સ્ટ્રોબેરીની ખેતી માટે સહાય યોજના | Stroberi Ni Kheti Mate Sahay Yojana

 

મારાં વ્હાલા ખેડૂત મિત્રો આજના આ લેખમાં આપણે ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ખેડૂતો માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે, જે માંથી આ એક છે, સ્ટ્રોબેરીની ખેતી માટે સહાય યોજના. તો ચાલો જાણીએ કે સ્ટ્રોબેરીની ખેતી માટે સહાય યોજના શું છે?, સ્ટ્રોબેરીની ખેતી માટે સહાય યોજનાનો હેતુ શું છે?, આ યોજનાનો લાભ કયા ખેડૂતોને મળશે?, આ યોજનામાં કેટલો લાભ મળશે?, આ યોજનામાં અરજી કરવા માટે કયા-કયા ડોક્યુમેન્ટ જોઈએ અને સ્ટ્રોબેરીની ખેતી માટે સહાય યોજનામાં અરજી કેવી રીતે કરવી. આ તમામ માહિતી ગુજરાતી ભાષાંમાં જાણવા માંગો છો, તો આ લેખને અંત સુધી વાંચો.

 

Stroberi Ni Kheti Mate Sahay Yojana
Stroberi Ni Kheti Mate Sahay Yojana

 

Contents hide

સ્ટ્રોબેરીની ખેતી માટે સહાય યોજના શું છે?

આઈ ખેડૂત પોર્ટલ પર ચાલતી સ્ટ્રોબેરીની ખેતી માટે સહાય યોજના હેઠળ ગુજરાતના ખેડૂત ભાઈઓને સ્ટ્રોબેરીની ખેતી કરવા માટે સહાય આપવામાં આવશે. જેમાં વિવિધ જ્ઞાતિ માટે વિવિધ સહાય આપવામાં આવે છે.

 

સ્ટ્રોબેરીની ખેતી માટે સહાય યોજનાનો ઉદ્દેશ્ય શું?

અત્યારના સમયમાં સ્ટ્રોબેરીની ખેતીનું ઉત્પાદન ખુબ જ ઓછું છે, તે માટે સરકાર દ્વારા સ્ટ્રોબેરીની ખેતીના ઉત્પાદન વધારો થાય, જેથી ગુજરાતના ખેડૂતો આ ખેતી તરફ આગળ વધે તે જ આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય છે.

 

સ્ટ્રોબેરીની ખેતી માટે સહાય યોજના હેઠળ કયા ખેડૂતોને લાભ મળશે? (પાત્રતા અને શરતો)

રાજ્યના ખેડૂતોને સ્ટ્રોબેરીની ખેતી માટે સહાય  મેળવવા માટે તેની ચોક્કસ પાત્રતાઓ નક્કી થયેલી છે. જો તે પાત્રતાનું પાલન તમારી સાથે થશે તે ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે? જે પાત્રતા નીચે મુજબ છે.

 

  • અરજદાર ખેડૂત ગુજરાત રાજ્યનો વતની હોવો જોઈએ.
  • આ યોજનાનો લાભ સામાન્ય ખેડૂતો, અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિના ખેડૂતોને મળશે.
  • આ યોજનાનો લાભ ખેડૂત ફક્ત એક જ વખત મળશે.
  • ખેડૂત લાભાર્થી દીઠ 4 હેક્ટરની મર્યાદામાં સહાય મળવા પાત્ર છે.
  • પ્લાન્ટીંગ મટેરીયલ માટે NHB દ્વારા એક્રીડેશન થયેલ/કૃષિ યુનિ./બાગાયત ખાતાની નર્સરીઓમાંથી જ ખરીદવાનું રહેશે.
  • ટીસ્યુકલ્ચર પ્લાન્ટીંગ મટેરીયલ માટે DBT દ્વારા માન્ય/એક્રીડેશન થયેલ ટીસ્યુ લેબ, GNFC, GSFC, કૃષિ યુનિ.ની ટીસ્યુ લેબ જેવી સરકારશ્રીની જાહેર સાહસ સંસ્થાઓ પાસેથી પ્લાન્ટીગ મટેરીયલ ખરીદવાના રહેશે.
  • ખેડૂતને નવીન ટપક સિંચાઇ પધ્ધતિ ઉભી કરવાની રહેશે.
  • અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જન જાતિ સિવાયના તમામ ખેડૂત ખાતેદાર 1 હેક્ટરથી વધુ વિસ્તારમાં સહાયનો લાભ લેવા માંગતા હોય તો તેમને માઇક્રો ઇરીગેશન સીસ્ટમ ફરજીયાત અપનાવવાની રહેશે.
  • જે તે ખેડૂત ખાતેદારે બાગાયતી પાકોનાં વાવેતરની નોંધ પાણીપત્રકમાં દાખલ કરાવવાની રહેશે.
  • વાવેતરની નોંધ પાણીપત્રકમાં દાખલ ન થાય ત્યાં સુધી જે તે વિસ્તારના તલાટીનો તે બાબતનો દાખલો ખેડુતે રજુ કરવાનો રહેશે.
  • રાજય સરકારશ્રીની વધારાની ૧૫% પુરક સહાય ફ્કત વાવેતર માટે જ આપવામાં આવશે.

