અંત્યેષ્ટિ સહાય યોજના 2024 | Vrudh Marnotar Vidhi Sahay Yojana

ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્રારા લોકોના હિત માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે, જે માંથી આ એક છે, જેનું નામ છે, અંત્યેષ્ટિ સહાય યોજના.

તો ચાલો જાણીએ કે અંત્યેષ્ટિ સહાય યોજના શું છે?, Vrudh Marnotar Vidhi Sahay Yojana નો હેતુ શું છે?, આ યોજનાનો લાભ કયા લોકોને મળશે?, આ યોજનામાં કેટલો લાભ મળશે?, આ યોજનામાં અરજી કરવા માટે કયા-કયા ડોક્યુમેન્ટ જોઈએ અને અંત્યેષ્ટિ સહાય યોજનામાં અરજી કેવી રીતે કરવી. આ તમામ માહિતી ગુજરાતી ભાષાંમાં જાણવા માંગો છો, તો આ લેખને અંત સુધી વાંચો.


અંત્યેષ્ટિ સહાય યોજના શું છે?

ગુજરાત સરકાર દ્રારા અંત્યેષ્ટિ યોજના હેઠળ નવો પરીપત્ર જાહેર કરેલ છે કે જેમાં સિનિયર સીટીઝન ને નિરાધાર વૃદ્ધ સહાય અને રાષ્ટ્રીય પેન્શન યોજનાનો લાભ મેળવતા હોઈ તેવા વૃદ્ધોનું જો અવસાન થઈ જાય તો તેમના પરિવારમાંથી વારસદાર ને આ સહાય આપવામા આવશે. જેથી કરીને તેઓ તેમના માતા-પિતાની મરણોત્તર ક્રિયા કરી શકે.


અંત્યેષ્ટિ સહાય યોજના હેતુ શું?

સરકાર દ્રારા આ યોજના શરૂ કરવા પાછળનો હેતુ એ છે કે, જે પરિવારોની આર્થિક સ્થિતિ ખરાબ છે. તેવા પરિવારમાં જયારે કોઈ વૃદ્ધનું મરણ થાય છે. ત્યારે આવા પરિવારોને સહાય મળી રહે જેથી તે તેમના માતા-પિતાની મરણોત્તર ક્રિયા સારી રીતે કરી શકે.


અંત્યેષ્ટિ સહાય યોજનાનો લાભ કોને મળશે? (પાત્રતા અને શરતો)

જે લોકો Vrudh Marnotar Vidhi Sahay Yojana નો લાભ મેળવવા માંગે તેમના માટે ચોક્કસ પાત્રતાઓ નક્કી થયેલી છે. જો તે પાત્રતાનું પાલન તમારી સાથે થશે તે લોકોને જ આ યોજનાનો લાભ મળશે? જે પાત્રતા નીચે મુજબ છે.

  • મૃત્યુ થયેલ વૃદ્ધ ગુજરાત રાજ્યનો વતની હોવા જોઈએ.
  • મૃત્યુ થયેલ વૃદ્ધ નિરાધાર વૃદ્ધ સહાય & વૃદ્ધ રાષ્ટ્રીય પેન્શન યોજનાનો લાભ મેળવતો હોવો જોઈએ.
  • અરજદાર મરણ પામેલ વૃદ્ધનાં સીધી લીટીનાં વારસદાર હોવા જોઈએ.
  • સિનિયર સીટીઝન નિરાધાર વૃદ્ધ સહાય અને રાષ્ટ્રીય પેન્શન યોજના નો લાભ મેળવતા હતા તેવા વૃદ્ધો નું અવસાન થાય તો 1 વર્ષ ની અંદર આ સહાય તેઓનાં વારસદારને મળવાપાત્ર છે.
  • પતિ પત્ની વૃદ્ધ પેન્શન યોજના મેળવતા હોઈ અને તેમાથી કોઈ એક નું અવસાન થતા આ યોજના ની અરજી કરવાનો અધિકાર પતિ કે પત્ની ને રહેશે. અને જો આ બંને માંથી કોઈ હયાત નાં હોઈ તો તેઓના વારસદાર અરજી કરી શકે છે.

અંત્યેષ્ટિ સહાય યોજના હેઠળ મળવાપાત્ર સહાય

Vrudh Marnotar Vidhi Sahay Yojana હેઠળ રાજ્યનાં સિનિયર સીટીઝન કે જેઓ નિરાધાર વૃદ્ધ સહાય અને રાષ્ટ્રીય પેન્શન યોજનાનો લાભ મેળવતા હતા તેવા વૃદ્ધોના મૃત્યુ બાદ તેમના વારસદાર ને તેઓ ની મરણોત્તર ક્રિયા માટે રૂપિયા 5,000/- ની સહાય સરકાર તરફ થી આપવામાં આવે છે.


અંત્યેષ્ટિ સહાય યોજનામાં અરજી કરવા માટે ક્યાં-ક્યા ડોક્યુમેન્‍ટ જોઈએ.

Vrudh Marnotar Vidhi Sahay Yojana નો લાભ લેવા માટે આ યોજનામાં તમારે અરજી કરવાની રહેશે. જેના માટે તમારે નીચે મુજબના ડોક્યુમેન્ટની જરૂર રહેશે. ત્યારે જ તમે ફોર્મ ભરી શકશો.

