ડૉ.પી.જી. સોલંકી અનુસૂચિત જાતિના તબીબી સ્નાતક કક્ષાના ડૉક્ટરોને લોન સહાય યોજના 2024

ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્રારા લોકોના હિત માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે, જે માંથી આ એક છે, જેનું નામ છે, ડૉ.પી.જી. સોલંકી અનુસૂચિત જાતિના તબીબી સ્નાતક કક્ષાના ડૉક્ટરોને લોન સહાય યોજના.

તો ચાલો જાણીએ કે ડૉ.પી.જી. સોલંકી અનુસૂચિત જાતિના તબીબી સ્નાતક કક્ષાના ડૉક્ટરોને લોન સહાય યોજના શું છે?, SC Cast Hospital Loan Sahay Yojana નો હેતુ શું છે?, આ યોજનાનો લાભ કયા લોકોને મળશે?, આ યોજનામાં કેટલો લાભ મળશે?, આ યોજનામાં અરજી કરવા માટે કયા-કયા ડોક્યુમેન્ટ જોઈએ અને ભોજન બિલ સહાય યોજનામાં અરજી કેવી રીતે કરવી. આ તમામ માહિતી ગુજરાતી ભાષાંમાં જાણવા માંગો છો, તો આ લેખને અંત સુધી વાંચો.


Contents hide

ડૉ.પી.જી. સોલંકી અનુસૂચિત જાતિના તબીબી સ્નાતક કક્ષાના ડૉક્ટરોને લોન સહાય યોજના શું છે?

ડૉ.પી.જી.સોલંકી અનુસૂચિત જાતિના તબીબી સ્નાતક કક્ષાના ડૉક્ટરોને લોન સહાય હેઠળ એમ.બી.બી.એસ, બી.એસ.એ.એમ, બી.એ.એમ.એસ,  બી.એ.એમ(આર્યુવેદ), બી.ડી.એસ(ડેન્ટલ), હોમીયોપેથીક ડીગ્રી, ડીપ્લોમાં (બી.એચ.એમ.એસ અને ડીપ્લોમાં ડી.એચ.એમ.એસને ) જેવી ડિગ્રી મેળવેલ વિદ્યાર્થીઓને સ્વતંત્ર વ્યવસાય(દવાખાનું) શરૂ કરવા માટે આ યોજના હેઠળ સરકાર દ્રારા સહાય(લોન) આપવામાં આવશે.


ડૉ.પી.જી. સોલંકી અનુસૂચિત જાતિના તબીબી સ્નાતક કક્ષાના ડૉક્ટરોને લોન સહાય યોજના હેતુ શું?

સરકાર દ્રારા આ યોજના તે માટે ચાલુ કરવામાં આવી છે. કારણે કે, અનુસૂચિત જાતિના વિધાર્થીઓ જેમણે એમ.બી.બી.એસ, બી.એસ.એ.એમ, બી.એ.એમ.એસ,  બી.એ.એમ(આર્યુવેદ), બી.ડી.એસ(ડેન્ટલ), હોમીયોપેથીક ડીગ્રી, ડીપ્લોમાં (બી.એચ.એમ.એસ અને ડીપ્લોમાં ડી.એચ.એમ.એસને )  જેવી ડિગ્રી મેળવી છે. પરંતુ ડિગ્રી મેળવ્યા બાદ એવા ઘણા લોકો હોય છે. જેમની આર્થિક સ્થિતિ ખરાબ હોવાથી તે પોતાનું દવાખાનું શરૂ કરી શકતા નથી. તેવા લોકોને આ યોજના હેઠળ લોન આપવામાં આવે. જેથી તે પોતાનું દવાખાનું શરૂ કરી શકે.


ડૉ.પી.જી. સોલંકી અનુસૂચિત જાતિના તબીબી સ્નાતક કક્ષાના ડૉક્ટરોને લોન સહાય યોજનાનો લાભ કયા વિધાર્થીઓને મળશે? (પાત્રતા અને શરતો)

અનુસૂચિત જાતિના તબીબી સ્નાતક કક્ષાના જે ડૉક્ટરો આ યોજનાનો લાભ મેળવવા માંગે તેમના માટે ચોક્કસ પાત્રતાઓ નક્કી થયેલી છે. જો તે પાત્રતાનું પાલન તમારી સાથે થશે તે લોકોને જ આ યોજનાનો લાભ મળશે? જે પાત્રતા નીચે મુજબ છે.

