વિચરતી-વિમુક્ત જાતિના ડોક્ટરો માટે લોન યોજના 2024

ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્રારા લોકોના હિત માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે, જે માંથી આ એક છે, જેનું નામ છે, વિચરતી-વિમુક્ત જાતિના ડોક્ટરો માટે લોન યોજના .

તો ચાલો જાણીએ કે વિચરતી-વિમુક્ત જાતિના ડોક્ટરો માટે લોન યોજના શું છે?, NTDNT Cast Hospital Sahay Yojana નો હેતુ શું છે?, આ યોજનાનો લાભ કયા લોકોને મળશે?, આ યોજનામાં કેટલો લાભ મળશે?, આ યોજનામાં અરજી કરવા માટે કયા-કયા ડોક્યુમેન્ટ જોઈએ અને વિચરતી-વિમુક્ત જાતિના ડોક્ટરો માટે લોન યોજનામાં અરજી કેવી રીતે કરવી. આ તમામ માહિતી ગુજરાતી ભાષાંમાં જાણવા માંગો છો, તો આ લેખને અંત સુધી વાંચો.


Contents hide

વિચરતી-વિમુક્ત જાતિના ડોક્ટરો માટે લોન  યોજના શું છે?

વિચરતી-વિમુક્ત જાતિના ડોક્ટરો માટે લોન યોજના હેઠળ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના, વિચરતી-વિમુક્ત જાતિના તબીબી સ્નાતકોને ડૉકટરનો સ્વતંત્ર વ્યવાસય(પોતાની હોસ્પિટલ શરૂ કરવા માટે) શરૂ કરવા માટે આ યોજના હેઠળ સરકાર દ્રારા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના, વિચરતી-વિમુક્ત જાતિના તબીબી સ્નાતકોને ડૉકટરોને સહાય આપવામાં આવશે.


વિચરતી-વિમુક્ત જાતિના ડોક્ટરો માટે લોન  યોજના હેતુ શું?

સરકાર દ્રારા આ યોજના તે માટે ચાલુ કરવામાં આવી છે. કારણે કે, વિચરતી-વિમુક્ત જાતિના વિધાર્થીઓ જેમણે એમ.બી.બી.એસ, બી.એસ.એ.એમ, બી.એ.એમ.એસ,  બી.એ.એમ(આર્યુવેદ), બી.ડી.એસ(ડેન્ટલ), હોમીયોપેથીક ડીગ્રી, ડીપ્લોમાં (બી.એચ.એમ.એસ અને ડીપ્લોમાં ડી.એચ.એમ.એસને )  જેવી ડિગ્રી મેળવી છે. પરંતુ ડિગ્રી મેળવ્યા બાદ એવા ઘણા લોકો હોય છે. જેમની આર્થિક સ્થિતિ ખરાબ હોવાથી તે પોતાનું દવાખાનું શરૂ કરી શકતા નથી. તેવા લોકોને આ યોજના હેઠળ લોન આપવામાં આવે. જેથી તે પોતાનું દવાખાનું શરૂ કરી શકે.


વિચરતી-વિમુક્ત જાતિના ડોક્ટરો માટે લોન  યોજનાનો લાભ કયા વિધાર્થીઓને મળશે? (પાત્રતા અને શરતો)

વિચરતી-વિમુક્ત જાતિના જે ડૉક્ટરો આ યોજનાનો લાભ મેળવવા માંગે તેમના માટે ચોક્કસ પાત્રતાઓ નક્કી થયેલી છે. જો તે પાત્રતાનું પાલન તમારી સાથે થશે તે લોકોને જ આ યોજનાનો લાભ મળશે? જે પાત્રતા નીચે મુજબ છે.

  • લાભાર્થી અરજદાર ગુજરાત રાજ્યનો વતની હોવો જોઈએ.
  • લાભાર્થી અરજદાર વિચરતી-વિમુક્ત જાતિના હોવો જોઈએ.
  • અરજદાર સરકારી કચેરી કે કોઇ ખાનગી સંસ્થામાં નોકરી કરતા હોવા જોઇએ નહી.
  • ગ્રામ્ય વિસ્તાર માટે વાર્ષિક આવક રૂ.૧,૨૦,૦૦૦/- હોવી જોઈએ.
  • શહેરી વિસ્તાર માટે વાર્ષિક આવક રૂ.૧,૫૦,૦૦૦/- થી વધુ ન હોવી જોઈએ.

વિચરતી-વિમુક્ત જાતિના ડોક્ટરો માટે લોન  યોજનામાં કેટલી સહાય મળશે?

વિચરતી-વિમુક્ત જાતિના ડોક્ટરો માટે લોન  યોજના હેઠળ ઉપર આપેલી તમામ ડિગ્રી માટે વિચરતી-વિમુક્ત જાતિના ડૉક્ટરોને પોતાનો સ્વતંત્ર વ્યાસાય(દવાખાનું) શરૂ કરવા માટે રૂ.૪૦,૦૦૦/- ની લોન આપવામાં આવશે, જેનો ૪% વ્યાજદર હશે.


વિચરતી-વિમુક્ત જાતિના ડોક્ટરો માટે લોન યોજનામાં અરજી કરવા માટે ક્યાં-ક્યા ડોક્યુમેન્‍ટ જોઈએ.