 

આ પણ વાંચો:-

સરગવાની ખેતી માટે સહાય યોજના

 

સ્ટ્રોબેરીની ખેતી માટે સહાય યોજનામાં મળવાપાત્ર સહાય

અહીં Stroberi Ni Kheti Mate Sahay Yojana હેઠળ મળતી સહાય વિવિધ જ્ઞાતિ મુજબ અલગ-અલગ હોય છે, જેની સંપૂર્ણ માહિતી નીચે મુજબ છે.

સામાન્ય જાતિના ખેડૂતોને મળવાપાત્ર સહાય પ્રતિ હેક્ટર 2.80 લાખમાં ટપક સિંચાઇ પધ્ધતિ તથા મલ્ચીંગ સાથે ખર્ચના 40% અથવા મહત્તમ રૂ. 1.12 લાખ હેક્ટર મળવાપાત્ર.

ખેડૂતને પ્રતિ હેક્ટર 1.25 લાખમાં ટપક સિંચાઇ પધ્ધતિ તથા મલ્ચીંગ વિના ખર્ચના 40% અથવા મહત્તમ રૂ. 0.50 લાખ હેક્ટર મળવાપાત્ર.

અનુસુચિત જાતિના ખેડૂતોને મળવાપાત્ર સહાય પ્રતિ હેક્ટર 2.80 લાખમાં ટપક સિંચાઇ પધ્ધતિ તથા મલ્ચીંગ સાથે ખર્ચના 40% અથવા મહત્તમ રૂ. 1.12 લાખ હેક્ટર મળવાપાત્ર છે.

ખેડૂતને પ્રતિ હેક્ટર 1.25 લાખમાં ટપક સિંચાઇ પધ્ધતિ તથા મલ્ચીંગ વિના ખર્ચના 40% અથવા મહત્તમ રૂ. 0.50 લાખ હેક્ટર મળવા પાત્ર છે.

અનુસુચિત જનજાતિના ખેડૂતોને મળવાપાત્ર સહાય પ્રતિ હેક્ટર 2.80 લાખમાં ટપક સિંચાઇ પધ્ધતિ તથા મલ્ચીંગ સાથે ખર્ચના 50% અથવા મહત્તમ રૂ. 1.40 લાખ હેક્ટર મળવા પાત્ર છે.

ખેડૂતને પ્રતિ હેક્ટર 1.25 લાખમાં ટપક સિંચાઇ પધ્ધતિ તથા મલ્ચીંગ વિના ખર્ચના 50% અથવા મહત્તમ રૂ. 62,500/હેક્ટર મળવાપાત્ર છે.

 

સ્ટ્રોબેરીની ખેતી માટે સહાય યોજનામાં અરજી કરવા માટે ક્યાં-ક્યા ડોક્યુમેન્‍ટ જોઈએ?

Stroberi Ni Kheti Mate Sahay YYojana નો લાભ લેવા માટે ikhedut portal પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. જેના માટે નીચે મુજબના ડોક્યુમેન્ટની જરૂર રહેશે. ત્યારે જ તમે ફોર્મ ભરી શકશો.

 

  • આધારકાર્ડની ઝેરોક્ષ
  • રેશનકાર્ડની ઝેરોક્ષ
  • જો ખેડૂત લાભાર્થી SC જાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ (જે જ્ઞાતિને લાગુ પડતું હોય તેને)
  • જો ખેડૂત લાભાર્થી ST જાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ (જે જ્ઞાતિને લાગુ પડતું હોય તેને)
  • ખેડૂતની 7/12 ની જમીનની નકલ
  • ખેતીના 7-12 અને 8-અ જમીનમાં સંયુક્ત ખાતેદારના કિસ્સામાં અન્ય ખેડૂતના સંમતિપત્રક
  • જો ખેડૂત દિવ્યાંગ હોય તો દિવ્યાંગતા હોવા અંગેનું પ્રમાણપત્ર
  • લાભાર્થી જો ટ્રાઈબલ વિસ્તારના હોય તો વન અધિકાર પત્રની નકલ (હોય તો)
  • લાભાર્થી પાસે આત્માનું રજીસ્ટ્રેશન કરાવેલું હોય તો તેની વિગતો
  • સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો (લાગુ પડતું હોય તો જ)
  • દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની માહિતી (લાગુ પડતું હોય તો જ)
  • બેંક પાસબુક ઝેરોક્ષ
  • મોબાઈલ નંબર (ચાલુ હોય તેવો)

