ભોજન બિલ સહાય યોજના 2024 | Bhojan Bill Sahay Yojana

ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્રારા લોકોના હિત માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે, જે માંથી આ એક છે, જેનું નામ છે, ભોજન બિલ સહાય યોજના.

તો ચાલો જાણીએ કે Bhojan Bill Sahay Yojana  શું છે?, ભોજન બિલ સહાય યોજના નો હેતુ શું છે?, આ યોજનાનો લાભ કયા લોકોને મળશે?, આ યોજનામાં કેટલો લાભ મળશે?, આ યોજનામાં અરજી કરવા માટે કયા-કયા ડોક્યુમેન્ટ જોઈએ અને ભોજન બિલ સહાય યોજનામાં અરજી કેવી રીતે કરવી. આ તમામ માહિતી ગુજરાતી ભાષાંમાં જાણવા માંગો છો, તો આ લેખને અંત સુધી વાંચો.


ભોજન બિલ સહાય યોજના શું છે?

Bhojan Bill Sahay Yojana એ બિન અનામત વર્ગના વિધાર્થીઓ માટે ચાલવામાં આવે છે. આ યોજનામાં બિન અનામત વર્ગના વિધાર્થીઓ કે જે પોતાના ઘરથી દૂર કોઈ હોસ્ટેલમાં રહે છે. તે વિધાર્થીને દર મહિને રૂપિયા 1500/- ની સહાય આપવામાં આવે છે. જે વિધાર્થીઓને વર્ષમાં 10 મહિનાની સહાય આપવામાં આવે છે.


ભોજન બિલ સહાય યોજનાનો હેતુ શું?

બિન અનામત વર્ગના જે વિદ્યાર્થીઓ પોતાના ઘરથી દૂર અભ્યાસ કરતા હોય અને હોસ્ટેલમાં રહેતા હોય તેવા સામાન્ય આર્થિક સ્થિતિવાળા વિદ્યાર્થીઓને સારું ભોજન મળી રહે અને સાથે ઉચ્ચ શિક્ષણ મેળવી શકે. તે જ આ યોજનાનો મુખ્ય હેતુ છે.


ભોજન બિલ સહાય યોજનાનો લાભ કયા વિધાર્થીઓને મળશે? (પાત્રતા અને શરતો)

બિન અનામત વર્ગના જે વિધાર્થીઓ આ યોજનાનો લાભ મેળવવા માંગે તેમના માટે ચોક્કસ પાત્રતાઓ નક્કી થયેલી છે. જો તે પાત્રતાનું પાલન તમારી સાથે થશે તે લોકોને જ આ યોજનાનો લાભ મળશે? જે પાત્રતા નીચે મુજબ છે.

  • ગુજરાત રાજ્યના માત્ર બિન અનામત વર્ગના વિધાર્થીઓને આ યોજનાનો લાભ આપવામાં આવશે.
  • જે વિધાર્થી પોતાના તાલુકામાં શૈક્ષણિક અભ્યાસ વ્યવસ્થા ન હોય અને બીજા તાલુકા  જઈને શૈક્ષણિક અભ્યાસ છાત્રાલયમાં રહીને અભ્યાસ કરતા હોય તેવા વિધાર્થીઓને આ યોજનાનો લાભ આપવામાં આવશે.
  • જે બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ સ્નાતક કક્ષાના મેડિકલ, ડેન્ટલ, ટેકનીકલ, પેરા મેડિકલમાં અભ્યાસ કરતા હોય એમને આ યોજનાનો લાભ આપવામાં આવશે.
  • જે વિધાર્થી સરકારી કે અનુદાનિત સિવાયના છાત્રાલયમાં રહીને અભ્યાસ કરતા હોય તે વિધાર્થીઓને આ યોજનાનો લાભ આપવામાં આવશે.
  • કોઈપણ સમાજ, ટ્રસ્ટ કે સંસ્થા દ્વારા સંચાલિત કન્યા છાત્રાલયમાં રહીને ધોરણ-9 થી 12 માં અભ્યાસ કરતી કન્યાઓને પણ આ યોજનાનો લાભ આપવામાં આવશે.
  • બિન અનામત વર્ગના જે વિદ્યાર્થીના કુટુંબની વાર્ષિક આવક  રૂપિયા 4,50,000 (સાડા ચાર લાખ) કે તેથી ઓછી હશે તેને આ યોજનાનો લાભ આપવામાં આવશે.

