તાડપત્રી સહાય યોજના 2023 | Tadpatri Sahay Yojana

 

મારાં વ્હાલા ખેડૂત મિત્રો આજના આ લેખમાં આપણે ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ખેડૂતો માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે, જે માંથી આ એક છે, તાડપત્રી સહાય યોજના.

 

તો ચાલો જાણીએ કે તાડપત્રી સહાય યોજના શું છે?, તાડપત્રી સહાય યોજનાનો હેતુ શું છે?, આ યોજનાનો લાભ કયા ખેડૂતોને મળશે?, આ યોજનામાં કેટલો લાભ મળશે?, આ યોજનામાં અરજી કરવા માટે કયા-કયા ડોક્યુમેન્ટ જોઈએ અને તાડપત્રી સહાય યોજનામાં અરજી કેવી રીતે કરવી. આ તમામ માહિતી ગુજરાતી ભાષાંમાં જાણવા માંગો છો, તો આ લેખને અંત સુધી વાંચો.

 

તાડપત્રી સહાય યોજના

 

તાડપત્રી સહાય યોજના શું છે?

આઈ ખેડૂત પોર્ટલ પર ચાલતી Tadpatri Sahay Yojana હેઠળ ગુજરાતના ખેડૂત ભાઈઓને તાડપત્રી ખરીદવા માટે વિવિધ જ્ઞાતિ મુજબ ખેડૂતોને રૂપિયા 1250/- થી કરીને રૂપિયા 1875/- સુધીની તાડપત્રી ખરીદવા માટે સહાય આપવામાં આવશે.

 

તાડપત્રી સહાય યોજનાનો ઉદ્દેશ્ય શું?

રાજ્યમાં નાના,સીમાંત અને મોટા ખેડૂતોને આર્થિક મદદરૂપ મળી તે ખુબ જરૂરી છે. ખેડૂતોને પોતાના પાક ઉત્પાદનમાં વિવિધ સાધનોની જરૂર હોય છે. જેમાં વરસાદમાં પાકને સારી રીતે જાળવી રાખવા માટે વગેરે વિવિધ જગ્યાએ ઉપયોગી થઈ શકે તે માટે ખેડૂતોને તાડપત્રીની ખરીદીમાં સીધી સહાય મળે છે. ખેડૂતોને કોઈ પણ સમયે તાડપત્રી કામ આવે તે માટે આ યોજના ચલાવવામાં આવે છે.

 

તાડપત્રી સહાય યોજના હેઠળ કયા ખેડૂતોને લાભ મળશે? (પાત્રતા અને શરતો)

રાજ્યના ખેડૂતોને તાડપત્રી પર સહાય મેળવવા માટે તેની ચોક્કસ પાત્રતાઓ નક્કી થયેલી છે. જો તે પાત્રતાનું પાલન તમારી સાથે થશે તે ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે? જે પાત્રતા નીચે મુજબ છે.

 

  • લાભાર્થી ખેડૂત ગુજરાત રાજ્યનો હોવો જોઈએ.
  • આ યોજનાનો લાભ રાજ્યના નાના, સિમાંત,  મહિલા ખેડૂત, ST જ્ઞાતિના ખેડૂતો, જનરલ અને અન્ય ખેડૂતોને આ યોજનાઓને લાભ મળશે.
  • લાભાર્થી ખેડૂત જમીનનું રેકોર્ડ ધરાવતા હોવા જોઈએ.
  • જંગલીય વિસ્તાર માટે ટ્રાઈબલ જમીનનું પ્રમાણપત્ર ધરાવતા હોવા જોઈએ. (જો જંગલીય વિસ્તારમાં રહેતા હો તો)
  • આ યોજનાનો લાભ ખેડૂતોને ફક્ત 3 વાર મળશે.

 

તાડપત્રી સહાય યોજનામાં મળવાપાત્ર સહાય

અહીં Tadpatri Sahay Yojana હેઠળ મળતી સહાય વિવિધ જ્ઞાતિ મુજબ અલગ-અલગ હોય છે, જેની સંપૂર્ણ માહિતી નીચે મુજબ છે.

