માઇ રમાબાઇ આંબેડકર સાતફેરા સમુહ લગ્ન યોજના 2024 | Mai Ramabai Sat Fera Samuh Lagna Yojana

 

માઇ રમાબાઇ આંબેડકર સાતફેરા સમુહ લગ્ન યોજના 2024 | Mai Ramabai Sat Fera Samuh Lagna Yojana – મિત્રો માઇ રમાબાઇ આંબેડકર સાતફેરા સમુહ લગ્ન યોજના શું છે?, આ માઇ રમાબાઇ આંબેડકર સાતફેરા સમુહ લગ્ન યોજનાનો લાભ કોને મળશે?, આ યોજનામાં કેટલો લાભ મળશે? આ યોજનાનો લાભ મેળવવા માટે ક્યાં-ક્યાં ડોક્યુમેન્ટ જોઈએ અને આ યોજના માટે અરજી કેવી રીતે કરવી?, આ સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં જાણવા માંગો છો તો તમે એક દમ પરફેક્ટ જગ્યા પર આવ્યા છો કારણ કે આજના આ લેખમાં આપણે માઇ રમાબાઇ આંબેડકર સાતફેરા સમુહ લગ્ન યોજનાની સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં જાણીશું.

 

માઇ રમાબાઇ આંબેડકર સાતફેરા સમુહ લગ્ન યોજના

 

માઇ રમાબાઇ આંબેડકર સાતફેરા સમુહ લગ્ન યોજના શું છે?

અત્યારના સમયમાં લોકો લગ્ન જેવા સામાજીક પ્રસંગોમાં લોકો દ્વારા દેખા-દેખીમાં બિનજરુરી ખર્ચ કરવામાં આવતો હોય છે. અને આ દેખા-દેખીમાં આવા પ્રસંગે તેઓ દેવું કરીને પણ ખર્ચ કરે છે અને પછી આર્થિક મુશ્કેલીઓ વેઠે છે. તે માટે લોકો જો સમુહ લગ્નની પ્રથા અપનાવે તે માટે આ યોજના હેઠળ જો લોકો સમૂહ લગ્નમાં વિવાહ કરે તો તેમને સરકાર દ્રારા સહાય આપવામાં આવે છે?

માઇ રમાબાઇ આંબેડકર સાતફેરા સમુહ લગ્ન યોજનામાં કેટલી સહાય મળશે?

વ્યકતિગત લગ્ન પ્રસંગે થતો બિનજરુરી ખર્ચ નિવારી શકાય અને આર્થિક રીતે વિકાસ કરી શકે તે માટે સમુહ લગ્નોમાં ભાગ લેનાર યુગલોને યુગલદીઠ રૂ. ૧૨,૦૦૦/- કન્યાના નામે અને આયોજક સંસ્થાને યુગલદીઠ રૂ.૩૦૦૦/- લેખે વધુમાં વધુ રૂ. ૭૫,૦૦૦ ની મર્યાદામાં પ્રોત્સાહક રકમ આપવામાં આવે છે.

માઇ રમાબાઇ આંબેડકર સાતફેરા સમુહ લગ્ન યોજના માટે પાત્રતા અને શરતો?

Mai Ramabai Sat Fera Samuh Lagna Yojana હેઠળ જે વ્યક્તિ લાભ પ્રાપ્ત કરવા ઈચ્છે છે તેમની સાથે આ પાત્રતા અને શરતોનું પાલન થવું જોઈએ, ત્યારે જ આ યોજનાનો લાભ પ્રાપ્ત થશે.