  • અરજદારનાં આધારકાર્ડની નકલ.
  • રેશન કાર્ડની નકલ.
  • મરણ પામનાર વૃદ્ધનું અવસાનનું પ્રમાણપત્ર.
  • મરણ પામનાર વૃદ્ધ સહાય યોજના નો લાભ લેતા હતા તેના આધાર પુરાવા (વૃદ્ધ સહાય યોજના નો હુકમ મામલતદાર/પ્રાંત અધિકારી ની સહી વાળો).
  • મરણ પામનાર વૃદ્ધ સહાય યોજનાની સહાય જે ખાતામા જમાં થતી હતી તે બેંકનાં ખાતા ની પાસબુક ની નકલ.
  • જો એક થી વધુ વારસદાર હોઈ તો તેવા કિસ્સા મા અરજદારના પક્ષમાં સંમતીપત્રક અરજી સાથે જોડવાનું રહેશે.
  • અરજદારનાં બેંક પાસબુક ની નકલ.
  • અરજદારનો મોબાઈલ નંબર.

અંત્યેષ્ટિ સહાય યોજના


આ પણ વાંચો:-

શ્રી વાજપાઇ બેંકેબલ યોજના :-નવો ધંધો શરુ કરવા મળશે 8 લાખની લોન.

આ પણ વાંચો:-

ભોજન બિલ સહાય યોજના :- હોસ્ટેલમાં રહેતા વિધાર્થીઓને મળશે દર મહિને રૂ.1500/- ની સહાય.


અંત્યેષ્ટિ સહાય યોજનામાં અરજી કેવી રીતે કરવી?

જે મિત્રો Vrudh Marnotar Vidhi Sahay Yojana માં અરજી કરવા માંગે છે તે નીચે આપેલી પ્રક્રિયાને ફોલો કરીને, તમે અરજી કરી શકો છો

આ Vrudh Marnotar Vidhi Sahay Yojana માં અરજી તમે જાતે પણ કરી શકો છો જે તમે esamajkalyan Portal પર અરજી કરી શકો છો અથવા તમે તમારા નજીકના CSC સેન્ટર કે જ્યાં ઓનલાઇન કામગીરી કરતા હોય ત્યાં જઈને તમે ઓનલાઇન અરજી કરી શકો છો.

(ખાસ નોંધ:-પ્રિય મિત્રો તમે અહીંયા esamajkalyan Portal પર ઓનલાઇન જાતે અરજી કરી શકો છો પરંતુ જ્યાં સુધી બને ત્યાં સુધી તમે તમારા નજીકનાં ઓનલાઇન સેન્ટર કે જ્યાં આવી ઓનલાઇન કામગીરી થતી હોય ત્યાં જઈને તમે ઓનલાઇન અરજી કરવો જેથી તમારી અરજીમાં કોઈ ભૂલ ના થાય.)

અરજી કર્યા બાદ અરજદાર નાં બેંક ના ખાતા મા 60 દિવસ સુધી મા DBT દ્વારા સહાયનાં પૈસા જમાં કરી દેવામાં આવશે.


અંત્યેષ્ટિ સહાય યોજના હેલ્પલાઈન

પ્રિય મિત્રો અહીં અમે તમને Vrudh Marnotar Vidhi Sahay Yojana વિશે સંપૂર્ણ માહિતી આપી છે. પરંતુ જો તમને આ યોજના વિશે કોઈપણ પ્રકારની સમસ્યા હોય કે આ યોજના વિશે વધુ માહિતી મેળવવી હોય તો તમે આ યોજના અધિકારીક વેબસાઈટ esamajkalyan Portal જઈને અથવા તમે તમારા વિસ્તારની જિલ્લા કલેકટર કચેરીનો સંપર્ક કરી શકો છો અને યોજના વિશે વધુ માહિતી મેળવી શકો છો.


Vrudh Marnotar Vidhi Sahay Yojana માટેની મહત્વપૂર્ણ લિંકો

Vrudh Marnotar Vidhi Sahay Yojana ની અધિકારીક વેબસાઈટ અહીં ક્લિક કરો.
ગુજરાત સરકાર અને ભારત સરકારની તમામ સરકારી યોજના વિશે જાણવા અમારા Whatsapp ગ્રુપ સાથે જોડાવો. અહીં ક્લિક કરો.
અમારી વેબસાઈટનું હોમ પેજ અહીં ક્લિક કરો.

FAQs – વારંવાર પૂછાતા પ્રશ્નો

1.અંત્યેષ્ટિ સહાય યોજનાનો લાભ કોને મળે છે?

જવાબ :- આ યોજનાનો લાભ નિરાધાર વૃદ્ધ સહાય અને રાષ્ટ્રીય પેન્શન યોજનાનો લાભ મેળવતા હોઈ તેવા વૃદ્ધોનું જો અવસાન થઈ જાય તો તેમના પરિવારમાંથી વારસદાર ને આ સહાય આપવામા આવશે. જેથી કરીને તેઓ તેમના માતા-પિતાની મરણોત્તર ક્રિયા કરી શકે.

2.અંત્યેષ્ટિ સહાય યોજનામાં કેટલી સહાય મળશે?

જવાબ :- આ યોજના હેઠળ વૃદ્ધોના મૃત્યુ બાદ તેમના વારસદાર ને તેઓ ની મરણોત્તર ક્રિયા માટે રૂપિયા 5,000/- ની સહાય સરકાર તરફ થી આપવામાં આવે છે.

3.અંત્યેષ્ટિ સહાય યોજનામાં અરજી કેવી રીતે કરવી?

જવાબ :- આ યોજનામાં તમારે https://esamajkalyan.gujarat.gov.in/ પર ઓનલાઇન અરજી કરાવવાની રહેશે.

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું

2 thoughts on “અંત્યેષ્ટિ સહાય યોજના 2024 | Vrudh Marnotar Vidhi Sahay Yojana”

Leave a Comment