અનુસૂચિત જનજાતિ ખેડુતો માટે (AGR-14) આ સ્કીમ અનુસૂચિત જનજાતિના ખેડુતો માટે છે. જેમાં તાડપત્રીની ખરીદી કિંમતમાં કુલ 75% અથવા રૂ.1875/- બેમાંથી જે ઓછું હોય તે મળશે. ખેડૂતોને એક ખાતા દીઠ વધુમાં વધુ બે નંગ
અનુસૂચિત જનજાતિ ખેડુતો માટે (AGR-3) આ સ્કીમ અનુસૂચિત જનજાતિના ખેડુતો માટે છે. જેમાં તાડપત્રીની ખરીદી કિંમતમાં કુલ 75% અથવા રૂ.1875/- બેમાંથી જે ઓછું હોય તે મળશે. ખેડૂતોને એક ખાતા દીઠ વધુમાં વધુ બે નંગ
અનુસૂચિત જનજાતિ ખેડુતો માટે (AGR-4) આ સ્કીમ અનુસૂચિત જનજાતિના ખેડુતો માટે છે. જેમાં તાડપત્રીની ખરીદી કિંમતમાં કુલ 75% અથવા રૂ.1875/- બેમાંથી જે ઓછું હોય તે મળશે. ખેડૂતોને એક ખાતા દીઠ વધુમાં વધુ બે નંગ
સામાન્ય ખેડુતો માટે(AGR-2) આ સ્કીમ સામાન્ય જાતિના ખેડુતો માટે છે. જેમાં તાડપત્રીની ખરીદી કિંમતમાં કુલ 50% અથવા રૂ.1250/- બેમાંથી જે ઓછું હોય તે મળશે. ખેડૂતોને એક ખાતા દીઠ વધુમાં વધુ બે નંગ
NFSM આ સ્કીમતમાં તાડપત્રીની ખરીદી કિંમતમાં કુલ 50% અથવા રૂ.1250/- બે માંથી જે ઓછું હોય તે મળશે. ખેડૂતોને એક ખાતા દીઠ વધુમાં વધુ બે નંગ

 

તાડપત્રી સહાય યોજનામાં અરજી કરવા માટે ક્યાં-ક્યા ડોક્યુમેન્‍ટ જોઈએ?

Tadpatri Sahay Yojana નો લાભ લેવા માટે ikhedut portal પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. જેના માટે નીચે મુજબના ડોક્યુમેન્ટની જરૂર રહેશે. ત્યારે જ તમે ફોર્મ ભરી શકશો.

 

  • આધારકાર્ડની ઝેરોક્ષ
  • રેશનકાર્ડની ઝેરોક્ષ
  • જો ખેડૂત લાભાર્થી ST જાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ (જે જ્ઞાતિને લાગુ પડતું હોય તેને)
  • ખેડૂતની 7/12 ની જમીનની નકલ
  • ખેતીના 7-12 અને 8-અ જમીનમાં સંયુક્ત ખાતેદારના કિસ્સામાં અન્ય ખેડૂતના સંમતિપત્રક
  • જો ખેડૂત દિવ્યાંગ હોય તો દિવ્યાંગતા હોવા અંગેનું પ્રમાણપત્ર
  • લાભાર્થી જો ટ્રાઈબલ વિસ્તારના હોય તો વન અધિકાર પત્રની નકલ (હોય તો)
  • લાભાર્થી પાસે આત્માનું રજીસ્ટ્રેશન કરાવેલું હોય તો તેની વિગતો
  • સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો (લાગુ પડતું હોય તો જ)
  • દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની માહિતી (લાગુ પડતું હોય તો જ)
  • બેંક પાસબુક ઝેરોક્ષ
  • મોબાઈલ નંબર (ચાલુ હોય તેવો)

તાડપત્રી સહાય યોજનામાં અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

Tadpatri Sahay Yojana માં અરજી કરવા માટેની મહત્વપૂર્ણ તારીખો.