NTDNT Cast Hospital Sahay Yojana નો લાભ લેવા માટે આ યોજનામાં તમારે અરજી કરવાની રહેશે. જેના માટે તમારે નીચે મુજબના ડોક્યુમેન્ટની જરૂર રહેશે. ત્યારે જ તમે ફોર્મ ભરી શકશો.

  • અરજદારનો રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ /ઘરવેરાની પહોંચ).
  • આવકનો દાખલો.
  • જામીનદારનું જામીનખત (પત્રક-અ મુજબ).
  • જાત જામીનખત (પત્રક-બ મુજબ).
  • મેડીકલ કાઉન્સીલ તરફથી મળેલ રજિસ્ટ્રેશન સર્ટીની પ્રમાણિત નકલ/ ફી ભર્યાની પહોંચની નકલ.
  • દવાખાનાના મકાનનું ભાડું એક વર્ષ માટે ભાડા ચિઠ્ઠી રજૂ કરવી.
  • ડોક્ટરી લાઇનનો અનુભવ જો હોય તો પ્રમાણપત્ર આપવું.
  • સક્ષમ અધિકારીશ્રીનું જાતિનું પ્રમાણપત્ર.
  • અરજદારના ફોટો.

વિચરતી-વિમુક્ત જાતિના ડોક્ટરો માટે લોન  યોજના


આ પણ વાંચો:-

ડૉ.પી.જી. સોલંકી અનુસૂચિત જાતિના તબીબી સ્નાતક કક્ષાના ડૉક્ટરોને લોન સહાય યોજના વિશે જાણો સંપૂર્ણ જાણકારી.


વિચરતી-વિમુક્ત જાતિના ડોક્ટરો માટે લોન યોજનામાં અરજી કેવી રીતે કરવી?

જે મિત્રો વિચરતી-વિમુક્ત જાતિના ડોક્ટરો માટે લોન યોજનામાં અરજી કરવા માંગે છે તે નીચે આપેલી પ્રક્રિયાને ફોલો કરીને, તમે અરજી કરી શકો છો

વિચરતી-વિમુક્ત જાતિના ડોક્ટરો માટે લોન યોજનામાં અરજી તમે જાતે પણ કરી શકો છો જે તમારે esamajkalyan Portal પર અરજી કરી શકો છો અથવા તમે તમારા નજીકના CSC સેન્ટર કે જ્યાં ઓનલાઇન કામગીરી કરતા હોય ત્યાં જઈને તમે ઓનલાઇન અરજી કરી શકો છો.

(ખાસ નોંધ:-પ્રિય મિત્રો તમે અહીંયા esamajkalyan Portal પર ઓનલાઇન જાતે અરજી કરી શકો છો પરંતુ જ્યાં સુધી બને ત્યાં સુધી તમે તમારા નજીકનાં ઓનલાઇન સેન્ટર કે જ્યાં આવી ઓનલાઇન કામગીરી થતી હોય ત્યાં જઈને તમે ઓનલાઇન અરજી કરવો જેથી તમારી અરજીમાં કોઈ ભૂલ ના થાય.)


વિચરતી-વિમુક્ત જાતિના ડોક્ટરો માટે લોન યોજના હેલ્પલાઈન

પ્રિય મિત્રો અહીં અમે તમને NTDNT Cast Hospital Sahay Yojana વિશે સંપૂર્ણ માહિતી આપી છે. પરંતુ જો તમને આ યોજના વિશે કોઈપણ પ્રકારની સમસ્યા હોય કે આ યોજના વિશે વધુ માહિતી મેળવવી હોય તો તમે આ યોજના અધિકારીક વેબસાઈટ esamajkalyan Portal જઈને આ યોજના વિશે વધુ માહિતી મેળવી શકો છો.


NTDNT Cast Hospital Sahay Yojana માટેની મહત્વપૂર્ણ લિંકો

NTDNT Cast Hospital Sahay Yojana ની અધિકારીક વેબસાઈટ અહીં ક્લિક કરો.
ગુજરાત સરકાર અને ભારત સરકારની તમામ સરકારી યોજના વિશે જાણવા અમારા Whatsapp ગ્રુપ સાથે જોડાવો. અહીં ક્લિક કરો.
અમારી વેબસાઈટનું હોમ પેજ અહીં ક્લિક કરો.

FAQs – વારંવાર પૂછાતા પ્રશ્નો

1.વિચરતી-વિમુક્ત જાતિના ડોક્ટરો માટે લોન યોજનાનો લાભ કોને મળે છે?

જવાબ :- વિચરતી-વિમુક્ત જાતિના ડૉક્ટરો કે જેમને પોતાનું દવાખાનું શરૂ કરવું છે. તેમને આ યોજનાનો લાભ મળશે.

2.વિચરતી-વિમુક્ત જાતિના ડોક્ટરો માટે લોન યોજનામાં કેટલી લોન મળશે?

જવાબ :- આ યોજના હેઠળ વિચરતી-વિમુક્ત જાતિના ડોક્ટરને રૂ.૪૦,૦૦૦/- ની લોન આપવામાં આવશે, જેનો ૪% વ્યાજદર હશે.

3.વિચરતી-વિમુક્ત જાતિના ડોક્ટરો માટે લોન યોજનામાં અરજી કરવાની વેબસાઈટ કઈ છ?

જવાબ :- https://esamajkalyan.gujarat.gov.in/

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું

Leave a Comment