  • લાભાર્થી અરજદાર ગુજરાત રાજ્યનો વતની હોવો જોઈએ.
  • લાભાર્થી અરજદાર અનુસૂચિત જાતિનો હોવો જોઈએ.
  • અરજદાર સરકારી કચેરી કે કોઇ ખાનગી સંસ્થામાં નોકરી કરતા હોવા જોઇએ નહી.
  • ગ્રામ્ય વિસ્તાર માટે વાર્ષિક આવક રૂ.૧,૨૦,૦૦૦/- હોવી જોઈએ.
  • શહેરી વિસ્તાર માટે વાર્ષિક આવક રૂ.૧,૫૦,૦૦૦/- થી વધુ ન હોવી જોઈએ.
  • આ યોજનાનો લાભ કુટુંબની એક જ વ્યકતિને એક જ વખત મળવાપાત્ર થશે.
  • આ વ્યવસાયમાં કોઈ બીજી વ્યકિતની ભાગીદારી માલુમ ૫ડશે તો અરજદાર પાસેથી તમામ લોન સહાય તથા અન્ય ખર્ચ વસુલ કરવામાં આવશે.
  • અરજદારને સરકારી સહાય મળ્યા બાદ ૩ માસમાં દવાખાનું શરૂ કરવાનું રહેશે.
  • અરજદારને લોન મંજુર કર્યા બાદ ૧૨ માસ ૫છી માસિક રૂા.૫૦,૦૦૦/-ના હપ્તેથી ૫રત વસુલ કરવામાં આવશે.
  • હોમીયોપેથીક ડૉકટરોએ ફકત શુધ્ધ હોમીયોપેથીકમા જ પ્રૅકટીશ કરવાની રહેશે.

ડૉ.પી.જી. સોલંકી અનુસૂચિત જાતિના તબીબી સ્નાતક કક્ષાના ડૉક્ટરોને લોન સહાય યોજના માં કેટલી સહાય મળશે?

ડૉ.પી.જી. સોલંકી અનુસૂચિત જાતિના તબીબી સ્નાતક કક્ષાના ડૉક્ટરોને લોન સહાય યોજના હેઠળ ઉપર આપેલી તમામ ડિગ્રી માટે અનુસૂચિત જાતિના તબીબી સ્નાતક કક્ષાના ડૉક્ટરોને પોતાનો સ્વતંત્ર વ્યાસાય(દવાખાનું) શરૂ કરવા માટે રૂ.૨,૫૦,૦૦૦/- લાખની લોન આપવામાં આવશે, જેનો ૪% વ્યાજદર હશે.


ડૉ.પી.જી. સોલંકી અનુસૂચિત જાતિના તબીબી સ્નાતક કક્ષાના ડૉક્ટરોને લોન સહાય યોજના અરજી કરવા માટે ક્યાં-ક્યા ડોક્યુમેન્‍ટ જોઈએ.

SC Cast Hospital Loan Sahay Yojana નો લાભ લેવા માટે આ યોજનામાં તમારે અરજી કરવાની રહેશે. જેના માટે તમારે નીચે મુજબના ડોક્યુમેન્ટની જરૂર રહેશે. ત્યારે જ તમે ફોર્મ ભરી શકશો.

  • અરજદારનું આધાર કાર્ડ
  • અરજદારની જાતિ/પેટા જાતિ નો દાખલો
  • કુટુંબની કુલ વાર્ષિક આવકનો દાખલો
  • રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈ પણ એક)
  • જામીનદારના જામીનખતનો નમૂનો
  • રજીસ્ટ્રેશનની નકલ
  • તબીબી સ્નાતક ડિગ્રીનું પ્રમાણપત્ર
  • અરજદારની ઉંમર નો પુરાવો/ શાળા છોડયાનું પ્રમાણપત્ર (હોય તો)
  • જાતજામીનખતનો નમૂનો
  • બાંહેધરી પત્રક
  • લોન ભરપાઇ કરવા માટે પાત્રતાનો દાખલો
  • એકરારનામું
  • સોગંદનામું
  • જામીનદાર-૧ ના મિલકતના આધાર ( ૭/૧૨ ના ઉતારા – ઇંડેક્સ)
  • જામીનદાર-૨ ના મિલકતના આધાર ( ૭/૧૨ ના ઉતારા – ઇંડેક્સ)
  • બેંક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક (અરજદારના નામનું)

ડૉ.પી.જી. સોલંકી અનુસૂચિત જાતિના તબીબી સ્નાતક કક્ષાના ડૉક્ટરોને લોન સહાય યોજના


આ પણ વાંચો:-

શ્રી વાજપાઇ બેંકેબલ યોજના વિશે જાણો સંપૂર્ણ જાણકારી.

