ડૉ.પી.જી સોલંકી અનુસૂચિત જાતિના વકીલોને નાણાંકીય સહાય યોજના 2024

 

ડૉ.પી.જી સોલંકી અનુસૂચિત જાતિના વકીલોને નાણાંકીય સહાય યોજના 2024 – મિત્રો ડૉ.પી.જી સોલંકી અનુસૂચિત જાતિના વકીલોને નાણાંકીય સહાય યોજના 2023 શું છે?, આ ડૉ.પી.જી સોલંકી અનુસૂચિત જાતિના વકીલોને નાણાંકીય સહાય યોજનાનો લાભ કોને મળશે?, આ યોજનામાં કેટલો લાભ મળશે? આ યોજનાનો લાભ મેળવવા માટે ક્યાં-ક્યાં ડોક્યુમેન્ટ જોઈએ અને આ યોજના માટે અરજી કેવી રીતે કરવી?, આ સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં જાણવા માંગો છો તો તમે એક દમ પરફેક્ટ જગ્યા પર આવ્યા છો કારણ કે આજના આ લેખમાં આપણે ડૉ.પી.જી સોલંકી અનુસૂચિત જાતિના વકીલોને નાણાંકીય સહાય યોજનાની સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં જાણીશું.

 

ડૉ.પી.જી સોલંકી અનુસૂચિત જાતિના વકીલોને નાણાંકીય સહાય યોજના

 

ડૉ.પી.જી સોલંકી અનુસૂચિત જાતિના વકીલોને નાણાંકીય સહાય યોજના શું છે?

ડૉ.પી.જી સોલંકી અનુસૂચિત જાતિના વકીલોને નાણાંકીય સહાય યોજનામાં જે કાયદાની પદવી મેળવીને પ્રેક્ટીસ કરવા માંગતા અનુસૂચિત જાતિના યુવાનોની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાના કારણે વકીલાતની સ્વતંત્ર પ્રેક્ટીસ કરી શકતા નથી અને અધવચ્ચે પ્રેક્ટીસ છોડી દેતા હોય છે તેથી આવી અનુસૂચિત જાતિની વ્યક્તિઓને તાલીમ આપનાર સીનીયર વકીલને માસિક ૫૦૦/- લેખે ત્રણ વર્ષ સુધી આપવામા આવે છે,વકીલાતની તાલીમ શરૂ કરે તે પ્રથમ વર્ષેથી -પ્રથમ વર્ષેઃ માસિક ₹.૧૦૦૦/-,બીજા વર્ષેઃ માસિક ₹.૮૦૦/-,ત્રીજા વર્ષેઃ માસિક ₹૬૦૦/- આપવામા આવે છે. જેથી અનુસૂચિત જાતિના નબળી પરિસ્થિતિ ધરાવતા વ્યક્તિઓને બીજા કોઈ વકીલ દ્રારા તાલીમ મળી રહે.

ડૉ.પી.જી સોલંકી અનુસૂચિત જાતિના વકીલોને નાણાંકીય સહાય યોજના માટે પાત્રતા અને શરતો

ડૉ.પી.જી સોલંકી અનુસૂચિત જાતિના વકીલોને નાણાંકીય સહાય યોજના હેઠળ જે વ્યક્તિ લાભ પ્રાપ્ત કરવા ઈચ્છે છે તેમની સાથે આ પાત્રતાનું પાલન થવું જોઈએ, ત્યારે જ આ યોજનાનો લાભ પ્રાપ્ત થશે.

લાભાર્થી અરજદાર ગુજરાત રાજ્યનો વતની હોવો જોઈએ.

લાભાર્થી અરજદાર અનુસૂચિત જાતિનો હોવો જોઈએ.

આ યોજનાનો લાભ એક વ્યક્તિને એક જ વખત મળવાપાત્ર રહેશે.

ગુજરાત બાર કાઉન્સીલમાં નોંધણી કરાવ્યેથી બે વર્ષમાં અરજી કરવાની રહેશે.

સિનિયર વકીલ ઓછામાં ઓછા ૧૦ વર્ષથી વધુ સમયથી પ્રેક્ટીસ કરતા હોવા જોઇએ.

આ યોજનામાં આવકમર્યાદા નથી.

સિનિયર વકીલ વધુમા વધુ પાંચ જુનીયર વકીલોને તાલીમ માટે રાખીશકશે.

વકીલાતની તાલીમ જિલ્લા મથકે આ૫વાની રહેશે. તેમાં સુઘારો કરી આ પ્રકારની તાલીમ તાલુકા મથકે ૫ણ આપી શકાશે.

ડૉ.પી.જી સોલંકી અનુસૂચિત જાતિના વકીલોને નાણાંકીય સહાય યોજના માટે આવશ્યક દસ્તાવેજ

જે ડૉ.પી.જી સોલંકી અનુસૂચિત જાતિના વકીલોને નાણાંકીય સહાય યોજનામાં અરજી કરવા માંગે છે, તેમને નીચે આપેલા તમામ દસ્તાવેજની જરૂર છે. ત્યારે જ તમે આ યોજનાનો લાભ મેળવી શકશો.

જુનિયર વકીલનું આધાર કાર્ડ

જુનિયર વકીલનો જાતિનો દાખલો

જુનિયર વકીલનું શાળા છોડયાનું પ્રમાણપત્ર

થર્ડ એલ.એલ.બી.પાસ કર્યાની માર્કશીટ

જુનિયર વકીલની સનદની અથવા એનરોલમેન્ટ નંબર- તારીખની નકલ

રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈ પણ એક)

જુનિયર વકીલનું બાર કાઉન્સીલનું ઓળખપત્ર

બેંક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક (જુનિયર વકીલના નામનું)

સીનીયર વકીલનું આધાર કાર્ડ

સીનીયર વકીલની સનદની અથવા એનરોલમેન્ટ નંબર- તારીખની નકલ

સીનીયર વકીલનું બાર કાઉન્સીલનું ઓળખપત્ર

સીનીયર વકીલ દશ વર્ષથી વધુ સમયથી પ્રેકટીસ કરે છે તે મતલબનું જે તે સીનીયરનું પ્રમાણપત્ર

સીનીયર વકીલના હાથ નીચે હાલમાં કેટલા જૂનિયર વકીલો તાલીમ લે છે તે અંગેની લેખિત વિગતો જે તે સીનીયર વકીલ પાસેથી લેખિતમાં મેળવેલ પત્રક

સીનીયર વકીલનું તાલીમ આપવા અંગેનું સંમતિ પત્રક

બેંક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક

ડૉ.પી.જી સોલંકી અનુસૂચિત જાતિના વકીલોને નાણાંકીય સહાય યોજનામાં અરજી કેવી રીતે કરવી?

જે મિત્રો ડૉ.પી.જી સોલંકી અનુસૂચિત જાતિના વકીલોને નાણાંકીય સહાય યોજનામાં અરજી કરવા માંગે છે તે નીચે આપેલી પ્રક્રિયાને ફોલો કરીને, તમે અરજી કરી શકો છો

ડૉ.પી.જી સોલંકી અનુસૂચિત જાતિના વકીલોને નાણાંકીય સહાય યોજનામાં અરજી તમે જાતે પણ કરી શકો છો જે તમારે esamajkalyan Portal પર અરજી કરી શકો છો અથવા તમે તમારા નજીકના CSC સેન્ટર કે જ્યાં ઓનલાઇન કામગીરી કરતા હોય ત્યાં જઈને તમે ઓનલાઇન અરજી કરી શકો છો.

(ખાસ નોંધ:-પ્રિય મિત્રો તમે અહીંયા esamajkalyan Portal પર ઓનલાઇન જાતે અરજી કરી શકો છો પરંતુ જ્યાં સુધી બને ત્યાં સુધી તમે તમારા નજીકનાં ઓનલાઇન સેન્ટર કે જ્યાં આવી ઓનલાઇન કામગીરી થતી હોય ત્યાં જઈને તમે ઓનલાઇન અરજી કરવો જેથી તમારી અરજીમાં કોઈ ભૂલ ના થાય.)

આ પણ વાંચો:-

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું

Leave a Comment