  • અરજી કરવાની શરૂઆતની તારીખ:- 07/08/2023
  • અરજી કરવાની છેલ્લી તારીખ :-

 

તાડપત્રી સહાય યોજનામાં અરજી કેવી રીતે કરવી?

આ યોજના માટે તમારે i-khedut portal પર તમારે ઓનલાઇન અરજી કરવાની રહેશે અને સાથે ઓનલાઇન અરજી કર્યા પછી તમારે થોડીક ઓફલાઈન પ્રક્રિયા કરવાની રહેશે, જેની સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે.

 

  • સૌપ્રથમ તમારે તમારા મોબાઈલ, કોમ્પ્યુટર કે કોઈપણ ડિવાઇસમાં Google ઓપન કરવાનું રહેશે.
  • હવે ગૂગલ સેર્ચમાં જઈને “ikhedut” ટાઈપ કરવાનું રહેશે.
  • હવે તમારી સામે ikhedut portal ની Official Website તમારી સામે આવશે.
  • હવે ikhedut portal ની Official Website ઓપન કરો.
  • હવે તમારી સામે આઈ ખેડૂત પોર્ટલ વેબસાઈટનું Home Page ખુલીને આવશે.
  • હવે હોમપેજ પર તમને ઉપર મેનુમાં “યોજના”  દેખાશે તેના પર ક્લિક કરવાની રહેશે.
  • હવે વેબસાઈટ પર યોજના પર ક્લિક કર્યા પછી તમારી સામે એક નવું પેજ ખૂલશે.
  • જેમાં તમારે “ખેતીવાડી ની યોજનાઓ” પર ક્લિક કરવાનું રહેશે.
  • હવે “ખેતીવાડી ની યોજનાઓ” ખોલ્યા બાદ નીચે આપેલી “તાડપત્રી સહાય યોજના” યોજના પર ક્લિક કરીને આગળ પ્રક્રિયા ચાલુ રાખવાની રહેશે.
  • જેમાં “Tadpatri Sahay Yojana” યોજનામાં “અરજી કરો” તેના પર Click કરીને નવું પેજ ખોલવાની રહેશે.
  • હવે તમારે સામે એક નવું પેજ ખુલીને આવશે.
  • જો તમે આઈ-ખેડૂત પોર્ટલ પર પહેલા રજીસ્ટર કરેલું હોય તો “હા” સિલેટર કરવાનું રહેશે અને રજીસ્ટેશન નથી કર્યું તો “ના” કરવાનું રહેશે.
  • હવે ફરી તમારી સામે એક નવું પેજ ઓપન થશે.
  • આ પેજમાં તમને એક ફોર્મ જોવા મળશે.
  • હવે આ ફોર્મમાં તમારે માગ્યા મુજબની સંપૂર્ણ માહિતી ભરવાની રહેશે.
  • હવે ફોર્મ ભર્યા બાદ તે ફોર્મની ચકાસણી કર્યા બાદ “અરજી સેવ કરો” તેના પર ક્લિક કરવાનું રહેશે.
  • હવે ફરીથી ઓનલાઈન ભરેલી માહિતીની પૂરેપૂરી ચોક્ક્સાઈ કર્યા બાદ અરજી કન્ફોર્મ કરવાની રહેશે.
  • લાભાર્થી દ્વારા ઓનલાઈન અરજી એક વાર કન્‍ફર્મ કર્યા બાદ Application Number માં કોઈ સુધારો કે વધારો થશે નહિં.
  • ખેડૂત લાભાર્થીએ ઓનલાઈન અરજી કર્યા બાદ પોતાની અરજીની પ્રિ‍ન્‍ટ કઢાવાની રહેશે.
  • આ રીતે તમે ઓનલાઇન અરજી કરી શકો છો.

 

ખાસ નોંધ:- જો તમને અરજી કરતા ના આવતું હોય તો તમે તમારા ગામની ગ્રામપંચાયતમાં બેસતા V.C.E પાસે જઈને અથવા તમારા નજીકમાં આવેલ CSC સેન્ટર પર જઈને ફોર્મ ભરી શકો છો.

 

તાડપત્રી સહાય યોજનામાં ઓનલાઇન અરજી કર્યા પછી શું?