 

આ પણ વાંચો:-

મીની ટ્રેક્ટર સહાય યોજના

 

સ્ટ્રોબેરીની ખેતી માટે સહાય યોજનામાં અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

Stroberi Ni Kheti Mate Sahay Yojana માં અરજી કરવા માટેની મહત્વપૂર્ણ તારીખો.

  • અરજી કરવાની શરૂઆતની તારીખ:- 22/04/2023
  • અરજી કરવાની છેલ્લી તારીખ :- 31/05/2023

 

સ્ટ્રોબેરીની ખેતી માટે સહાય યોજનામાં અરજી કેવી રીતે કરવી?

Stroberi Ni Kheti Mate Sahay Yojana માં i-khedut portal પર તમારે ઓનલાઇન અરજી કરવાની રહેશે અને સાથે ઓનલાઇન અરજી કર્યા પછી તમારે થોડીક ઓફલાઈન પ્રક્રિયા કરવાની રહેશે, જેની સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે.

 

  • સૌપ્રથમ તમારે તમારા મોબાઈલ, કોમ્પ્યુટર કે કોઈપણ ડિવાઇસમાં Google ઓપન કરવાનું રહેશે.
  • હવે ગૂગલ સેર્ચમાં જઈને “ikhedut” ટાઈપ કરવાનું રહેશે.
  • હવે તમારી સામે ikhedut portal ની Official Website તમારી સામે આવશે.
  • હવે ikhedut portal ની Official Website ઓપન કરો.
  • હવે તમારી સામે આઈ ખેડૂત પોર્ટલ વેબસાઈટનું Home Page ખુલીને આવશે.
  • હવે હોમપેજ પર તમને ઉપર મેનુમાં “યોજના”  દેખાશે તેના પર ક્લિક કરવાની રહેશે.
  • હવે વેબસાઈટ પર યોજના પર ક્લિક કર્યા પછી તમારી સામે એક નવું પેજ ખૂલશે.
  • જેમાં તમારે “બાગાયતની યોજનાઓ” પર ક્લિક કરવાનું રહેશે.
  • હવે “ખેતીવાડી ની યોજનાઓ” ખોલ્યા બાદ જ્યાં ક્રમ નંબર-93 પર આપેલી “સ્ટ્રોબેરીની ખેતી માટે સહાય” યોજના પર ક્લિક કરીને આગળ પ્રક્રિયા ચાલુ રાખવાની રહેશે.
  • જેમાં “Stroberi Ni Kheti Mate Sahay Yojana” યોજનામાં “અરજી કરો” તેના પર Click કરીને નવું પેજ ખોલવાની રહેશે.
  • હવે તમારે સામે એક નવું પેજ ખુલીને આવશે.
  • જો તમે આઈ-ખેડૂત પોર્ટલ પર પહેલા રજીસ્ટર કરેલું હોય તો “હા” સિલેટર કરવાનું રહેશે અને રજીસ્ટેશન નથી કર્યું તો “ના” કરવાનું રહેશે.
  • હવે ફરી તમારી સામે એક નવું પેજ ઓપન થશે.
  • આ પેજમાં તમને એક ફોર્મ જોવા મળશે.
  • હવે આ ફોર્મમાં તમારે માગ્યા મુજબની સંપૂર્ણ માહિતી ભરવાની રહેશે.
  • હવે ફોર્મ ભર્યા બાદ તે ફોર્મની ચકાસણી કર્યા બાદ “અરજી સેવ કરો” તેના પર ક્લિક કરવાનું રહેશે.
  • હવે ફરીથી ઓનલાઈન ભરેલી માહિતીની પૂરેપૂરી ચોક્ક્સાઈ કર્યા બાદ અરજી કન્ફોર્મ કરવાની રહેશે.
  • લાભાર્થી દ્વારા ઓનલાઈન અરજી એક વાર કન્‍ફર્મ કર્યા બાદ Application Number માં કોઈ સુધારો કે વધારો થશે નહિં.
  • ખેડૂત લાભાર્થીએ ઓનલાઈન અરજી કર્યા બાદ પોતાની અરજીની પ્રિ‍ન્‍ટ કઢાવાની રહેશે.
  • આ રીતે તમે ઓનલાઇન અરજી કરી શકો છો.