ભોજન બિલ સહાય યોજનામાં મળવાપાત્ર સહાય?

Bhojan Bill Sahay Yojana માં બિન અનામત વર્ગના વર્ગના વિધાર્થીઓને દર મહિને રૂપિયા 1500/- ની સહાય આપવામાં આવે છે. જે સહાય વર્ષમાં 10 મહિના માટે આપવામાં છે. આમ આ યોજના હેઠળ વર્ષે રૂપિયા 15,000/- ની સહાય આપવામાં આવે છે.


ભોજન બિલ સહાય યોજનામાં અરજી કરવા માટે ક્યાં-ક્યા ડોક્યુમેન્‍ટ જોઈએ.

Bhojan Bill Sahay Yojana નો લાભ લેવા માટે આ યોજનામાં તમારે અરજી કરવાની રહેશે. જેના માટે તમારે નીચે મુજબના ડોક્યુમેન્ટની જરૂર રહેશે. ત્યારે જ તમે ફોર્મ ભરી શકશો.

  • વિધાર્થીના આધારકાર્ડની નકલ
  • બિન અનામત વર્ગ નું પ્રમાણપત્ર.
  • આવકનું પ્રમાણપત્ર
  • ઉંમરનો પુરાવો (L.C કે જન્મનો દાખલો – કોઈપણ એક)
  • રહેઠાણનો પુરાવો.
  • હોસ્ટેલમાં માસિક ભોજન બિલ ભરેલ હોય કે મળવાપાત્ર હોય તેનો પુરાવો.
  • શાળાનું કે કોલેજનું વિદ્યાર્થીનો અભ્યાસ ચાલુ તે અંગેનું બોનોફાઇડ સર્ટિફિકેટ.
  • ધોરણ-12 અથવા અભ્યાસના છેલ્લા વર્ષની માર્કશીટ.
  • હોસ્ટેલ સમાજ ટ્રસ્ટ સંચાલિત છે તેનો પુરાવો.
  • વિદ્યાર્થીના બેંક પાસબુકની નકલ.

ભોજન બિલ સહાય યોજના


આ પણ વાંચો:-

દિવ્યાંગ બસ પાસ યોજના વિશે જાણો સંપૂર્ણ જાણકારી.

આ પણ વાંચો:-

મહિલા સ્વાવલંબન યોજના : મહિલાઓને મળશે 2 લાખની લોન.


ભોજન બિલ સહાય યોજનામાં અરજી કેવી રીતે કરવી?

Bhojan Bill Sahay Yojana માં તમારે ઓનલાઇન અરજી કરવાની રહેશે તેના પછી થોડી ઓફલાઈન અરજી કરવાની રહેશે. જેની સંપૂર્ણ માહિતી નીચે મુજબ છે.

સૌ પ્રથમ તમારે Google માં જઈને Gueedc Gujarat ટાઈપ કરવાનું રહેશે.

હવે તમારી સામે Bin Anamat Aayog ની અધિકૃત વેબસાઇટ ખુલીને આવશે જેના Home Page પર તમને Scheme Menu જોવા મળશે જેના પર ક્લિક કરવું.

ત્યારબાદ તમારી સામે એક નવું પેજ ખુલશે જેમાં તમને વિવિધ યોજનાનું લિસ્ટ દેખાશે. જેમાં “Bhojan Bill Sahay Yojana” પર ક્લિક કરવું.

ત્યારબાદ ફરીથી તમારી સામે એક નવું પેજ ખુલશે જેમાં “ભોજન બિલ સહાય યોજના” વિશે સંપૂર્ણ માહિતી આપી હશે જેને વાંચી લેવી. ત્યાર બાદ નીચે આપેલ Apply Now પર ક્લિક કરવું.

હવે Apply Now બટન પર ક્લિક કર્યા બાદ તમારી સામે એક નવું પેજ ખુલશે. જેમાં “New User (Register)?” ઓપ્શન જોવા મળશે જેના પર ક્લિક કરો.

ત્યારબાદ Registration for Online Application System નામનું અલગ ફોર્મ ખુલશે. જેમાં Email ID, Mobile Number અને Password નાખીને Captcha Code નાખવાનો રહેશે. ત્યારબાદ “Submit” બટન પર ક્લિક કરવાનું રહેશે.

ત્યારબાદ તમારે Login કરવાનું રહેશે. જેમાં વિધાર્થીએ “Already Register Click Here for Login?” પર ક્લિક કરવાનું રહેશે.