આઈ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન અરજી કર્યા પછી ઓફલાઈન શું પ્રક્રિયા કરવાની રહેશે, તેની સંપૂર્ણ માહિતી નીચે મુજબ છે.

 

  • સૌ પ્રથમ ઓનલાઈન અરજી કર્યા બાદ તમને તમારી અરજીને તાલુકા અમલીકરણ અધિકારીશ્રી દ્વારા પૂર્વ મંજૂરી આપવામાં આવશે.
  • હવે જો તમારી અરજી મંજુર થશે તો તમને અરજીની જાણ SMS/ઈ-મેઈલ કે અન્ય વ્યવસ્થા દ્વારા તમને જાણ કરવામાં આવશે.
  • હવે લાભાર્થી ખેડૂતે ઓનલાઇન અરજી કર્યા પછી જે પ્રિન્ટ મળે છે તે અરજીપત્રકમાં સહી કરવાની રહેશે.
  • હવે સહી કરેલ તે પ્રિંટઆઉટ સાથે અહીં ઉપર લેખમાં આપેલા તમામ ડોક્યુમેન્ટ તે પ્રિંટઆઉટની સાથે જોડવાના રહેશે.
  • હવે આ તમામ ડોક્યુમેન્ટ તમારે તમારા ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી કે તાલુકા અમલીકરણ અધિકારીશ્રી પાસે જમા કરવાના રહેશે.
  • આ રીતે તમારી ઓનલાઇન અને ઓફલાઈન સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ થશે અને મિની તાડપત્રી ખરીદવા માટે સહાય આપવામાં આવશે.

 

તાડપત્રી સહાય યોજના હેલ્પલાઇન

ખેડૂત મિત્રો, અહીં અમે આ લેખમાં Tadpatri Sahay Yojana વિશે સંપૂર્ણ માહિતી આપી છે, પરંતુ તમને આ યોજના વિશે હજી પણ જો કોઈ પ્રશ્ન હોય તો તમે વધુ માહિતી માટે તમારા વિસ્તારના ગ્રામ સેવક, તાલુકા કક્ષાએ વિસ્તરણ અધિકારી અથવા જિલ્લા કક્ષાએ “જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી” નો સંપર્ક કરીને, આ યોજના વિશે વધુ માહિતી મેળવી શકો છો.

 

Tadpatri Sahay Yojana માટેની મહત્વપૂર્ણ લિંક

i-khedut portl  ની અધિકૃત વેબસાઇટ અહીં ક્લિક કરો.
એપ્લિકેશન સ્થિતિ અહીં ક્લિક કરો.
પ્રિન્ટ એપ્લિકેશન અહીં ક્લિક કરો.
ખેડૂત Whatsapp ગ્રુપમાં જોડાવો. અહીં ક્લિક કરો.

 

FAQs – વારંવાર પૂછાતા પ્રશ્નો

1.તાડપત્રી સહાય યોજનામાં અરજી કઈ રીતે કરવી?

જવાબ:- Tadpatri Sahay Yojana નો લાભ લેવા માટે તમારે  આઈ-ખેડૂત પોર્ટલ ની વેબસાઈટ પરથી અરજી કરવાની રહેશે.

 

2.તાડપત્રી સહાય યોજનામાં તાડપત્રી ખરીદવા માટે કેટલી સહાય મળે છે?

જવાબ:- Tadpatri Sahay Yojana માં ખેડૂત ભાઈઓને તાડપત્રી ખરીદવા માટે રૂપિયા 1250 થી 1875 સુધીની સબસિડી સહાય આપવામાં આવે છે.

 

3.તાડપત્રી સહાય યોજના માં અરજી કરવાનો સમયગાળો કેટલો છે?

જવાબ:- અરજી કરવાની શરૂઆતની તારીખ:- 07/08/2023 છે.

 

આ પણ વાંચો:-

પોસ્ટ શેર કરો:
           

2 thoughts on “તાડપત્રી સહાય યોજના 2023 | Tadpatri Sahay Yojana”

Leave a Comment