આ પણ વાંચો:-

સંત સુરદાસ યોજના વિશે જાણો સંપૂર્ણ જાણકારી.


ડૉ.પી.જી. સોલંકી અનુસૂચિત જાતિના તબીબી સ્નાતક કક્ષાના ડૉક્ટરોને લોન સહાય યોજના માં અરજી કેવી રીતે કરવી?

જે મિત્રો અનુસૂચિત જાતિના તબીબી સ્નાતક કક્ષાના ડૉક્ટરોને લોન સહાય યોજનામાં અરજી કરવા માંગે છે તે નીચે આપેલી પ્રક્રિયાને ફોલો કરીને, તમે અરજી કરી શકો છો

અનુસૂચિત જાતિના તબીબી સ્નાતક કક્ષાના ડૉક્ટરોને લોન સહાય યોજનામાં અરજી તમે જાતે પણ કરી શકો છો જે તમારે esamajkalyan Portal પર અરજી કરી શકો છો અથવા તમે તમારા નજીકના CSC સેન્ટર કે જ્યાં ઓનલાઇન કામગીરી કરતા હોય ત્યાં જઈને તમે ઓનલાઇન અરજી કરી શકો છો.

(ખાસ નોંધ:-પ્રિય મિત્રો તમે અહીંયા esamajkalyan Portal પર ઓનલાઇન જાતે અરજી કરી શકો છો પરંતુ જ્યાં સુધી બને ત્યાં સુધી તમે તમારા નજીકનાં ઓનલાઇન સેન્ટર કે જ્યાં આવી ઓનલાઇન કામગીરી થતી હોય ત્યાં જઈને તમે ઓનલાઇન અરજી કરવો જેથી તમારી અરજીમાં કોઈ ભૂલ ના થાય.)


SC Cast Hospital Loan Sahay Yojana હેલ્પલાઈન

પ્રિય મિત્રો અહીં અમે તમને SC Cast Hospital Loan Sahay Yojana વિશે સંપૂર્ણ માહિતી આપી છે. પરંતુ જો તમને આ યોજના વિશે કોઈપણ પ્રકારની સમસ્યા હોય કે આ યોજના વિશે વધુ માહિતી મેળવવી હોય તો તમે આ યોજના અધિકારીક વેબસાઈટ esamajkalyan Portal જઈને આ યોજના વિશે વધુ માહિતી મેળવી શકો છો.


SC Cast Hospital Loan Sahay Yojana માટેની મહત્વપૂર્ણ લિંકો

esamajkalyan Portal ની અધિકારીક વેબસાઈટ અહીં ક્લિક કરો.
ગુજરાત સરકાર અને ભારત સરકારની તમામ સરકારી યોજના વિશે જાણવા અમારા Whatsapp ગ્રુપ સાથે જોડાવો. અહીં ક્લિક કરો.
અમારી વેબસાઈટનું હોમ પેજ અહીં ક્લિક કરો.

FAQs – વારંવાર પૂછાતા પ્રશ્નો

1.ડૉ.પી.જી. સોલંકી અનુસૂચિત જાતિના તબીબી સ્નાતક કક્ષાના ડૉક્ટરોને લોન સહાય યોજનાનો લાભ કોને મળે છે?

જવાબ :- અનુસૂચિત જાતિના તબીબી સ્નાતક કક્ષાના ડૉક્ટરો કે જેમને પોતાનું દવાખાનું શરૂ કરવું છે.

2.ડૉ.પી.જી. સોલંકી અનુસૂચિત જાતિના તબીબી સ્નાતક કક્ષાના ડૉક્ટરોને લોન સહાય યોજનામાં કેટલી લોન મળશે?

જવાબ :- આ યોજના હેઠળ અનુસૂચિત જાતિના તબીબી સ્નાતક કક્ષાના ડૉક્ટરોને રૂ.૨,૫૦,૦૦૦/- લાખની લોન આપવામાં આવશે, જેનો ૪% વ્યાજદર હશે.

3.ડૉ.પી.જી. સોલંકી અનુસૂચિત જાતિના તબીબી સ્નાતક કક્ષાના ડૉક્ટરોને લોન સહાય યોજનામાં અરજી કરવાની વેબસાઈટ કઈ છ?

જવાબ :- https://esamajkalyan.gujarat.gov.in/

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું

1 thought on “ડૉ.પી.જી. સોલંકી અનુસૂચિત જાતિના તબીબી સ્નાતક કક્ષાના ડૉક્ટરોને લોન સહાય યોજના 2024”

Leave a Comment