હવે તમારી સામે એક ફોર્મ ખુલશે જેમાં Username, Password અને Captcha Code નાખીને Login કરવાનું રહેશે.

હવે અહીંયા લોગીન થયા બાદ તમારી સામે ફરીથી તે યોજનાનું લિસ્ટ જોવા મળશે જેમાં તમારે “Bhojan Bill Sahay Yojana” ક્લિક કરવાનું

ત્યારબાદ અહીંયા એક નવું ફોર્મ ખુલશે જેમાં તમારે માગ્યા મુજબ તમારી તમામ માહિતી ભરવાની રહેશે અને ફોર્મ “Save” કરવાની રહેશે.

ત્યારબાદ વિદ્યાર્થીએ અહીંયા માંગ્યા મુજબના તમામ Document અપલોડ કરવાના રહેશે.

હવે છેલ્લે તમામ માહિતી અને ડોક્યુમેન્ટ Upload કર્યા બાદ અરજીને Confirm Application પર ક્લિક કરવાની રહેશે. અરજી કન્ફર્મ થયા બાદ અરજી નંબર ને તમારે સુરક્ષિત જગ્યાએ નોંધી લેવાનો રહેશે.


ઓનલાઈન અરજી કર્યા બાદ શુ કરવાનુ રહશે છે ?

મિત્રો ઓનલાઇન અરજી કર્યા બાદ જે છેલ્લે અરજી પ્રિન્ટની પ્રિન્ટ આવે છે. તેને પ્રિન્ટ કરીને નીચે સહી કરીને તમે જે અપલોડ કરેલ તમામ ડોકયુમેન્ટ જોડી તમે જે જિલ્લામાાં અભ્યાસ કરો છો. તે જિલ્લાના નાયબ નિયામક કે જિલ્લા સમાજકલ્યાણ અધિકારીશ્રીને કુરીયર, પોસ્ટ અથવા રૂબરુ જઈને તમારે તે ફોર્મ જમા કરાવવાનું રહેશે.


ભોજન બિલ સહાય યોજના હેલ્પલાઈન

પ્રિય મિત્રો અહીં અમે તમને Bhojan Bill Sahay Yojana વિશે સંપૂર્ણ માહિતી આપી છે. પરંતુ જો તમને આ યોજના વિશે કોઈપણ પ્રકારની સમસ્યા હોય કે આ યોજના વિશે વધુ માહિતી મેળવવી હોય તો તમે નીચે આપેલ હેલ્પલાઇન પર સંપર્ક કરી આ યોજના વિશે વધુ માહિતી મેળવી શકો છો.

  • Phone Number: 079-23258688 / 079-23258684

Bhojan Bill Sahay Yojana માટેની મહત્વપૂર્ણ લિંકો

Bhojan Bill Sahay Yojana ની અધિકારીક વેબસાઈટ અહીં ક્લિક કરો.
ગુજરાત સરકાર અને ભારત સરકારની તમામ સરકારી યોજના વિશે જાણવા અમારા Whatsapp ગ્રુપ સાથે જોડાવો. અહીં ક્લિક કરો.
અમારી વેબસાઈટનું હોમ પેજ અહીં ક્લિક કરો.

FAQs – વારંવાર પૂછાતા પ્રશ્નો

1.ભોજન બિલ સહાય યોજનાનો લાભ કોને મળે છે?

જવાબ :- બિન અનામત વર્ગના વિધાર્થીઓને Bhojan Bill Sahay Yojana નો લાભ આપવામાં આવશે.

2.ભોજન બિલ સહાય યોજનામાં કેટલો લાભ મળશે?

જવાબ :- બિન અનામત વર્ગના વિધાર્થીઓને Bhojan Bill Sahay Yojana હેઠળ દર મહિને રૂપિયા 1500/- ભોજન સહાય મળશે.

3.ભોજન બિલ સહાય યોજનામાં અરજી કેવી રીતે કરવી?

જવાબ :- Bhojan Bill Sahay Yojana માં ઓનલાઇન અને ઓફલાઈન બન્ને રીતે અરજી કરવાની હોય છે.

4.ભોજન સહાયમાં કુટુંબની વાર્ષિક આવક મર્યાદા કેટલી હોવી જોઇએ?

જવાબ :- આ યોજનાનો લાભ મેળવવા માટે કુટુંબની વાર્ષિક આવક રૂ.4.50 લાખથી ઓછી હોવી જોઇએ.

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું