવણી, વાવેતર લણણી અને ખોદકામના સાધનો” માટે સહાય યોજના પર ક્લિક કરીને આગળ પ્રક્રિયા ચાલુ રાખવાની રહેશે.
  • જેમાં “Khetivadi Na Sadhno Mate Sahay Yojana” યોજનામાં “અરજી કરો” તેના પર Click કરીને નવું પેજ ખોલવાની રહેશે.
  • હવે તમારે સામે એક નવું પેજ ખુલીને આવશે.
  • જો તમે આઈ-ખેડૂત પોર્ટલ પર પહેલા રજીસ્ટર કરેલું હોય તો “હા” સિલેટર કરવાનું રહેશે અને રજીસ્ટેશન નથી કર્યું તો “ના” કરવાનું રહેશે.
  • હવે ફરી તમારી સામે એક નવું પેજ ઓપન થશે.
  • આ પેજમાં તમને એક ફોર્મ જોવા મળશે.
  • હવે આ ફોર્મમાં તમારે માગ્યા મુજબની સંપૂર્ણ માહિતી ભરવાની રહેશે.
  • હવે ફોર્મ ભર્યા બાદ તે ફોર્મની ચકાસણી કર્યા બાદ “અરજી સેવ કરો” તેના પર ક્લિક કરવાનું રહેશે.
  • હવે ફરીથી ઓનલાઈન ભરેલી માહિતીની પૂરેપૂરી ચોક્ક્સાઈ કર્યા બાદ અરજી કન્ફોર્મ કરવાની રહેશે.
  • લાભાર્થી દ્વારા ઓનલાઈન અરજી એક વાર કન્‍ફર્મ કર્યા બાદ Application Number માં કોઈ સુધારો કે વધારો થશે નહિં.
  • ખેડૂત લાભાર્થીએ ઓનલાઈન અરજી કર્યા બાદ પોતાની અરજીની પ્રિ‍ન્‍ટ કઢાવાની રહેશે.
  • આ રીતે તમે ઓનલાઇન અરજી કરી શકો છો.

 

 

Khetivadi Na Sadhno Mate Sahay Yojana માં ઓનલાઇન અરજી કર્યા પછી શું?

આઈ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન અરજી કર્યા પછી ઓફલાઈન શું પ્રક્રિયા કરવાની રહેશે, તેની સંપૂર્ણ માહિતી નીચે મુજબ છે.

 

  • સૌ પ્રથમ ઓનલાઈન અરજી કર્યા બાદ તમને તમારી અરજીને તાલુકા અમલીકરણ અધિકારીશ્રી દ્વારા પૂર્વ મંજૂરી આપવામાં આવશે.
  • હવે જો તમારી અરજી મંજુર થશે તો તમને અરજીની જાણ SMS/ઈ-મેઈલ કે અન્ય વ્યવસ્થા દ્વારા તમને જાણ કરવામાં આવશે.
  • હવે લાભાર્થી ખેડૂતે ઓનલાઇન અરજી કર્યા પછી જે પ્રિન્ટ મળે છે તે અરજીપત્રકમાં સહી કરવાની રહેશે.
  • હવે સહી કરેલ તે પ્રિંટઆઉટ સાથે અહીં ઉપર લેખમાં આપેલા તમામ ડોક્યુમેન્ટ તે પ્રિંટઆઉટની સાથે જોડવાના રહેશે.
  • હવે આ તમામ ડોક્યુમેન્ટ તમારે તમારા ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી કે તાલુકા અમલીકરણ અધિકારીશ્રી પાસે જમા કરવાના રહેશે.
  • આ રીતે તમારી ઓનલાઇન અને ઓફલાઈન સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ થશે અને ખેતીવાડી સાધનો માટે સહાય આપવામાં આવશે.

 

Khetivadi Na Sadhno Mate Sahay Yojana હેલ્પલાઇન

ખેડૂત મિત્રો, અહીં અમે આ લેખમાં Khetivadi Na Sadhno Mate Sahay Yojana વિશે સંપૂર્ણ માહિતી આપી છે, પરંતુ તમને આ યોજના વિશે હજી પણ જો કોઈ પ્રશ્ન હોય તો તમે વધુ માહિતી માટે તમારા વિસ્તારના ગ્રામ સેવક, તાલુકા કક્ષાએ વિસ્તરણ અધિકારી અથવા જિલ્લા કક્ષાએ “જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી” નો સંપર્ક કરીને, આ યોજના વિશે વધુ માહિતી મેળવી શકો છો.

 

આ પણ વાંચો:-

મીની ટ્રેક્ટર સહાય યોજના | Mini Tractor Sahay Yojana

 

ખેતીવાડીના સાધનો માટે સહાય યોજના માટેની મહત્વપૂર્ણ લિંક

i-khedut portl  ની અધિકૃત વેબસાઇટ અહીં ક્લિક કરો.
એપ્લિકેશન સ્થિતિ અહીં ક્લિક કરો.
પ્રિન્ટ એપ્લિકેશન અહીં ક્લિક કરો.
ખેડૂત Whatsapp ગ્રુપમાં જોડાવો. અહીં ક્લિક કરો.

 

FAQs – વારંવાર પૂછાતા પ્રશ્નો

1.ખેતીવાડીના સાધનો માટે સહાય યોજનાનો લાભ લેવા અરજી કઈ રીતે કરવી?

જવાબ:- ખેતીવાડીના સાધનો માટે સહાય યોજનાનો લાભ લેવા માટે તમારે  આઈ-ખેડૂત પોર્ટલ ની વેબસાઈટ પરથી અરજી કરવાની રહેશે.

 

2.ખેતીવાડીના સાધનો માટે સહાય યોજના હેઠળ કેટલા ટકા સુધી લાભ મેળવી શકે છે?

જવાબ:- ખેતીવાડીના સાધનો માટે સહાય યોજના હેઠળ મળતી સહાયની સંપૂર્ણ માહિતી આ લેખમાં ઉપર આપેલ છે.

 

3.Khetivadi Na Sadhno Mate Sahay Yojana માં અરજી કરવાનો સમયગાળો કેટલો છે?

જવાબ:- અરજી કરવાની શરૂઆતની તારીખ:- 22/04/2023 અને અરજી કરવાની છેલ્લી તારીખ :- 31/05/2023 છે.

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું

Leave a Comment