 

Stroberi Ni Kheti Mate Sahay Yojana માં ઓનલાઇન અરજી કર્યા પછી શું?

આઈ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન અરજી કર્યા પછી ઓફલાઈન શું પ્રક્રિયા કરવાની રહેશે, તેની સંપૂર્ણ માહિતી નીચે મુજબ છે.

 

  • સૌ પ્રથમ ઓનલાઈન અરજી કર્યા બાદ તમને તમારી અરજીને તાલુકા અમલીકરણ અધિકારીશ્રી દ્વારા પૂર્વ મંજૂરી આપવામાં આવશે.
  • હવે જો તમારી અરજી મંજુર થશે તો તમને અરજીની જાણ SMS/ઈ-મેઈલ કે અન્ય વ્યવસ્થા દ્વારા તમને જાણ કરવામાં આવશે.
  • હવે લાભાર્થી ખેડૂતે ઓનલાઇન અરજી કર્યા પછી જે પ્રિન્ટ મળે છે તે અરજીપત્રકમાં સહી કરવાની રહેશે.
  • હવે સહી કરેલ તે પ્રિંટઆઉટ સાથે અહીં ઉપર લેખમાં આપેલા તમામ ડોક્યુમેન્ટ તે પ્રિંટઆઉટની સાથે જોડવાના રહેશે.
  • હવે આ તમામ ડોક્યુમેન્ટ તમારે તમારા ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી કે તાલુકા અમલીકરણ અધિકારીશ્રી પાસે જમા કરવાના રહેશે.
  • આ રીતે તમારી ઓનલાઇન અને ઓફલાઈન સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ થશે અને સ્ટ્રોબેરીની ખેતી માટે સહાય  આપવામાં આવશે.

 

Stroberi Ni Kheti Mate Sahay Yojana હેલ્પલાઇન

ખેડૂત મિત્રો, અહીં અમે આ લેખમાં Stroberi Ni Kheti Mate Sahay Yojana વિશે સંપૂર્ણ માહિતી આપી છે, પરંતુ તમને આ યોજના વિશે હજી પણ જો કોઈ પ્રશ્ન હોય તો તમે વધુ માહિતી માટે તમારા વિસ્તારના ગ્રામ સેવક, તાલુકા કક્ષાએ વિસ્તરણ અધિકારી અથવા જિલ્લા કક્ષાએ “જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી” નો સંપર્ક કરીને, આ યોજના વિશે વધુ માહિતી મેળવી શકો છો.

 

આ પણ વાંચો:-

દેવીપૂજક ખેડુતોને તરબૂચ, ટેટી અને શાકભાજીના બિયારણ માટે સહાય યોજના

 

સ્ટ્રોબેરીની ખેતી માટે સહાય યોજના મહત્વપૂર્ણ લિંક

i-khedut portl  ની અધિકૃત વેબસાઇટ અહીં ક્લિક કરો.
એપ્લિકેશન સ્થિતિ અહીં ક્લિક કરો.
પ્રિન્ટ એપ્લિકેશન અહીં ક્લિક કરો.
ખેડૂત Whatsapp ગ્રુપમાં જોડાવો. અહીં ક્લિક કરો.

 

FAQs – વારંવાર પૂછાતા પ્રશ્નો

1.સ્ટ્રોબેરીની ખેતી માટે સહાય યોજનાનો લાભ લેવા અરજી કઈ રીતે કરવી?

જવાબ:- સ્ટ્રોબેરીની ખેતી માટે સહાય યોજનાનો લાભ લેવા માટે તમારે  આઈ-ખેડૂત પોર્ટલ ની વેબસાઈટ પરથી અરજી કરવાની રહેશે.

 

2.સ્ટ્રોબેરીની ખેતી માટે સહાય યોજના હેઠળ કેટલા ટકા સુધી લાભ મેળવી શકે છે?

જવાબ:- સ્ટ્રોબેરીની ખેતી માટે સહાય યોજના હેઠળ મળતી સહાયની સંપૂર્ણ માહિતી આ લેખમાં ઉપર આપેલ છે.

 

3.સ્ટ્રોબેરીની ખેતી માટે સહાય યોજનામાં અરજી કરવાનો સમયગાળો કેટલો છે?

જવાબ:- અરજી કરવાની શરૂઆતની તારીખ:- 22/04/2023 અને અરજી કરવાની છેલ્લી તારીખ :- 31/05/2023 છે.

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું

2 thoughts on “સ્ટ્રોબેરીની ખેતી માટે સહાય યોજના | Stroberi Ni Kheti Mate Sahay Yojana”

Leave a Comment