  • લાભાર્થી ગુજરાત રાજ્યનો વતની હોવો જોઈએ.
  • આ યોજનાનો લાભ અનુસૂચિત જાતિના લાભાર્થીને જ મળવાપાત્ર છે.
  • કન્યાની વયમર્યાદા લગ્ન સમયે ૧૮ વર્ષ અને યુવકની વય ૨૧ વર્ષ હોવી જોઇએ.
  • આ યોજનામાં વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તારમાં રૂ.૧,૨૦,૦૦૦/- અને શહેરી વિસ્તારમાં રૂ. ૧,૫૦,૦૦૦ હોવી જોઈએ.
  • પુન: લગ્નના કિસ્સામાં આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર રહેશે નહી.
  • લગ્‍નના બે વર્ષની અંદર સહાય માટે અરજી કરવાની રહેશે.
  • સાત ફેરા સમૂહલગ્ન આયોજિત જિલ્લામાંથી કુંવરબાઇનું મામેરૂ યોજનાની સહાય મળવાપાત્ર થશે.
  • સમૂહલગ્નમાં ભાગ ભાગ લેનાર લાભાર્થી કન્યા સાત ફેરા સમૂહલગ્ન યોજના તેમજ કુંવરબાઇનું મામેરૂ યોજનાની તમામ શરતો પરિપૂર્ણ કરતી હોય તો આ બંન્ને યોજનાઓ હેઠળ લાભ મેળવવા પાત્ર રહેશે

Mai Ramabai Sat Fera Samuh Lagna Yojana માં અરજી કરવા માટેના ડોક્યુમેન્ટ

જે મિત્રો Mai Ramabai Sat Fera Samuh Lagna Yojana માં અરજી કરવા માંગે છે, તેમને નીચે આપેલા તમામ દસ્તાવેજની જરૂર છે. ત્યારે જ તમે આ યોજનાનો લાભ મેળવી શકશો.

  • યુવક / યુવતીના શાળા છોડયાના પ્રમાણપત્રો/ જન્મ નોંધણીનો દાખલો/ ઉંમરના પુરાવા/ સરકારી તબીબી પ્રમાણપત્ર. (આ માંથી કોઈપણ એક પુરાવો)
  • જાતિનો દાખલો
  • જિલ્લા નાયબ નિયામક/જિલ્લા સ.અ (અનુસૂચિત જાતિ) ને અગાઉથી લેખિત જાણ કરેલ હોય તે પત્ર
  • સંસ્થાનું નોંધણી અંગેનું પ્રમાણપત્ર
  • આમંત્રણ પત્રિકા / કંકોત્રી
  • લગ્નની કંકોત્રી
  • સમૂહ લગ્નના આયોજકોએ આપવાનું થતું પ્રમાણપત્ર
  • કન્યાના પિતાનો આવકનો દાખલો.
  • બેંક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક

માઇ રમાબાઇ આંબેડકર સાતફેરા સમુહ લગ્ન યોજનામાં અરજી કેવી રીતે કરવી?

જે મિત્રો Mai Ramabai Sat Fera Samuh Lagna Yojana માં અરજી કરવા માંગે છે તે નીચે આપેલી પ્રક્રિયાને ફોલો કરીને, તમે અરજી કરી શકો છો

Mai Ramabai Sat Fera Samuh Lagna Yojana માં અરજી તમે જાતે પણ કરી શકો છો જે તમારે esamajkalyan Portal પર અરજી કરી શકો છો અથવા તમે તમારા નજીકના CSC સેન્ટર કે જ્યાં ઓનલાઇન કામગીરી કરતા હોય ત્યાં જઈને તમે ઓનલાઇન અરજી કરી શકો છો.

(ખાસ નોંધ:-પ્રિય મિત્રો તમે અહીંયા esamajkalyan Portal પર ઓનલાઇન જાતે અરજી કરી શકો છો પરંતુ જ્યાં સુધી બને ત્યાં સુધી તમે તમારા નજીકનાં ઓનલાઇન સેન્ટર કે જ્યાં આવી ઓનલાઇન કામગીરી થતી હોય ત્યાં જઈને તમે ઓનલાઇન અરજી કરવો જેથી તમારી અરજીમાં કોઈ ભૂલ ના થાય.)

આ પણ વાંચો:-

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું

1 thought on “માઇ રમાબાઇ આંબેડકર સાતફેરા સમુહ લગ્ન યોજના 2024 | Mai Ramabai Sat Fera Samuh Lagna Yojana”

Leave a Comment